SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શ્રુતઉપાસકો અને સાહિત્યસર્જન —મુનિ દીપરત્નસાગર શ્રી ચતુર્વિધ સંઘ-તવારીખની તેજ-છાયા' શીર્ષકબદ્ધ આ ગ્રન્થ અન્વયે વિભાજિત કરાયેલ ચાર ઘટકો અંતર્ગત્ પ્રથમ ઘટક છે–‘શ્રમણો’ જેને ‘જિનશાસનના આધારસ્તંભો' નામથી પ્રસ્તુત કરાયેલ છે. તેમાં પસંદગી પામેલા વિભિન્ન વિષયોમાં શ્રુત અર્થાત્ જ્ઞાનગુણ આધારિત વિષયોનું પ્રાચર્ય દૃષ્ટિગોચર થાય છે. સ્વાધ્યાય એ શ્રમણજીવનનું પ્રાણતત્ત્વ હોવાથી શ્રુતની ઉપાસના શ્રમણોને અસ્થિમજ્જાવત્ પરિણમેલી હોય જ, પરંતુ આ શ્રુતઉપાસના પ્રગટ અને અપ્રગટ–ઉભય સ્વરૂપે થતી હોય છે. અપ્રગટ અર્થાત્ અત્યંતર સ્વરૂપે થતી શ્રુતઉપાસના મુખ્યત્વે આરાધનાના ઉદ્દેશ કે સ્વાધ્યાય હેતુની સિદ્ધિ અર્થે થાય છે, જ્યારે પ્રગટ શ્રુતઉપાસના અંતર્ગત્ શ્રુત-સાહિત્ય કે ગ્રંથ સર્જનરૂપ કાર્યો ફલાન્વિત થતાં હોય છે. અત્રે આવા જ સાહિત્યસર્જનોની ઝાંખી કરાવવાનો મુનિશ્રીનો નમ્ર પ્રયાસ છે. મુનિશ્રી દીપરત્નસાગર સન્મુખ જ્યારે આ ગ્રન્થની યોજના રજૂ કરા ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ સંબંધી અનેક વિષયો રજૂ કર્યા. આ વિવિધવિષયોમાં જ્ઞાનક્ષેત્રને સ્પર્શતા વિષયોએ તેમનું ધ્યાન વિશેષ આકૃષ્ટ કર્યું. શ્રુતોપાસના એ મુનિશ્રીના જીવન સાથે વિશેષથી વણાયેલું અંગ હોવાથી તે વિષય ઉપર તેમની દૃષ્ટિ સૌ પહેલા ઠરે. મુનિશ્રી પૂર્વાવસ્થામાં પણ એજ્યુકેશનકોલેજ, ભાવનગરમાં પ્રોફેસર, પેપરસેટર અને એક્ઝામિનર રહી ચૂક્યા છે. ભલે મિથ્યાજ્ઞાન હતું, તો પણ મુનિશ્રી જ્ઞાનમાર્ગના પ્રવાસી તો હતા જ. સમ્યક્ષણાનો સ્પર્શ પામતા જ મુનિ ગૃહસ્થાવાસ છોડીને સાધુપણાને પામ્યા. પણ જ્ઞાનમાર્ગના પથિક આ જીવને ચરિત્ર અંગીકાર કર્યા પછી પણ શ્રુતારાધના પરત્વેનો લગાવ ખેંચતો જ રહ્યો. બે વર્ષ પર્યન્ત સૂત્રો, પ્રકરણો, તત્ત્વાર્થ, વ્યાકરણ આદિ અનેક વિષયોનો અભ્યાસ કરી ત્રીજા વર્ષથી શ્રુતારાધનાનું પ્રગટ સ્વરૂપ અભિવ્યક્ત કરવાના કોડ જાગ્યા. સાહિત્યસર્જનની વાટ પકડી. બસ પછી તો કલમ આજ પર્યન્ત અટકી જ નથી. ગુજરાતી-હિન્દી-સંસ્કૃત અને પ્રાકૃત ચારે ભાષામાં અને અનેકવિધ વિષયોમાં કાર્ય કરતા બસોને સુડતાલીશ પુસ્તકોના પ્રકાશન કર્યા. આવા શ્રુત અને સાહિત્યની દુનિયાના અધિકૃત વ્યક્તિ દ્વારા આ લેખમાં ચૌદમી સદી સુધીના સાહિત્યસર્જનોની પ્રાપ્તમાહિતીને રજૂ કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. પૂજ્યશ્રીની જ્ઞાનસાધનાને ભાવથી વંદીએ છીએ. ી પ્રાપ્તમાહિતીને રા સંપાદક સદી પર્યન્ત આલેખેલી છે અને ત્યાર પછી પણ આજ પર્યન્ત આ સાહિત્યયાત્રા આગળ ધપી રહી છે. અર્ધમાગધી ભાષાથી અને આગમ સાહિત્યથી આરંભ પામેલી આ યાત્રામાં ભાષાઓ બદલાઈ, વિષયો અનેક સ્વરૂપે સ્થાન પામ્યા. રજૂઆત અને શૈલીઓ પરિવર્તિત થઈ. લિપિઓની સાથે સાથે ભાષાકીય સ્વરૂપોમાં પણ બદલાવો આવ્યા. સાહિત્યનું સ્તર પણ બદલાયું. છતાંયે આ સાહિત્યયાત્રાની વણથંભી કુચ અદ્યાપિ પ્રવર્તમાન છે. આગમકાલીન સાહિત્યઃ—ભગવંત મહાવીરથી ૯૮૦ વર્ષ પર્યન્તનો સાહિત્યનો ગાળો ભૂમિકા —‘જ્ઞાનસ્ય નં વિરતિઃ' એ ઉક્તિને હૃદયસ્થ કરીએ તો સર્વવિરતિના સર્વોચ્ચ સાધક એવા શરીરી પુરુષોત્તમ અરહંત ભગવંતો જ શ્રુતના સર્વશ્રેષ્ઠ ઉપાસકો હતા. વિશાળવિરાટ આગમ સાહિત્યનું વિવિધ અર્થો દ્વારા, પ્રજ્ઞાપના દ્વારા, આખ્યાયના દ્વારા, પ્રરૂપણા દ્વારા, પ્રતિપાદન કરનારા તીર્થંકરોનું શ્રેષ્ઠ સાહિત્યસર્જકો રૂપે ગુણકીર્તન કરવું જોઈએ, પરંતુ પ્રવર્તમાનકાલે આપણે ગ્રંથસ્થ-લિપિબદ્ધ કે મુદ્રિત સાહિત્યને જ સાહિત્યરૂપે આદરપાત્ર ગણીએ છીએ, તો પણ આવા સાહિત્યનું પગેરું છેક ગણધર ભગવંતો સુધી પહોંચે છે. ગણધર ભગવંતોથી આરંભાયેલ આ સાહિત્યયાત્રા આગમકાલના મુકામોથી પસાર થઈને વીર પરમાત્માની પ્રથમ આદિ શતાબ્દીથી આગળ વધતી...વિક્રમ સંવતની પહેલી સદીને સ્પર્શતી વિક્રમની વીસમી Jain Education International For Private ૯૩ આ સમય ગાળો વિક્રમ સંવત પૂર્વે ૪૭૦ વર્ષથી વિક્રમ સંવત ૫૧૦ સુધીનો છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy