SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત તેથી સંપૂર્ણ ટીકાનું પ્રમાણ ૪૨૦૦૦ શ્ર્લેાકા થાય છે. આ સૂત્રની ઉપર રચાયેલા ગુજરાતી ખેા વગેરે પણ મળી શકે છે. આ રીતે નિયુક્તિ આદિની ભીના ઢંકામાં જણાવીને હવે ક્રમસર ૬ ઉદ્દેશાની બીના જણાવું છું, તે ઢંકામાં આ પ્રમાણે જાણુવી-આ સૂત્રના ૬ ઉદ્દેશા છે. તેના ૧. પહેલા ઉદ્દેશામાં સાધુ સાધ્વીઓના આહારના વિધિ અને ઉપાશ્રયમાં ઊતરવાના વિધિ, તથા કલેશ થતાં માંહામાંહે ખમાવવાની બીના તેમજ વિહાર કરવાના વિધિ વગેરે મીના સમજાવીને ઉપકરણાને લેવાની (વ્હારવાની) વિધિ અને જ્યાં વિહાર ન કરાય તેવા સ્થલાની મીના વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવી છે. ૨. બીજા ઉદ્દેશામાં સાધુ સાધ્વીને ઊતરવા લાયક ઉપાશ્રયનું સ્વરૂપ અને શય્યાતના અકલ્પ્ય (ન ખપે તેવા ) આહારાદિની મીના કહીને વસ્ત્ર અને રજોહરણની આમતમાં કલ્પ-અકપ્ય વિધિ વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવી છે. ૩. ત્રીજા ઉદ્દેશામાં (૧) વસ્ત્રોને વ્હારવાનેા વિધિ અને અયેાગ્ય કાલનું વર્ણન તથા વઢના કરવાના વિધિ તેમજ ગૃહસ્થની પાસેથી અમુક કાલ સુધી વાપરવા માટે યાચેલા ઉપકરણાદિને કા` પૂરુ થયા પછી પાછા આપવાની વિધિ વગેરે મીના કહીને જે ઉપાશ્રયમાં પહેલાં સાધુએ રહ્યા છે, ત્યાં વિહાર કરીને આવેલા નવા સાધુઓએ કઈ વિધિએ ઊતરવું જોઈએ ? તથા તે પહેલાંના સાધુઓનાં ઉપકરણાદિની જરૂર હોય તા કઈ વિધિએ તે માંગીને વાપરવા ? તેમજ જે સ્થાનના કોઈ માલિક નથી તે સ્થાને ઊતરવાના વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. અંતે કહ્યું છે કે શત્રુ રાજાની જ્યાં લશ્કરી સેના ઊતરી હોય ત્યાં સાધુઓએ રહેવુ' નહી. પછી ગાચરી અને સ્થહિલ જવાને માટે ગાઉની મર્યાદા વગેરે બીનાએ પણ સ્પષ્ટ સમજાવી છે. ૪. ચાથા ઉદ્દેશામાં સંયમના નાશ કરનાર ત્રણ કારણે! અને દશમા તથા નવમા પ્રાયશ્ચિત્તને આવવાનાં ત્રણ ત્રણ કારણેા તેમજ દીક્ષાને તથા વાંચનાને અપેાગ્ય ત્રણ ત્રણ જણાની ભીના સ્પષ્ટ સમજાવીને વાંચના આપવા લાયક ત્રણ જણની ભીના અને મહામુશ્કેલીથી સમજાવી શકાય એવા ત્રણ જણની અને સહેલાઇથી સમજાવી શકાય એવા ત્રણ જણાંની મીના વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવી છે, પછી અનુક્રમે પહેલી પેરિસીએ લાવેલા આહારની મીના અને વિહારના સ્થલથી આહાર કેટલા ગાઉ સુધી લઈ જઈ શકાય ? આ ભામતમાં કલ્પ્ય-અકલ્પ્ય વિધિ તથા શકિતાદિ સદાષ આહારની ખોના તેમ જ પહેલા અને છેલ્લા તીય કરના સાધુઓને આહાર જ્હારવાના વિધિ વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવી છે, પછી જ્ઞાનાદિ નિમિત્તે બીજા ગચ્છમાં જવાના તથા રહેવાના વિધિ અને બીજા ગચ્છના સાધુઓને ભણાવવા માટે બીજા ગચ્છમાં જવા વગેરેના વિધિ તથા સાધુ કાલક્રમ પામે તેને નિમિત્ત કરવાના વિધિ તેમજ કલેશ કરનારને સમજાવવા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy