SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી (શ્રી ઓથ નિર્યુક્તિને ટૂંક પરિચય) ૫૪૫ ઝાળી, ઉપરનો ને નીચેનો ગુચ્છો, તથા પંજણી આદિનું પ્રમાણ અને પ્રોજન વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે પહેલાં (ઝેળીની ઉપર ઢાંકવામાં આવે તે)નું સ્વરૂપ, અને મુનિઓ, શિયાળામાં ૪પલાં, તથા ઉનાળામાં ૩ તેમજ ચોમાસામાં પાંચ પલ્લાં વાપરે છે તે બીના, અને પહેલાંનું તથા રજસ્ત્રાણ, વસ્ત્ર, રજોહરણ, (ધર્મધ્વજ, ઘો) મુખવબ્રિકા (મુહ પત્તિ, ) માત્રક, ચાલપટ્ટ, સંસ્તારક (સંથારીઉં), ઉત્તરપટ્ટક (ઉત્તરપટ્ટો); આઘાની અંદરની નિષદ્યા (પાઠું) આ રીતે ૧૦ ઉપધિનું પ્રમાણુ અને પ્રજન, તેને વાપરવાનો વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી ચોમાસા વગેરેમાં ઊનની કામળી વગેરેને રાખવાનો ને વાપરવાની વિધિ તથા ચમકેશક, દંડક્ટિ વગેરેનું લક્ષણ, સ્વરૂપ, પ્રમાણ, પ્રોજન વગેરે હકીકત જણાવીને કહ્યું છે કે જે પદાર્થ સંયમાદિ–મોક્ષમાર્ગની આરાધના કરવામાં મુનિને ઉપકાર (મદદ) કરે તે ઉપકરણ કહેવાય. આ રીતે ઉપકરણની વ્યાખ્યા જણાવીને તેને ધારણ કરવાની (વાપરવાની) રીતિ (વિધિ) કહી છે. પછી અનુક્રમે જ્ઞાની અજ્ઞાની અને પ્રમત્ત જીવોથી થતી હિંસામાં તફાવત જણાવીને કહ્યું છે કે નિશ્ચય નયના મતે હિંસાના પરિણામવાળા આત્મા જ હિંસા છે, ને અહિંસાના પરિણામવાળે આમા જ અહિંસા છે. તથા અપ્રમત્ત આત્મા અહિંસક છે, તેમજ પ્રમત્ત આમા હિંસક છે. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને જણાવ્યું છે કે હિંસાને દોષ લાગવામાં પરિણમની મુખ્યતા છે. જયણા સાચવનાર મુનિને કદાચ અજાણતાં વિરાધના થાય, તો પણ તે કર્મનિર્જરાતિ કલને પામે છે. નિશ્ચયનયના મતે મનના ભાવ એ જ પ્રમાણ ગણાય છે. તેમજ પ્રતિલેખના વગેરે બાહાકરણ એટલે કરણ સિત્તરિની આરાધના કરવામાં આલસ કરનાર મુનિએ ચારિત્રને સાચવી શકતા નથી. આ બધી બીના સ્પષ્ટ સમજાવીને અંતે કહ્યું છે કે વિધિમાગનો સાધક આત્મા આયતન કહેવાય છે. એટલે તે મોક્ષ માગને સાથે છે, ને બીજાને સાધવામાં મદદગાર બનીને સ્વપતારક થાય છે. આ રીતે ઉપાધિદ્વારને ટૂંક પરિચય પૂરો થયો. ૪. અનાયતન વર્જન દ્વારને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં અનાયતનના સ્વરૂપ અને પર્યાયવાચક શબ્દો, તથા તેની એવનાથી થતી જ્ઞાનાદિ ગુણેની હાનિ, તેમજ ભાવુકનું ને અભાવુકનું સ્વરૂપ વિસ્તા. રથી સમજાવ્યું છે, પછી અનુક્રમે દ્રવ્ય-આયતનાદિનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે શ્રી જિનમંદિર ઉપાશ્રય વગેરે દ્રવ્યાયતન કહેવાય અને દર્શન ગાન ચારિત્ર ભાવથી આયતન કહેવાય. જ્યાં શીલવંત બહુત આત્માઓ ભેગાં મળીને ધાર્મિક વિચારોની આપ લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy