SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત નિંદા કરશે નહિ. કદાચ કોઇને નિંદા કરવાની ટેવ જ પડી હોય. ને તે તારી નિંદા કરે તે વિચારવું કે-એ છવ કર્મને વશ છે, મારામાં ભૂલ છે જ નહિ, તો મારે અહીંથી ચાલ્યા જવું ઉચિત છે, જેથી તેવાં વચનો સાંભળવા ન પડે, કારણ કે ત્યાં ઊભા રહેવાથી કદાચ પોતાને ક્રોધ પણ થઈ જાય, ને તેથી ચીકણાં અશુભ કર્મો બંધાય. आऋष्टेन मतिमता-तत्त्वार्थविचारणे मतिः कार्या ॥ यदि सत्यं कि कोपः स्यादनतं किं नु कोपेन ? ॥१॥ અર્થ–જેને ક્રોધ થયો હોય, કે થવાની તૈયારી હોય, તો બુદ્ધિમાન પુરૂષ સામાને ક્રોધ કરવાનું ખરૂં કારણ શું છે? તે સત્ય બીના વિચારવામાં બુદ્ધિને જોડી દેવી, એટલે સામે માણસ મારી ઉપર શાથી ક્રોધ કરે છે? તેને વિચાર કરે, ને અંતે સાચું કારણ પોતાની ભૂલ છે, એમ જણાય તો ક્રોધ કરનાર સામા માણસની ઉપર કેંધ કરવાની શી જરૂર છે? તારે તારી ભૂલ જ સુધારી લેવી. કદાચ વાત ખોટી જ છે એટલે તારી ભૂલ નથી, છતાં કોઇ કરે, તે પણ તને ક્રોધ કરવાથી શો ફાયદો છે, અર્થાત કંઈ લાભ છે જ નહિ. ને તારે વિચારવું કે “ર શુદ્રય મથે વવન' જે (નિર્દોષ) છે, તેને લગાર પણ ભય કોઈ પણ સ્થલે છે જ નહિ. મારા નિમિત્તે સામ માણસ નાહક ક્રોધ કરી ચીકણું કર્મ બાંધે છે, માટે મારે બીજે સ્થાને જવું ઉચિત છે. આ નિંદા કરનાર માણસ, પિતાના પાણી ને સાબુથી મારો મેલ ધોતે હોવાથી મારો તે મિત્ર છે, અને તેની ઉપર લગાર પણ દ્વેષ નથી, કહ્યું છે કે, “નિંદા અમારી જો કરે, મિત્ર અમારા સંય; બિન સાબુ બિન પાની, મેલ અમારા ધોય.” (૬) વ્યાવહારિક વાતચીત કરવાના અવસરે કે સજજન પુરૂષોના સમુદાયમાં બોલવાના પ્રસંગે બધાની આગળ હિતકારી, સાંભળનારને વહાલા લાગે તેવા, અને ખપ પૂરતા વચન બલવા, (૭) આત્મતત્વની વિચારણા કરવી. એટલે. ૧ હું કેણ છું? ૨ પાછલા ભવમાં કંઈ સારી પુયાઈ કરી હશે, એટલે પુણ્યની મૂડી એકઠી કરી હશે, ત્યારે હું આવી ઉત્તમ સ્થિતિને પામે છે, તે પુણ્યની મૂડી તો દિવસે દિવસે ઓછી થતી જાય છે, જેટલો ટાઈમ સુખ ભોગવાય, તેટલું પુણ્ય જરૂર ખાલી થયું એમ સમજવું. માટે સુખના સમયમાં ફૂલાઈશ નહિ, દુ:ખના સમયમાં હાયવોય કરવી નાહ, કારણ કે, ત્યારે તો પાપનો કચરો ખાલી થતો હોવાથી રાજી થવું જોઈએ. કહ્યું છે કે– कार्य: सम्पदि नानदः-पूर्वपुण्य भिदे हि सा ॥ વારિ વિષa-ar gurufuse inશા આને અર્થ ઉપર જણાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy