SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવેચન કિરણાવલી (શ્રી છેદ સૂત્રોને સંક્ષિપ્ત પરિચય) ૬૮૩ સં૦ ૧૩૬૪માં “સંદેહવિષષધિ” નામે ટીકા તથા શ્રી જિનવલભસૂરિ આદિએ રચેલી કપકલ્પલતા વગેરે ટીકાઓમાંની ઘણીખરી છપાઈ પણ છે. આ શ્રી દશાશ્રુતસ્કંધમાં સાધુઓની ને શ્રાવક ધર્મની પણ બીનાઓ વર્ણવી છે. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રને ટ્રેક પરિચય પૂર્ણ થયો. શ્રી બૃહત્કલ્પસૂત્રને સંક્ષિપ્ત પરિચય અહીં ક૫ એટલે સાધુ-સાદરીઓના વિવિધ પ્રકારના આચારોનું અને તે દરેક આચામાં પ્રાયશ્ચિત્ત લાગવાનાં કારણે, પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ, પ્રમાણ તેમજ પ્રાયશ્ચિત્તને કરવાનો વિધિ વગેરે હકીકત બહુ જ વિસ્તારથી સમજાવી છે, તેથી આ સૂત્ર બ્રહકપસૂત્ર આવા યથાર્થ નામે ઓળખાય છે. ક૫ શબ્દના ઐતિહાસિક તથદિના વર્ણન વગેરે અર્થો પણ શબ્દકેષાદિમાં જણાવ્યા છે. પણ તે અર્થોમાંથી આચાર રૂપ અર્થ જ આ પ્રસંગે લેવાનું છે. બીજા ગ્રંથમાં આ સૂત્રના (૧) વેદકલ્પસૂત્ર, (૨) બૃહસાધુ કલ્પ, (૩) કલ્પાધ્યયન (૪) “કલ્પ આચાર નામો પણ જણાવ્યાં છે. તેમાંના ત્રીજા નામનો ઉપયોગ યોગદ્વહનની ક્રિયા કરતાં ઉદ્દેશાદિ કરવાના આદેશ બાલવામાં કરાય છે, ને “નાઝcવવવફા” અહીં “કપ” શબ્દથી જ હકલપસૂત્રનું ગ્રહણ કર્યું છે. બીજા બે નામોનો ઉપયોગ બહુ જ ઓછો થતો જણાય છે. જેમ દશવૈકાલિક સૂત્ર અને ઉત્તરાધ્યયનસૂત્રના નિર્યુક્તિ, ભાષ્ય, ચૂણિ અને ટીકાઓ મળી શકે છે, તેમ ૬ છેદસુત્રોમાં આ શ્રી બૃહકલ્પસૂત્રના નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા મળી શકે છે. જે સૂત્રની ઉપર આ ચાર સાધનો મળી શકતાં હોય, તેવાં સૂત્રો બહુ જ ઓછા જણાય છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદ નામના પૂર્વના ત્રીજા ભવા' નામે વસ્તુરૂપ વિભાગના વશમા પ્રાકૃતમાંથી ઉદ્ધાર કરીને આ શ્રી બૃહકલ્પસૂત્રની રચના કરી હતી. તે મૂલ સૂત્રનું પ્રમાણ ૪૭૩ કે જણાવ્યા છે, તેની પણ નિર્યુક્તિ તેમણે (શ્રીભદ્રબાહુ સ્વામીએ) રચી હતી, પણ તેની ઘણી ગાથાઓ શ્રી સંઘદાસ ગણિ ક્ષમાશ્રમણે કરેલા લઘુ ભાગ્યમાં ભળી ગઈ છે. કેઈ આચાર્યાદિ મહાપુરુષે નિર્યુક્તિ આદિના આધારે બૃહદુભાષ્ય લઘુભાષ્ય અને ચૂણિની રચના થયા બાદ રચ્યું છે. અને આ સૂત્રની બે ચૂર્ણિમાંની “કલ્પ વિશેષ ચૂર્ણિનું પ્રમાણ ૩૧૦૦૦ શ્લોકે, અને બીજી નાની ચૂર્ણિનું પ્રમાણ ૧ર૭૦૦૦ શ્લોકે જણાવ્યા છે. શ્રીમલયગિરિ ભાખ્યાદિને અનુસાર આ શ્રી બૃહકલ્પસૂત્રની અડધી પીઠિકા સુધીની ૪૬૦૦ શ્લોક પ્રમાણુ ટીકા બનાવી હતી. તે અપૂર્ણ રહેવાથી શ્રી ક્ષેમકીર્તિસૂરિજીએ વિ. સં૦ ૧૩૩ર માં “સુણાવવધ ટીઝા” નામ રાખીને બાકીની ૩૭૪૦૦ શ્લોક પ્રમાણ ટીકા પૂર્ણ કરી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy