SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ૧૩ ગણિતાનુયોગના અભ્યાસાદિથી દર્શન અને જ્ઞાનની નિ`લતા વગેરે થાય છે, ને ચરણ કર્ણાનુયોગના અને ધમ કથાનુયાગના અભ્યાસાદિથી નિ`લ ચારિત્રની આરાધના વગેરે ફૂલ પામી શકાય છે. આ કારણથી પણ ચારે અનુયાગના ભાવ ભિ ત દેશના, અને તેવી જ સૂત્રોની રચના નિહેતુક નથી જ. આવું પવિત્ર શ્રી જિનપ્રવચન મહામહિમાનું નિધાન છે, અને અપૂર્ણાં તત્ત્વાનું યથાર્થ સૂક્ષ્મ જ્ઞાન, વિદ્યા મંત્ર અને વૈરાગ્યાદિ પવિત્ર ભાવનાદિ સ્વરૂપ, આત્મનિમલતાના અસાધારણ સાધના વગેરે ભાવનાને પણ ખજાના છે. બીજા ગ્રંથામાં આ શ્રીજિનપ્રવચનને જૈન દર્શીન, સ્યાદ્વાદ દર્શન, અનેકાંત દન, અપેક્ષાવાદ, વગેરે નામથી ઓળખાવ્યુ છે, તે હાલ પણ વિશ્વમ’ડલમાં વિજયધ્વજ ફરકાવી રહ્યું છે, ને સત્યા દર્શીક તથા વિશ્વવ્યાપી છે. માટે જ જૈન પ્રવચન બીજા ધર્માંનાં શાસ્ત્રો કરતાં શ્રેષ્ઠ ગણાય, એ વ્યાજખી જ છે. કારણ કે તે જ (જૈન પ્રવચન) બીજા' તમામ દાનાને કોઈ ના પણ પક્ષ લીધા સિવાય ચેાગ્ય ઇન્સાફ દેવાને સમર્થ છે. માટે જ આ જૈન પ્રવચનનું “ નિષ્પક્ષ પ્રવચન । નામ પણ સુપ્રસિદ્ધ છે. તથા તે જ તમામ પદાર્થોના દ્રવ્યગુણપર્યાયાની સાચી અને સંપૂર્ણ ીના નિષ્પક્ષપાતભાવે જણાવે છે. આવા આવા અનેક મુદ્દાઓથી તેની સમસ્ત વિશ્વમ’ડલમાં વિજય ધ્વજા ફરકી રહી છે, અને આ. શ્રી જૈન પ્રવચનની સાથે હરિફાઈ કરી શકે તેવુ' એક પણ પ્રવચન છે જ નહિ. માટે જ આ શ્રી જૈન પ્રવચન અદ્વિતીય (અજોડ) કહેવાય છે, અને દરેક પટ્ટાના પૂરેપૂરા તત્ત્વમેધ મેળવવાને માટે જેમ બીજાં સાધનાની જરૂર પડે છે, તેવી રીતે અપેક્ષાજ્ઞાનની તેથી પણ વધારે જરૂરિયાત જણાય છે. આવી તમામ અપેક્ષાઓની તરફ લક્ષ્ય રાખી સચાટ વસ્તુતત્ત્વને સમજાવનારું આ એક શ્રી જૈન પ્રવચન જ છે, માટે તે સ્યાદ્વાદ દર્શન ! આવા નામથી પણ ઘણાં સ્વપર શાસ્ત્રોમાં ઓળખાય છે. બીજાએ જેમ કહે છે તેમ આ જૈન પ્રવચન એમ પણ નથી કહેતું કે, આત્મા વગેરે પદાર્થોનુ અને ધર્માસ્તિકાયાદિનું સ્વરૂપ આમ જ છે. આ મુદ્દાથી આ શ્રી જૈન પ્રવચનને અનેકાંત દર્શન' પણ કહી શકાય. આ ભામતમાં વિવિધ પ્રકારે પદ્મા તત્ત્વને સચાટ સમજાવવાને સંસ્કૃતાદિ ભાષામાં સાડી ત્રણ ક્રોડ શ્લાક પ્રમાણ ત્રિòિશલાકા—પુરૂષચત્ર તથા હ્રયાશ્રય કાવ્યાદિ વિવિધ ગ્રંથાની રચના કરીને સમસ્ત વિન્ધમ ડલમાં જે મહાસમ પ્રતિભાશાલી મહાપુરૂષે અનહદ ઉપકાર કર્યાં છે, તેમજ જેમના સત્રમાં પુનાની ડેન કોલેજના પ્રોફેસર, ડા૰ પીટર્સને કોલેજમાં ભણતા વિદ્યાથી એની પાસે ભાષણ કરવાના પ્રસંગે આ પ્રમાણે જણાવ્યું હતુ કે, “હું મારા વ્હાલા વિદ્યાથીએ ! આજે હું જે મહાપુરૂષનું જીવનચરત્ર કહેવાને તમારી આગળ ઉપસ્થિત થયા છું તે આદશ જીવનચરિત્રને સાંભળવામાં તમે લગાર પણ બેદરકારી રાખશેા નિહ. જો કે તે મહાપુરૂષ તમારા ધર્માંના (બ્રાહ્મણ ધના) ન હતા, તેા પણ મારે નિખાલસ હૃદયથી કહેવુ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy