________________
પ૭૪
શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત આહાર-પાણી વહેરે છે. આ રીતે જે આહાર-પાણી વહોરવા તે સમુદાનચર્યા કહેવાય ૩. મુનિએ અજ્ઞાતછને રહણ કરે છે, એટલે અપરિચિત (જેઓ મુનિને ઓળખતા નથી તેવા) ગૃહસ્થાના ઘેરથી પોતાને જોઈએ તે પ્રમાણે આહાર-પાણી વહેરે છે. ૪. પ્રતિરિક્તતા, મુનિઓ જ્યાં સંયમના બાધક પદાથે ન હોય ત્યાં રહે છે ને પ, પિતાને ખપ હોય તેટલી જ ઉપાધિ રાખે છે. ૬, કલહનો ત્યાગ કરે છે. ૭. જ્યાં ઘાંઘાટ થત હોય ને મુનિવરોનું અપમાન થતું હોય તેવા સ્થાનમાં રહેતા નથી. ૮, કોઈની પણ અખાઈ કરતા નથી. ૯. કાસર્ગને (દહની મમતાને દૂર કરાવનાર કાઉસ્સગ્ગને) કરે છે. ૧૦. સ્વાધ્યાય કરવામાં લીન રહે છે. ૧૧. ચહસ્થને “આ પાટલા વગેરે મને વહરાવવા » એવી પ્રતિજ્ઞા કરાવતા નથી. ૧૨. મમતાને છડે છે. ૧૩. અસંયત નું વૈયાવચ્ચ કરતા નથી. આ તમામ બીનાઓ તથા પ્રસંગેઅનુપ્રસંગે જણાવેલી બીજી પણ બીના વિસ્તારથી સમજાવીને સાધુ-સાધ્વીઓને કરવા લાયક કૃતાકૃતાદિની વિચારણા આ પ્રમાણે જણાવો છે : ૧. હે જીવ! તે જ્ઞાનાદિની આરાધના વગેરે કાર્યોમાંથી કેટલાં કાર્યો કર્યા? ને કેટલાં કાર્યો બાકી રહ્યાં? ર. તું જે કાર્યો હાલ કરી શકાય તેવાં છે તે ગુરુ વિનયાદિમાંનાં કયાં કયાં કાર્યો કરતો નથી? કયા કયા કારણથી કેવી કેવી ભૂલ થઈ ગઈ છે? ઇત્યાદિ પ્રકારે વિચારીને પ્રમાદથી આરાધનામાં ન્યૂનતા થતી હોય, તો તે અપ્રમત્ત બનીને દૂર કરે. થતી ભૂલોને સુધારીને સંયમસાધનામાં સાવધાન બને.
આ રીતે આત્માને સાચવનાર સાધુ સાધ્વીઓ પરમ ઉલાસથી નિર્મલ સંયમાદિની સાવિત્રી આરાધના કરીને સિદ્ધિપદને પામે છે.
ચૂલિકાઓનો પરિચય આ શ્રીરતિવાકય ચૂલિકા અને વિવક્તચર્યા ચૂલિકા તથા શ્રીઆચારાંગસૂત્રની ભાવનાધ્યયન, ચૂલિકા ને વિમુક્તિ અધ્યયન ચૂલિકાની બાબતમાં કલિકાલસર્વા શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજે પરિશિષ્ટપર્વના ૯મા સર્ગના ૭મા-૯૮મા શ્લોકમાં કહ્યું છે કે આ ચારે ચૂલિકાએ શાસનદેવતાની સહાયથી મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીની પાસે ગયેલા જયેષ્ઠા સાધ્વીને શ્રી સીમંધરસ્વામીજીએ કહી હતી, તે યાદ રાખીને અહીં આવી શ્રી સંઘને તે બીના જણાવતાં પૂર્વધર મહાપુરુષોએ પહેલી બે ચલિકાને દશવૈકાલિક સૂત્રના અંતે સ્થાપના કરી. છેલ્લી બે ચૂલિકાને આચારાંગસૂત્રમાં સ્થાપના કરી. આથી સમજાય છે કે જયારે શયંભવસૂરિજીએ આનો ઉદ્ધાર કર્યો ત્યારે આ બે ચૂલિકાએ હતી નહીં, આ રીતે જેમનું આયુષ્ય ફક્ત ૬ મહિના જેટલું બાકી હતું તે મનકમુનિ ૬ મહિનામાં આ દશવૈકાલિક સૂત્ર ભણીને આરાધક થયા. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org