SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૫૮૩ હતા. એમ શ્રીનેમિચરિત્રાદિમાં જણાવ્યું છે. કેટલાએકનું માનવું એ છે કે તે પ્રભુના મોટાભાઈ હતા. સમુદ્રવિજય વગેરે દશે ભાઈઓને પરિવાર બહુ જ વિશાલ હતા. કૃષ્ણ વાસુદેવને ત્યાં પાંડવોનું મોસાળ થાય, એટલે ઉંમરમાં પાંડવો નાના અને કૃષ્ણ વાસુદેવ મોટા હતા. આ કૃષ્ણ વાસુદેવ ઉગ્રસેન રાજાની પુત્રી અને કંસકુમારની બેન રામતી સાથે પ્રભુનો વિવાહ કરાવ્યો. શ્રાવણ સુદ છઠે લગ્નની તૈયારી થઈ. ઉગ્રસેન રાજાના મહેલના નજીકમાં લગ્નનો વરધોડે પહોંચતાં સારથિને પૂછ્યું કે આ દયાજનક શબ્દ કેના સંભળાય છે ? તેણે કહ્યું કે તમારા લગ્ન નિમિ આટલા પશુઓ એકઠાં કર્યા છે. તેમના આ શબ્દો સંભળાય છે. સારથિનાં વચનો સાંભળી દયાળુ પ્રભુએ રથને પાછો વળાવી વષીદાન દઈ દીક્ષા લીધી. અહીં આ તમામ બીના અને રાજમતીની દિક્ષા વગેરે બીના જણાવતાં રામતી સાધવીએ રથનેમિ મુનિને જે વૈરાગ્યમય ઉપદેશ દઈને સંયમમાં સ્થિર કર્યા તે બીના કહી છે. પ્રસંગે રામતીના જીવનની (૧) ૪૦૦ વર્ષોની ઉંમરે દીક્ષા લીધી, (૨) ૧ વર્ષનો છદ્મસ્થ પર્યાય, (૩) ૫૦૦ વર્ષો પ્રમાણ કેવલી પર્યાય. ૯૦ વર્ષ પ્રમાણ સર્જાયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધિપદ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. (૨૩, ત્રેવીસમાં શ્રી કેશીગૌતમીય અધ્યયનમાં શ્રી કેશગણધરે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો શ્રી ગૌતમસ્વામીએ આયા, તે બીના વિસ્તારથી કહી છે તેથી તે બંને નામથી આ અધ્યયન ઓળખાય છે. શ્રાવસ્તી નગરીમાં શ્રી પાર્શ્વનાથની પરંપરામાં થયેલા ચાર મહાવ્રતોની આરાધના સ્વરૂપ શ્રમણ ધર્મના સાધક કેશી ગણધર (કેશી નામના આચાર્ય) અને ચાર જ્ઞાનના ધારક શ્રી ગૌતમસ્વામી બંને ભેગા થયા, માંહમાંહે સુખશાતા પૂછી પ્રશ્નોત્તર સાંભળી રાજી થઈને કેશીગણધર પ્રભુ મહાવીરના શાસનમાં દાખલ થયા, એટલે પંચ મહાવ્રતોની આરાધનરૂપ શ્રમણ ધર્મના સાધક બન્યા. આ વખતે પર્ષદામાં આનંદ વત્તી રહ્યો હતો. આ પ્રશ્નોત્તરાદિની બીનાનો જે વિસ્તાર તે જ આનો સાર સમજવો. (૨૪) ચાવીશમા સમિતીય (સમિતિક) નામના અધ્યયનમાં પાંચ સમિતિ વગેરેનું વર્ણન કર્યું છે, તેથી આ અધ્યયન તે સમિતિના નામથી ઓળખાય છે. (૧) આઠ પ્રવચનમાતાનું યથાર્થ વર્ણન, પ્રસંગે સંયમનું વર્ણન કરતાં મુનિને ચાલવાની, બેલવા વગેરેની મર્યાદા, મન-વચન-કાયાના સંયમનું વર્ણન વગેરે હકીકતો અહીં સમજાવી છે. (૨૫) પચીશમા યજ્ઞીય નામના અધ્યયનમાં સાચા યજ્ઞનું વર્ણન કરેલ છે, તેથી આ અધ્યયન તે નામે ઓળખાય છે. અહીં ખરા યાજક (યજ્ઞ કરનાર), યજ્ઞ અને અગ્નિ તથા બ્રાહ્મણનું સ્વરૂપ કહીને વેદનું રહસ્ય, કર્મવાદની પ્રધાનતા અને શ્રમણ મુનિ તાપસની વ્યાખ્યા વગેરે બીના વિસ્તારથી વર્ણવી છે. આનો સાર એ છે કે જયઘોષ મુનિ અને વિજયષ બ્રાહ્મણની હકીકત જણાવવાના પ્રસંગે બ્રાહ્મણનાં ખરે લક્ષણે ને બ્રહ્મચર્યના ગુણ વગેરેનું વર્ણન પણ કર્યું છે. વિજયધોષ બ્રાહ્મણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy