SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત ગ્રંથમાં જણાયું છે કે-“ો વિર fiftવફરસાનિક માસમાં વિક્ષા કરિયા, સારૂલવાળા વોનિ ” એટલે આ મહાપરિણાથયનમાંથી શ્રીવજસ્વામીએ આકાશગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો. આ પાઠથી સમજાય છે કે શ્રી વજસ્વામીના સમય સુધી આ અધ્યયન હયાત હતું, પછીના સમયે મહાપ્રભાવશાલી હોવાથી તે વિચછેદ પામ્યું. તથા અહીં નિયુક્તિની ૨૯૦મી ગાથા જોતાં જણાય છે કે-સત્તસત્તિયા (અધ્યયન)ને ઉદ્ધાર પણ આમાંથી થયો છે. પાંચમા અધ્યયનનું પહેલાં “ગાવંતિ” નામ જણાવ્યું છે. આનું બીજું નામ “સાર” છે, એમ અહીં નિયુક્તિની ૩૧-૩રમી ગાથાનો અર્થ વિચારતાં જણાય છે. તથા આઠમાં અધ્યયનનું “વિમોટું નામ જણાવ્યું છે, ને તેનું બીજુ નામ “વફા” છે. આ રીતે પહેલા શ્રુતસ્કંધનાં અધ્યયનનાં નામને ઉદ્દેશીને ખાસ જરૂરી બીના જણાવીને હવે ક્રમસર દરેક અધ્યયનના ઉદ્દેશા જણાવું છું. અધ્યનને જે વિભાગ, તે ઉદ્દેશ કહેવાય. નવ અધ્યયનમાં મહાપરિજ્ઞા અધ્યયનને વિચ્છેદ થવાથી બાકીનાં આઠ અધ્યયનમાં ઉદ્દેશા આ પ્રમાણે જાણવા પહેલા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનમાં ૭ ઉદ્દેશ છે, બીજા અધ્યયનમાં ૬ ઉદ્દેશા, ત્રીજા અધ્યયનમાં ૪ ઉદ્દેશા, ચેથા અધ્યયનમાં ૪ ઉદ્દેશા ત્રીજા પાંચમાં અધ્યયનમાં ૬ ઉદ્દેશા છે. છઠ્ઠા અધ્યયનમાં પાંચ ઉદ્દેશા, સાતમા અધ્યયનમાં ૮ ઉદેશા, ને આઠમા અધ્યયનમાં ૪ ઉદ્દેશા કહ્યા છે. બીજા શાસ્ત્રોમાં પાંચમા અધ્યયનના પાંચ ઉદ્દેશા, ને છઠ્ઠા અધ્યયનના ૮ ઉદ્દેશ છે, એમ આ ગાથા જણાવે છે. તે આ પ્રમાણે – सहि छहि चउचउहिय पंचहि अट्ट चउहि नायव्वा । उद्देसएहिं पढमे सुयखंधे नव य अज्झयणा ।।१।। અર્થ:--પહેલા શ્રુતસ્કંધનાં નવ અધ્યયન અનુક્રમે ૭-૬-૪-૪-૫-૮-૮-૪ ઉદ્દેશા વડે સહિત છે, એટલે પહેલું અધ્યયન ૭ ઉદ્દેશાવાળું છે. એમ દરેક અધ્યયન સમજવું. આ જ પદ્ધતિએ આ અંગની ચૂણિ તથા ટીકા પણ ઉદ્દેશાઓ વર્ણવે છે. શ્રીનંદીસૂત્રની હારિભદ્રીય ટીકામાં અને શ્રીસમવાયાંગની અભયદેવસરિકૃત ટીકામાં જણાવેલી: सत्त य छच्चउ चउरो-छ पंच अटेव सत्त चउरो य । एक्कारा ति ति दो दो-दो दो सत्तेक्क एक्कोय ।।१।। અહીં નવ અધ્યયનમાં અનુક્રમે જણાવેલા ઉદેશાની સંખ્યા ઉપરથી અનુમાન થાય છે કે-મહાપરિણાધ્યયનને ૭ ઉદ્દેશા હેવા જોઈએ. તે બધાનો વિચ્છેદ થશે. બીજા શ્રુતસ્કંધનાં ૧૬ અધ્યયનમાં અનુક્રમે ૧૧-૩-૩-ર--ર-૨ ઉદ્દેશ છે, અને કેટલાએક અધ્યયને એકસર એટલે ઉદ્દેશારહિત છે. આ રીતે ઉદ્દેશાને અંગે જરૂરી બીના જણાવી. હવે અનુક્રમે પહેલા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનના સાત ઉદેશામાંના દરેક ઉદેશામાં કઈ કઈ બીના કહી છે, તે ટૂંકામાં જણાવું છું. શસ્ત્ર એટલે હિંસાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy