SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૧ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) સ્વરૂ૫, તથા ધ્યાનના ભેદ, તેનું ફલ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. ત્યાર પછી સંસારને વધારનાર આર્તધ્યાનના ભેદો, અને પ્રશસ્ત આલંબનને સેવનાર મુનિમાં તેને અભાવ, તથા તેના (આધ્યાનના) સ્વામી કહીને જણાવ્યું છે કે આ આdધ્યાન સંસારમાં રઝળાવનારું અને લશ્યાનું નિમિત્ત કારણ છે. પછી રૌદ્ર સ્થાનના ભેદ, સ્વામી વગેરે બીના કહીને ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ણવતાં તેની ભાવના અને તેને લાયક દેશ, કાલ તથા આસન, તેમ જ આલંબન વગેરેનું સ્વરૂપ કહીને ધર્મધ્યાનના ધ્યાતા, ધ્યાન કરવા લાયક પદાર્થ અને અનુપ્રેક્ષા, તથા ફલ તેમ જ તેની પ્રશસ્ત લેગ્યામાં નિમિત્તતા વગેરે હકીકતો વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર જ્ઞાનાદિની ભાવના અને ધર્મધ્યાનના સ્થાન, કાલ, આસન, તથા તેનાં વાચના વગેરે આલંબને, તેમ જ આજ્ઞાવિચય, વિપાકવચય વગેરે ૪ ભેદે વર્ણવતાં રાગાદિથી થતા ગેરલાભ, અને કર્મપ્રદેશના વિચાર, તથા લોકના સ્વરૂપની વિચારણું (તેમાં ઊર્થે લોકાદિનાં લક્ષણ સંસ્થાન વગેરે) તેમ જ જીવનાં લક્ષણ વગેરે વિસ્તારથી જણાવ્યાં છે. પછી કહ્યું છે કે વ્રતની સાધના રૂપ વહાણથી સંસાર સમુદ્રને તરી શકાય છે. આવું જે વિચારવું તે પણ એક પ્રકારનું ધર્મધ્યાન જ છે. કષાયાદિને ક્ષય કે ઉપશમ કરનારા જ ધર્મધાનના સ્વામી (ધ્યાતા) અને પૂર્વધરે અને કેવલી ભગવંત શુકલ દાનના સ્વામી જાણવા. ધ્યાન પૂરું થાય, ત્યારે બાર ભાવના ભાવવી જોઈએ. તેમ જ દઢ શ્રદ્ધા વગેરે ગુણે જોઈને ધર્મધ્યાનાદિને નિર્ણય થઈ શકે છે, તેથી ધર્મધ્યાનાદિનાં શ્રદ્ધા વગેરે લિંગ (ચિહ) કહ્યાં છે. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને કહ્યું કે શુકલ યાનનાં ક્ષમા વગેરે આલંબનો છે, અહિંસા વગેરે લિંગ (ચિહ્ન) છે, અને કેવલી ભગવંતને શુકલધ્યાનના છેલ્લા બે ભેદો ધ્યાવવાના બાકી છે. આ બીના સ્પષ્ટ સમજાવી ગનિરોધ, અને આશ્રવઠારાદિની અનુપ્રેક્ષા તથા શુકલેશ્યાનું સ્વરૂપ, તેમ જ ધર્મધ્યાનમાં અને શુકલધ્યાનનાં ફલ વિસ્તારથી વર્ણવ્યાં છે. આ રીતે ધ્યાનશતકને સંક્ષિપ્ત પરિચય પૂરે થયે, દયાનશતક પૂરું થયા બાદ ક્રમસર પાંચ ક્રિયાનું ને શબ્દાદિ પાંચ કામગુણનું વર્ણન કરીને ઈર્યાસમિતિ વગેરે પાંચે સમિતિનું સ્વરૂપ દષ્ટાંત આપીને વિસ્તારથી સમજાવ્યું છે. પછી નિયુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામી મહારાજે પારિષ્ઠાપનિકા સમિતિનું સ્વરૂપ જણાવતાં સાધુ સાધ્વી કાલધર્મ પામે ત્યારે તે વખતે કરવા લાયક વિધિ અને પ્રતિલેખના વગેરે ૧૬ દ્વારેનું વર્ણન, તથા મહાÚડિલની પડિલેહણાનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે, પછી અનુક્રમે (૧) ૬ જીવ નિકાયનું સ્વરૂપ જણાવી (૨) ૬ લેશ્યાનું સ્વરૂપ જણાવતાં જાંબુ ખાનારા જીવોનું ને ગામને લૂંટવા નીકળેલા ૬ પુરુષોનું દૃષ્ટાંત સમજાવ્યું છે. (૩) તે પછી ૭ ભય અને ૮ મદ, (૪) નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ, (૫) યતિધર્મના ૧૦ ભેદો, (૬) શ્રાવકની ૧૧ પ્રતિમાઓ, (૭) ૧૨ સાધુની પ્રતિમાઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy