SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દસૂત્રોનું સંક્ષિપ્ત પરિચય) ૬૭ના તેટલે અંશે તેઓ નાના પ્રાયશ્ચિત્તાદિથી પણ આત્મશુદ્ધિ કરી શકે છે. પણ જે કપટથી ગુરુની પાસે એમ કહે કે કેઈએ આ અપરાધ કર્યો હોય, તો તેનું પ્રાયશ્ચિત્ત શું આવે? આ રીતે બીજાનું નામ લઈને પ્રાયશ્ચિત્ત પૂછીને પોતે તે પ્રાયશ્ચિત્ત કરે, તો તેથી કંઈ ભૂલની શુદ્ધિ થાય જ નહિ. પણ આવા કાર્યને કરનારે જીવ શ્રી જિનશાસનને બેવડો ગુનેગાર થતો હોવાથી ગીતાર્થો તેને બમણું પ્રાયશ્ચિત્ત દઈને હિતશિક્ષા આપે છે કે આ રીતે કપટભાવે આલેચનાદિ કરનારા છો ઘણે કાલ સંસારમાં દુઃખી થાય છે. માટે હવે પછી આ રીતે આવું કાર્ય કરવું નહીં. ગીતાર્થને સામાના (પ્રાયશ્ચિત્તને લેનારના) ભાવ વગેરેની પરીક્ષા કરવાની જોખમદારી હોય છે. સર્વ પ્રભુશ્રી તીર્થકર દેવે બાર પર્ષદામાં કહેલી પ્રાયશ્ચિત્તાદિની બીના સાંભળીને એક ભવ્ય જીવે બહુ જ સરલતાથી બાળકની માફક ભરસભામાં (બારે પદાના જીવ સાંભળે તે રીતે) મહાદિને વશ થઈને પોતે કરેલા ઘણા અપરાધે જણાવીને કહ્યું કે “હે પ્રભુ! હું ઘણે પાપી જીવ છું. મોહ અજ્ઞાન વગેરેના પંજામાં સપડાયેલા મારા આત્માએ ઘણુવાર શીલખંડન વગેરે ભયંકર પાપો કર્યા છે. આપની દેશના સાંભળીને મને બહુજ પશ્ચાત્તાપ થાય છે કે “મારું શું થશે? આપ કૃપા કરીને પ્રાયશ્ચિત્તાદિ દઈને મારો ઉદ્ધાર કરે, હું આપ જેમ કહે તેમ કરવા તૈયાર છું. ? પ્રભુશ્રી તીર્થકરદેવે કેવલજ્ઞાનથી જાણ્યું કે “આ અપરાધી જીવ હૃદયના ખરા બળાપાથી સરલ સ્વભાવે ભરસભામાં પિતાના અપરાધો જણાવે છે. આ રીતે કહેનારા દહધમી છ બહુ જ વિરલા હોય છે. પ્રભુએ તેથી તે અપરાધી છવને કહ્યું કે “તે ભરસભામાં હૃદયના ખરા બળાપાથી સરલ સ્વભાવે મારી પાસે જે અપરાધો કહ્યા, તે કહેવા માત્રથી અપરાધોની શુદ્ધિ થઈ છે. બીજું કંઈ પ્રાયશ્ચિત્તાદિ કરવાની જરૂરિયાત છે જ નહીં. આ હકીકતનો સાર એ છે કે જેમ બાલક બાપની આગળ સરલ સ્વભાવે પવિત્ર હૃદયથી જે કહેવાનું હોય તે કહે છે, તે જ પ્રમાણે ગીતાર્થ ગુરુ મહારાજ વગેરેની આગળ અપરાધોને કહેવા રૂપ આલોચના વગેરે કરવાથી ગીતાર્થો તેના ગુણની અનુમોદના કરીને થોડું પ્રાયશ્ચિત્ત આપે છે. ને તેથી તે જીવ તે પ્રમાણે વર્તીને જરૂર ચા ક બને છે. આ તમામ બીનાનું મૂલ સ્થાન નવમું પૂર્વ છે. આ રીતે શ્રીનિશીથ સૂત્રને પરિચય બહુ જ ટૂંકામાં જણાવ્યો. ૨. શ્રીમહાનિશીથસૂત્ર–નિશીથ સૂત્રના મૂલ ગ્રંથનું પ્રમાણ ૮૧૨ શ્લોકે કહ્યાં છે, ને બીજા ગ્રંથોમાં ૯૫૦ શ્લોકે જણાવ્યા છે. તેની અપેક્ષાએ આ મહાનિશીથ સુત્રના મૂલ ગ્રંથનું પ્રમાણ લઘુ વાચનાને અનુસાર ૩૫૦૦ કે કહ્યા છે. ને મધ્યમ વાચનાને અનુસરે ૪૨૦૦ શ્લોકે કહ્યા છે તથા મોટી વાચનાનુસારે ૪૫૪૪ શ્લોક જણાવ્યા છે. આ રીતે મૂલ સૂત્રના પ્રમાણની અપેક્ષાએ નિશીથ કરતાં મહાનિશીથ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy