SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પરવ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત સ્થાપ્યા. ત્રિપદી સાંભળીને અગિયાર અંગેાની રચના કરવામાં સમ અને ચતુર્ગાની એવા શ્રી અગ્નિભૂતિ મહારાજ છદ્મસ્થપણામાં ૧૨ વર્ષ રહ્યા એટલે ૫૮ વર્ષ વીત્યા બાદ પ૯ મા વર્ષોંની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેલિપર્યાય આરાધી, ૭૪ વર્ષીનું સંપૂર્ણાંયુ પૂરુ કરી, વૈભારગિરિ ઉપર પાાપગમન અનશન કરવા પૂર્વક માસક્ષમણ કરી, તેએ નિર્વાણ પામ્યા. તેમના સંઘયણ, દેહ રૂપ વગેરેની ભીના શ્રી ઇંદ્રભૂતિજીના ચરિત્ર પ્રમાણે સમજવી. ૩. વાયુભૂતિ ગણધર ત્રીજા ગણધર મહારાજા તે પહેલા અને મીજા ગણધરના સગા ભાઈ થાય, તેથી માતાપિતાનાં નામ પૂર્વની માફ્ક જાણવાં. તેમના જન્મ તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં થયા હતા. તેઓ ચૌદ વિદ્યાના પારગમી બન્યા હતા. તેમને આ શરીર છે તે જ આત્મા છે કે શરીરથી અલગ આત્મા છે, ” આ સંશય હતા. પ્રભુશ્રી વીરના સમાગમથી તે સ ંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્યા સહિત, પૂર્વે` કહેલી તિથિએ, ૪૧ વર્ષના ગૃહસ્થ પર્યાય વીત્યા બાદ, તેમણ પ્રભુ પાસે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છદ્મસ્થપણામાં રહી, પ૩મા વર્ષની શરૂઆતમાં તેઓ સજ્ઞ થયા. ૧૮ વર્ષાં કેવલીપણે વિચરી ૭૦ વનું સર્વાયુ પૂરૂં કરીને પ્રભુની હયાતિમાં તેઓ નિર્વાણ પામ્યા. બાકીની મીના પૂર્વની માફ્ક જાણવી. ૪. શ્રી વ્યકત ગણધર આ શ્રી વ્યકત ગણધર મહારાજા કોલ્લાક ગામના રહીશ, અને ભારદ્વાજ ગાત્રના પિતા ધનમિત્ર અને માતા વારૂણીના પુત્ર હતા. તેમના જન્મ મકરરાશિ અને શ્રવણ નક્ષત્રમાં થયા હતા. શ્રી ઇંદ્રભૂતિજીની માફ્ક ૫૧ મા વર્ષોંની શરૂઆતમાં પાંચ ( પૃથ્વી આદિ ) ભૂત છે કે નહિ ? ” આ સંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્યા સહિત તેમણે પ્રભુશ્રી વીરની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી અગ્નિભૂતિની માફેંક ૧૨ વર્ષ પ્રમાણ છદ્મસ્થ પર્યાય પાલી ૬ર વર્ષની ઉંમર વીત્યા બાદ ૬૩મા વર્ષની શરૂઆતમાં તે કેવલજ્ઞાન પામ્યા. ત્રીજા ગણધરની માફક ૧૮ વર્ષ સુધી કેવલીપણે વિચરી પ્રભુ શ્રી વીરની હયાતિમાં સર્વાંચુ ૮૦ વર્ષનું પૂર્ણ કરી મુક્તિપદ પામ્યા હતા. બાકીની મીના પૂર્વીની જેમ જાણવી. ૫. શ્રી સુધર્મારસ્વામી ગણધર આ પાંચમા ગણધર સુધર્માસ્વામીજી કાલ્લાક ગામના રહીશ અને અગ્નિવેશ્યાયન ગાત્રમાં જન્મેલા એવા પિતાશ્રી ધનમિત્ર વિપ્ર અને માતા ભધેિલાના પુત્ર હતા. કન્યારાશિ અને ( પ્રભુ શ્રીવીરનું જે જન્મ નક્ષત્ર હતું તે) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy