SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ખામણાં કરે કરાવે, પરંમ ઉલ્લાસથી જૈનેન્દ્રાગમા લખાવી ગુરુ મહારાજને વહેારાવે, વગેરે પ્રકારે સાત્ત્વિકભાવે શ્રી જિનધની આરાધના કરનારા ભવ્ય જીવા અંતસમયે સમાધિપૂર્ણાંક હસતાં હસતાં મરણ પામે છે; તેમને મરણના ભય હેાતા જ નથી. કારણ કે તે અહીં જે સ્થિતિમાં છે, તેથી સારામાં સારી સ્થિતિને પરભવમાં પામે છે. આત્મા મરે જ નહિ, દેહાદ્ધિથી આત્મા છૂટા પડે, એ જ મરણ કહેવાય છે. ૧૭. હે જીવ! ક્ષ વારમાં શુ' બનાવ બનશે તેની તને ખખ્ખર નથી, તેમ જ તારા જેવાને ઢાંકયા કર્મીની પણ ખબર પડતી નથી, માટે હુમેશાં ચેતતા રહેજે ને ભવિષ્યમાં મેડા કરવા ધારેલાં કાર્યાં જલદી કરી લેજે. ૧૮. મારા દેવ અદ્ભુિત છે, કંચન-કામિનીના ત્યાગી વિશિષ્ટ મહાવ્રતાદિ સદ્ગુણ્ણાના ધારક શ્રી આચાર્ય ભગવંત વગેરે ગુરુ છે અને શ્રી જિનેશ્વરદેવે કહેલ ત્રિપુટીશુદ્ધ ધર્મ છે. અત્યાર સુધીમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરતાં મન, વચન કાયાથી કાઇ પણ ઢાષ (અતિચાર ) લાગ્યા હોય, તેની આત્મસાક્ષીએ નિદા કરું છું, ને ગુરુસાક્ષીએ ગાઁ કરું છું. જે ઢાષની શુદ્ધિ માટે ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત્તાદિ કરવાની જરૂરિયાત જણાતી હાય, તે તે દાષની શુદ્ધિને અંગે પ્રાયશ્ચિત્તાદિ કરીને આત્મશુદ્ધિ કરવા ચાહું છું, ૧૯. સ’સારની રખડપટ્ટી ટાળવાના ઉપાય પૂર્વધર ભગવંતે શ્રીપ ચસૂત્રના પહેલા પાપપ્રતિઘાતમીજાધાન નામના સૂત્રમાં ફરમાવ્યા છે, તે આ પ્રમાણે : દરરોજ એમ વિચારવુ` કે આ જીવ અનાદિ છે, અને તેને સંસારની રખડપટ્ટી પણ અનાદિ કાલની છે. અનાદિ ક`સયાગથી જ સસારમાં ખડપટ્ટી કરવી પડે છે. આ સંસાર દુ:ખરૂપ છે, તેમાં એક દુ:ખ ખસે ત્યાં બીજી' દુ:ખ આવીને ઊભું જ રહે, માટે તે દુ:ખરૂપ લવાળા કહ્યો છે. ૧. શ્રી અરિહંતાદિ ચારના શણને અંગીકાર કરવા, ૨. સુકૃતની અનુમાદના, ૩. અને દુષ્કૃતની ગર્હ – આ ત્રણ સાધનાની ભાવના વારવાર કરવાથી ભવ્યત્યાદિ સામગ્રી મળી શકે, તેની આરાધનાથી પાપકા નાશ થાય. તેથી જ્ઞાનપૂર્ણાંક નિનિદાન શ્રી જિનધની આરાધના કરી શકાય. ને તેથી સંસારમાં રખડવાનું અધ થઈ જાય; આ રીતે સંસારની રખડપટ્ટી ટાળી શકાય, ૨૦. મનથી અાગ્ય વિચાર કરતાં, વચનથી અયેાગ્ય વેણ ખેાલતાં, અને કાયાથી અનુચિત પ્રવૃત્તિ કરતાં જે પાપ બધાયુ' હોય, તે સંબધી મિથ્યા દુષ્કૃત દઉં છું. ૨૧. મેં કોઇનું અનિષ્ટ ચિંતવ્યુ... હાય, કોઈને ખરાબ વેણ કહ્યાં હાય, કાયાથી કોઈને તાડનાદિ કર્યુ હાય, તે સંબંધી પાપને હું ખમાવું છું, અને જેએ મારા ગુન્હેગાર હાય, તે મને ખમાવે એમ હું ચાહું છું; કારણ કે ખમવું અને ખમાવવું એ શ્રી જિનશાસનની અવિચ્છિન્ન મર્યાદા છે. જે ભવ્ય જીવા ખમે અને ખમાવે તેઓ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy