SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત સંક્ષેપ કરવાના ઇરાદાથી તેમણે ર૨૦૦૦ શ્લોક પ્રમાણ વૃત્તિ રચી હતી. એમ છાપેલી બાવીશ હજારી નામથી ઓળખાતી આવશ્યક બૃહદવૃત્તિની શરૂઆતના ભાગની ટીપણીમાં કહ્યું છે. (૨) આ બાવીશ હજારી ટીકામાંનાં કેટલાંક કઠિન પદનું રહસ્ય સમજાવવાના ઇરાદાથી માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે ટિપણની સંકલના કરી છે, તે છપાઈ છે. તેનું પ્રમાણ ૪૬૪૦ શ્લેકે કહ્યું છે. (૩) પ્રસિદ્ધ ટીકાકાર શ્રીમલયગિરિ મહારાજે પણ મૂલ ટીકા (બાવીશ હજારી) વગેરેના આધારે ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા બનાવી હતી. તે હાલ સંપૂર્ણ મળી શકતી નથી. અપૂર્ણ ટકા ત્રણ ભાગમાં સુરતની આગમોદય સમિતિએ છપાવી છે. (૪) શ્રીતિલકસૂરિએ વિસં. ૧૨૯૬માં ૧ર૩રપ લેક પ્રમાણ લઘુ ટીકા રચી છે, તે છપાઈ નથી. (૫) અવસૂરિનાં ૧૨૬ પાનાં છે. તેના કર્તા જણાવ્યા નથી. (૬) શ્રીનેમિ સાધુએ વિ. સં. ૧૧ર૩માં સાધુ પ્રતિક્રમણાદિ ૬ પ્રકારના આવશ્યક સૂત્રની વૃત્તિ રચી હતી. (૭) શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે ૬૩ ગાથા પ્રમાણુ ચૈત્યવંદન ભાષ્યની, ૪૧ ગાથા પ્રમાણ ગુરુવંદન ભાષ્યની ને ૪૮ ગાથા પ્રમાણ પ્રત્યાખ્યાન ભાષ્યની રચના કરી હતી. તેમાંના ચૈત્યવંદન ભાષ્યની ૮૫૦૦ શ્લોક પ્રમાણુ ટીકા શ્રીધર્મઘોષસૂરિ મહારાજે બનાવી. તે સંઘાચારભાગ્ય નામે ઓળખાય છે. આ ટીકા અને ત્રણ ભાષ્ય અર્થ સાથે છપાયા છે. (૮) ખરતરગચ્છીય શ્રીતરુણપ્રભસૂરિએ વિ૦ સં. ૧૩૩૧ માં ૭૦૦૦ શ્લોક પ્રમાણુ ચૈત્યવંદનાસૂત્રવૃત્તિ બનાવી તેનું બાલબાધા ? બીજું નામ છે. ચૈત્યવંદન કરતી વખતે બેલાતાં સૂત્રોની જ આ વૃત્તિ છે, એમ જણાવવા માટે ચૈત્યવંદનાત્રવૃત્તિ નામ રાખ્યું છે. (૯) ગાથાબદ્ધ શ્રી ચૈત્યવંદના વિચાર' નામના ગ્રંથમાં ચૈત્યવંદના કરવામાં જરૂરી સૂત્રોની વ્યાખ્યા કરી છે. (૧૦) વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે ચૈત્યવંદન મહાભાષ્યની પ્રાકૃત રચના કરી, તેની ૯રર ગાથાઓમાં ચૈત્યવંદનના સૂત્રોનું યથાર્થ રહસ્ય જણાવ્યું છે. આ મહાભાષ્યની મળતી ટીકામાં કર્તાનું નામ જણાવ્યું નથી. (૧૧) ચૈત્યવંદનાલિસૂત્રોની એક કુલકપ્રદીપ નામની ટીકા મળે છે, તેમાં તેના કર્તાનું નામ કહ્યું નથી. તેનું પ્રમાણ ર૪૫૮ કે કહ્યા છે. (૧૨) શ્રીતિલકસૂરિ મહારાજે ચત્યવંદના વંદનક પ્રત્યાખ્યાન આવશ્યકની પપ૦ શ્લેક પ્રમાણ ટીકા બનાવી. (૧૩) શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે ચૈત્યવંદન ભાખ્યાદિ ત્રણ ભાષ્યોની ર૭૨૦ શ્લોક પ્રમાણ ટીકા રચી. (૧૪) શ્રી અકલંકદેવસૂરિએ ચૈત્યવંદનાદિ સૂત્ર સાધુશ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રપદપર્યાયમંજરી નામની ટીકા બનાવી છે, (૧૫) શ્રી યશેવસૂરિએ (૧) ઈર્યા પથિકી (ઇરિયાવહી) સૂત્રની ૧૫૦ શ્લોક પ્રમાણ ચૂણિ, અને (૨) ચિત્યવંદના સૂત્રની ૮૪૦ શ્લેક પ્રમાણુ ચણિ, તથા (૩) વંદનક (વાંકણાં) સૂત્રની ૭ર૭ શ્લોક પ્રમાણ ચૂણિ રચી. આ રીતે ત્રણ સૂત્રોની ત્રણ ચૂણિઓના રચનારા શ્રીયશોદેવસૂરિ મહારાજ કહેવાય છે. (૧૬) લલિતવિસ્તરા--શ્રીહરિ. ભદ્રસૂરિ મહારાજે ચૈત્યવંદનનાં સૂત્રોની લલિતવિસ્તરા નામે ટીકા બનાવી, તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy