SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૫૩૫ ગુણાનુ વર્ણન કરીને ઉત્તર ગુણાનું વર્ણન કરતાં પ્રત્યાખ્યાનના (૧) અનાગત પ્રત્યાખ્યાન, (ર) અતિક્રાંત પ્રત્યાખ્યાન વગેરે ૧૦ ભેદ્યાનુ સ્વરૂપ વિસ્તારથી સમજાવતાં કહ્યું છે કે જે અંગુષ્ઠ પ્રત્યાખ્યાન, મુષ્ટિ પ્રત્યાખ્યાન વગેરે પ્રત્યાખ્યાના તે સંકેત પ્રત્યા ખ્યાન કહેવાય અને જે પૌરૂષી વગેરેનાં પ્રત્યાખ્યાના તે અદ્ધા પ્રત્યાખ્યાન કહેવાય. આ તમામ મીના વિસ્તારથી સમજાવીને ૬ શુદ્ધિનું અને શ્રદ્ધાન વગેરેનું સ્વરૂપ તથા નાકારશીના પ્રત્યાખ્યાનનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. પછી કહ્યું છે કે શબ્દ કરતાં મનના ભાવ એ વધારે પ્રમાણભૂત ગણાય છે. એટલે પ્રત્યાખ્યાન લેતાં તે લેનારના મનમાં જે પ્રત્યાખ્યાન લેવાની ભાવના હેાય, તે જ પ્રત્યાખ્યાન તેણે લીધું કહેવાય. અશ્રવણ (નહિ સાંભળવુ) વગેરે કારણેામાંના કોઈ પણ કારણથી પ્રત્યાખ્યાનના દેનારા શ્રી ગુરુ મહુારાજ વગેરે કદાચ બીજુ પ્રત્યાખ્યાન આપે, તેા પણ પ્રત્યાખ્યાનના લેનારને તે કરવાનું હોય જ નહિ. કારણ કે તે આપેલા પ્રત્યાખ્યાનને કરવાની ભાવના જ પ્રત્યાખ્યાન લેનાર ભવ્ય જીવના મનમાં વત્ત`તી નથી. માટે જ પ્રત્યાખ્યાન ભાષ્યમાં શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે કે વલોથિ વમાળે, ન માળ યંન્નઇના ” એટલે પ્રત્યાખ્યાનને લેનારા ભવ્ય જીવાના ઉપયોગ એ જ પ્રમાણ તરીકે ગણાય, પણ શબ્દની સ્ખલના (ફેરફારી) એ પ્રમાણભૂત (વાજમી ) ગણાય જ નહિ. આ હુકીકત વિસ્તારથી કહીને ? જપ્તિયં, ૨ પાટિય, રૂ મોËિ, છ તીથૅ, ધ ટ્ટિય, ૬ ઝાચિં, આ ૬ પાના સ્પા સમજાવ્યા છે. પછી અનુક્રમે પ્રત્યાખ્યાનનું ફૂલ ( આશ્રવ દ્વારાને રોકવા વગેરેથી માંડીને અંતે માક્ષરૂપલ) અને પ્રત્યાખ્યાનના આગારાની ીના તથા પૌરૂષી ( પારસી )ના અને એકાશન (એકાસણાં )ના પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તેમ જ વિકૃતિ (વિગઈ)ના, તથા અભિગ્રહના ભેદ્યા વગેરે હકીકત સ્પષ્ટ સમજાવીને વિગઈના પ્રત્યાખ્યાનમાં આવતા આઠ અને નવ આગાર નુ સ્થાન (એટલે આઠ આગારે કારે એલાય ? ને નવ આગારા કયારે ખેલાય ? આ હકીકત ) અને નીવી (નિવિકૃતિક)ના પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તથા આયખિલના ભેદ્યા, તેમ જ નીવિયાતા વગેરેના ને પારિષ્ઠાપનિકાના વિચાર વગેરેનું વણ ન વિસ્તારથી કર્યુ છે. પછી અનુક્રમે પારિષ્ટાનિકા ( પરઠવવા લાયક પદ્યાર્થીને પરઠવવા )ના વિધિ, અને પ્રત્યાખ્યાનને લેનારા વે અને આપનારા ગુરુમહારાજ વગેરે અને પ્રત્યાખ્યાનના સ્વરૂપના જાણકાર હાય તા પ્રત્યાખ્યાનના લેનાર જીવનું પ્રત્યાખ્યાન શુદ્ધ કહેવાય છે. અહીં પ્રત્યાખ્યાનના લેનાર જીવ જાણકાર ન હેાય, પણ દેનાર ગુરુ વગેરે જાણકાર હોય. આ બીજો ભાંગા જાણવા. તથા દેનાર ગુરુ વગેરે જાણકાર ન હોય, પણ લેનાર જીવ જાણકાર હાય. આ ત્રીજો ભાંગેગા જાણવા, તેમ જ લેનાર અને દેનાર, અને જાણકાર ન હેાય. આ ચેાથા ભાંગા જાણવે. આ રીતે પ્રત્યાખ્યાનના લેનારની ને દૈનારની ચભ’ગી સ્પષ્ટ સમજાવીને પ્રત્યાખ્યાનના કરનારનુ ને દૈનાર ગુરુ મહારાજ વગેરેનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy