SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. * ચંદ્રપ્રભસૂરિ—કહેવાય છે કે તેમણે સંવત ૧૧૪૯માં પૌર્ણમિક ગચ્છ સ્થાપેલો. તેમની સાહિત્ય રચનામાં દર્શનશુદ્ધિ અને પ્રમેય રત્નકોશ બે નામો જોવા મળે છે. * જિનચંદ્રસૂરિ—સંવત ૧૧૨૫માં તેમણે સંવેગ ભાવથી ભરપુર એવો ‘સંવેગરંગ શાળા' નામે ગ્રંથ રચેલો. * સિદ્ધસેનસૂરિ—સંવત ૧૧૨૩માં સાધારણ કવિ નામે પ્રસિદ્ધ આ આચાર્યએ સમરાઈચ્યકહામાંથી ઉદ્ધૃત કરી અપભ્રંશભાષામાં ૧૧ સંધિવાળી વિલાસવતી નામની કથાની રચના કરી. તે સિવાય અનેક સ્તુતિ અને સ્તોત્રો રચ્યાં. * નમિ સાધુ—થારાપ્રદ્ગુરીય ગચ્છના આચાર્ય શાલિભદ્રસૂરિના શિષ્ય નમિ સાધુ વિક્રમ સંવત ૧૧૨૨થી ૧૧૨૫ આસપાસ શ્રુતોપાસના કરતાં વિવિધ સાહિત્યનું સર્જન કરેલું. તેમણે આવશ્યકમાં ચૈત્યવંદનવૃત્તિ રચી, કાવ્યાલંકાર ગ્રંથ પર સંસ્કૃત ટીપ્પણ રચ્યું. આ મિ સાધુની બીજી સાહિત્યરચનાઓ પણ છે. ★ નેમિચંદ્રસૂરિ-વડગચ્છના ઉદ્યોતનસૂરિના પ્રશિષ્ય એવા આ આચાર્ય સૈદ્ધાંતિક શિરોમણિ રૂપે પ્રસિદ્ધ થયેલા. તેઓ દેવેન્દ્ર સાધુ નામે પણ ઓળખાતા હતા. તેમણે ઉત્તરાધ્યયનસૂત્ર પર સુખબોધા નામે વૃત્તિ રચેલી. ત્યારપછી પ્રાકૃતમાં રત્નચૂડકથા અને આખ્યાનમણિકોષ રચેલાં. વિક્રમ સંવત ૧૧૩૯થી ૧૧૪૧માં પ્રાકૃતમાં મહાવીરચરિયં રચેલું. * ગુણચંદ્રસૂરિ—સુમતિવાચકના શિષ્યએ વિક્રમ સંવત ૧૧૪૦ના ગાળામાં મહાવીરચરિયની રચના કરી. ભગવંત મહાવીર વિશે આ અદ્ભુત ગ્રંથ છે. * શાલિભદ્રસૂરિ—આચાર્ય શીલભદ્રસૂરિના શિષ્ય અને થારાપગચ્છીય એવા આ શાલિભદ્રસૂરિએ સંગ્રહણીવૃત્તિની રચના કરી છે. * ચંદ્રપ્રભ મહત્તર—વિક્રમ સંવત ૧૧૩૦ની આસપાસના સમયગાળામાં નિબુયવંશજ એવા અભયદેવસૂરિ શિષ્ય ચંદ્રપ્રભ મહત્તરે પ્રાકૃત્તમાં ‘વિજય ચંદ્રચારિત્ર'ની રચના કરી. વિક્રમ સંવત ૧૧૫૦થી ૧૧૯૯ના કાળમાં સાહિત્ય-સર્જનઃ— * શાંતિસૂરિ—પૂર્ણતલ્લ ગચ્છના વર્ધમાનસૂરિના આ શિષ્ય બારમી સદી આસપાસ થયા. તેમની શ્રુતોપાસનાથી જૈન જગત્ને કિવ ધનપાલકૃત્ તિલકમંજરી પર ટિપ્પણ, Jain Education International ચતુર્વિધ સંઘ જૈનતર્કવાર્તિકવૃત્તિ, વૃંદાવન-કાવ્ય-ઘટખર્પર કાવ્ય-મેઘાભ્યુદયકાવ્ય-શિવભદ્રકાવ્ય-ચંદ્રદૂતકાવ્ય એ પાંચ કાવ્યો પરની વૃત્તિ આદિ સાહિત્યોની ભેટ ધરી છે. * જિનવલ્લભસૂરિ—જિનચંદ્રસૂરિના શિષ્ય એવા આ આચાર્ય કે જેઓ વિક્રમ સંવત ૧૧૬૭માં સ્વર્ગવાસ પામ્યા. તેઓએ સૂક્ષ્માર્થસિદ્ધાંત વિચારસાર, આગમિક વસ્તુ-વિચારસાર, પિંડવિશુદ્ધિ-પ્રકરણ, પૌષધવિધિ-પ્રકરણ, સંઘપટ્ટક, પ્રતિક્રમણ સામાચારી, ધર્મશિક્ષા, દ્વાદશકુલક પ્રકરણ, પ્રશ્નોત્તરશતક, શ્રૃંગારશતક, સ્વપ્નાષ્ટકવિચાર, ચિત્રકાવ્ય, વિવિધ સ્તોત્રાદિની રચના કરી. * જિનદત્તસૂરિ—વિક્રમ સંવત ૧૧૭૯માં આચાર્યપદને પામેલા અને ખરતરગચ્છમાં ‘દાદા' ના ઉપનામથી ઓળખાતા આ ખરતર ગચ્છાચાર્યએ ગણધરસાર્ધશતક, સંદેહ દોહાવલ, ગણધરસપ્તતિ, સર્વાધિષ્ઠાયિસ્તોત્ર, અવસ્થાકુલક, ચૈત્યવંદનકુલક, વિશિકા, અપભ્રંશ કાવ્યો ઇત્યાદિ સાહિત્યની રચના કરી છે. તેઓએ દેવસૂરિના જીવાનુશાસનટીકાનું સંશોધન કર્યું છે. * દેવભદ્રસૂરિ—નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના પ્રશિષ્ય હતા. વિક્રમ સંવત ૧૧૫૮થી ૧૧૬૫ના સમયગાળા દરમિયાન આ શ્રુતોપાસક આચાર્યએ આરાહણાસત્ય, વીરચરિય, કહારયણકોસ, પાસનાહ ચિરયંની રચના કરી. * વીરગણિ—ચંદ્રગચ્છીય ઈશ્વરગણિના શિષ્ય વીરગણિ થયા. તેઓએ દધિપ્રદનગરે પિંડનિયુક્તિ પર વૃત્તિ રચી, જે ૭૬૯૧ શ્લોકપ્રમાણ હતી. * દેવચંદ્રસૂરિ—વિક્રમ સંવત ૧૧૬૦માં આ આચાર્ય કે જેઓ હેમચંદ્રાચાર્યના ગુરુ હતા, તેમણે ખંભાતમાં પ્રાકૃત ભાષામાં શાંતિનાથચરિત્રની રચના કરી. તે ગદ્યપદ્યમય હતું. તેમાં અપભ્રંશ ભાષાનો પણ પ્રયોગ થયેલો હતો. પ્રદ્યુમ્નસૂરિકૃત્ મૂલશુદ્ધિ પર તેમણે સ્થાનકવૃત્તિ રચી. ⭑ શાંતિસૂરિ—ચંદ્રકુલના બૃહદ્ ગચ્છના નેમિચંદ્રસૂરિના શિષ્ય શાંતિસૂરિએ વિક્રમ સંવત ૧૧૬૧માં પૃથ્વીચંદ્ર ચરિત્રની રચના કરી. પ્રાયઃ તેમણે ધર્મરત્નપ્રકરણ ઉપર લઘુવૃત્તિ પણ રચેલી છે. કહેવાય છે કે તેમના પર ચક્રેશ્વરી દેવી પ્રસન્ન હતાં. * દેવસૂરિ—વીરચંદ્રસૂરિના શિષ્ય હતા. તેઓએ વિક્રમ સંવત ૧૧૬૨માં પ્રાકૃતમાં જીવાનુશાસન અને તેના પર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy