SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈનપ્રવચન કિરણવલી (શ્રી નંદીસૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૬૩૭ સર્વાનુગમય (ચારે અનુયેગની બીનાથી ભરેલું) પંચમાંગ શ્રી ભગવતીસૂત્ર તથા દેવવાચકે બનાવેલ શ્રીનંદીસૂત્ર અને શ્રી આવશ્યક તેમજ વિશેષાવશ્યક વગેરે ઘણાંએ આગમગ્રંથમાં આવું ઉત્તમ જ્ઞાન પાંચ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે-(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવલજ્ઞાન, આ બાબતમાં યુક્તિ પણ એમજ સ્પષ્ટ જાહેર કરે છે કે જેમ દુનિયાના પ્રકાશક (૧) સૂર્ય, (૨) ચંદ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર, ને (૫) તારા એમ પાચ પદાર્થો છે, તેન જ્ઞાન પણ પાંચ કહ્યાં છે. કારણ કે શ્રુતજ્ઞાનના દષ્ટાંતે પણ જ્ઞાન પ્રકાશક જ છે. પ્રકાશ અને જ્ઞાન આ બે શબ્દોમાં અર્થની અપેક્ષાએ તલભાર જુદાશ છે જ નહિ, એમ અહીં શરૂઆતમાં કહેલી “તાળ પચાસ હોમો તવો સંગનો કુત્તિ' (ઇત્યાદિ) વગેરે ગાથા જ જણાવે છે. આ પાંચે જ્ઞાનનું સ્વરૂપ, દૂકામાં ક્રમસર આ પ્રમાણે જાણવું:- ૧ મતિજ્ઞાન “વૃધે શાને “જાણવું' આ અર્થમાં મન ધાતુ વતે છે. તેથી અર્થ એમ કરવો કે “વિચારવું ? એનું નામ મતિ કહેવાય. અથવા જેનાથી પાંચ ઇંદ્ધિ અને મનની મદદ લઈ નિયત પદાર્થો સમજાય તે મતિજ્ઞાન કહેવાય. આનું રહસ્ય એ છે કે જેમાં શબ્દ અને અર્થની વિચારણાને અનુસરવાનું હોય, તે તો મુતજ્ઞાન કહેવાય છે. આનાથી મતિજ્ઞાનને જુદું પાડવાની ખાતર એમ કહ્યું છે કે શબ્દાર્થની વિચારણાવાળા જ્ઞાન સિવાયની ઈદ્રિય અને મનથી જે યોગ્ય દેશમાં રહેલા પદાર્થોની બીના જાણવી, તે મતિજ્ઞાન કહેવાય. પૂજ્ય શ્રીઅનુગદ્વાર સૂત્ર તથા આ શ્રીનંદીસૂત્રમાં પણ આ જ્ઞાનને “આભિનિબાધિક જ્ઞાન 2 એમ કહીને ઓળખાવ્યું છે. જુઓ આ રહ્યો તે પાઠ– " नाणं पंचविहं पण्णत्तं, तं जहा । आभिणिबोहियनाणं, सुयनाणं ओहिनाणं मणवज्जवनाणं केवलणाणं ।" પ્રશ્ન: આભિનિબાધિક શબ્દનો અર્થ સમજવો ? ૧. આ સત્રમાં છવાજીવ-લેક-અલેક-સ્વસમય–પરસમય વગેરેનું વિવિધ પ્રકારે સ્વરૂપ જણાવ્યું છે, તથા બીજાં સૂત્રો કરતાં આમાં વિશિષ્ટપણું એ છે કે જ્યારે શ્રી આચારાંગ વગેરેમાં શકે, અનાગનું વર્ણન કર્યું છે, ત્યારે આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણુકરણાનુયોગ, ધર્મકથાનુયોગ એમ ચારે અનુગની બીના કહી છે. શ્રીગૌતમ મહારાજા વગેરે ગણધરની બીના, શ્રી અતિમુક્ત મુનિરાજ વગેરેનું નિર્મલ જીવન બહુ જ વૈરાગ્યરંગ વધારે એ રીતે જણાવવા ઉપરાંત શ્રીગિકાનગરીના શ્રાવકનું અને જયંતી શ્રાવિકા વગેરેનું વર્ણન અપૂર્વ બોધ આપે એવું છે. ૨. આમાં સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયેત્સર્ગ, અને પ્રત્યાખ્યાન એ છે આવશ્યકેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy