SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ SK શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત પૂજ્ય મહાપુરૂષોને. નમસ્કાર છે તે પરમારાથ ભગવંતને તથા તેઓશ્રીના પ્રવચનને. આવા પ્રભાવશાલી પવિત્ર પ્રવચનમાં ભવ્ય જીવોને બાધ પમાડવાના જે દ્રવ્યાનુયોગાદિ અનેક સાધને કહ્યાં છે, તે વ્યાજબી જ છે. કારણ કે જેમ રેગે જુદા જુદા પ્રકારના હેવાથી, તે બધા રંગેના પ્રતીકાર (ઈલાજ) રૂપ એસડે પણ જુદા જુદા હોય છે, તેવી રીતે જીવોની અધ્યવસાય–પરિણતિ પણ જુદી જુદી હોવાને લઈને કાયિક ચેષ્ટાઓ, અને વાચિક ભાષામાં પણ ફેરફાર દેખાય છે. તેવા જુદા જુદા અધ્યવસાયવાલા, અને જુદાં જુદાં વચને બેલનાર, તથા જુદી જુદી ચેષ્ટાઓવાલા ને બેધ પમાડવાના પ્રકારે પણ એકસરખા નહિ, પણ જુદા જુદા જ હેવા જોઈએ, કારણ કે, વચનભેદનું અને પ્રવૃત્તિભેદનું મુખ્ય કારણ જે વિભાવદશાની અધ્યવસાય-પરિણતિ, તે જ દરેક જીવની એક સરખી નથી, પણ જુદી જુદી જ છે. વળી દ્રવ્યોગ કે ભાવગ પણ નિર્મલ અધ્યવસાયોમાં ફેરફાર થવાથી જ થાય છે, એટલે મલિન અધ્યવસાયોને લઈને દ્રવ્યોગ અને ભાવરોગ પ્રગટ થાય છે. તેમાં પણ ભાવરોગ જે રેગાદિમય પરિણતિ, તેને લઈને જ પ્રત્યક્ષ દેખાતા દ્રવ્યોગ પ્રકટે છે, ને વધે છે. આ બાબતમાં અન્ય દનીની ગીતા પણ સંમત છે. (ટકે આપે છે) ત્યાં કહેલ છે કે, છને વિષયાદિનાં સાધનોની ચિંતવના કરવાથી જ જીવતાં છતાં મરેલાંના જેવી સ્થિતિને અનુભવ કરવાનો સમય આવે છે. આ જ કારણથી પૂજ્ય શ્રી ગણધર ભગવંતોએ જ્ઞાનોપયોગથી અનેક સાધનોની જરૂરિયાત જાણી, તેથી જ શ્રી તીર્થંકરદેવ પાસેથી, જેવી ચારે અનુયોગના અથ ગર્ભિત દેશના સાંભળી હતી, તેવા જ રૂપમાં સૂત્રોની રચના કરી. એટલે. ૧ શ્રી તીર્થકર ભગવંતે એક જ અનુગના અર્થગર્ભિત દેશના કેમ ન આપી? અને ૨ શ્રી ગણધરેએ તેવા જ રૂપમાં સૂત્રરચના કેમ ન કરી? આ બે પ્રશ્નોનું સમાધાન વિસ્તારથી પહેલાં સમજાવ્યું. છતાં તેનું રહસ્ય યાદ રાખવું જોઈએ કે, જેમ એક જ ઔષધથી વિવિધ રોગોનો નાશ ન થઈ શકે, તેવી રીતે એકજ અનુગિના અર્થગભિત એવી દેશનાથી અથવા તેવી સૂત્રરચનાથી જુદી જુદી ભાવનાવાળા દરેક જીવને બંધ અશકય છે, માટે ચારે અનુયોગોની અર્થગર્ભિત દેશના અને તેવી જ સૂત્રોની રચના સહેતુક જ (વ્યાજબી) છે. તથા જેવી રીતે અસંખ્યાતા ગુણસ્થાનકે છતાં મુખ્યપણે ૧૪ ગુણસ્થાનકે કહ્યા, તેવી જ રીતે વધારે અનુયોગ ન કહેતાં ચાર જ અનુયોગે કહેવામાં સમજી લેવું. તથા જૂદા જૂદા પદાર્થોને જાણવાની પ્રકટ થયેલી જૂદી જૂદી જિજ્ઞાસારૂપી પિપાસાને શાંત કરવાને માટે સાધન પણ જુદા જુદા જ હોવા જોઈએ. દાખલા તરીકે કોઈને ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું સ્વરૂપ સમજવાની રૂચિ થાય. કેઇને ગણિતનું કે ચરણાનુયોગનું કે ધર્મકથાનુગનું સ્વરૂપ જાણવાની રૂચિ થાય, આવા હેતુથી પણ ચાર અનુયોગો કહેલા છે. માટે જ ચાર અનુયાગો પૈકી દરેક અનુયોગનું ફલ પણ જુદું જુદું કહેલ છે. દ્રવ્યાનુયોગના અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy