SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ શ્રી વિજયપધસૂરીશ્વરકૃત લેવું ? એ રીતે સૂચના કરવામાં આવી હતી. દષ્ટાંત તરીકે જે વિમાનનો અધિકાર આવે ને તે બીજા સૂત્રમાં હોય તો “ગા રાવળg” (યથા રામશ્રી) “જેમ રાયપણમાં કહ્યું છે તેમ જાણી લેવું ” આ રીતે આધાર ટાંકવાનું રાખ્યું. આ કારણથી અંગ સૂત્રોની ભલામણ ઉપાંગ સૂત્રોમાં કરી છે, અને ઉપાંગ સૂત્રોની ભલામણ અંગ સૂત્રોમાં કરી છે. આનું નામ “વલભીવાચના ” કહેવાય. એતિહાસિક ગ્રંથોમાં કહ્યું છે કે આ વાચનાના ટાઈમે શ્રાવવાચક ગણિએ જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધરીને શ્રીનંદીસૂત્રની રચના કરી. આ રીતે મગધસંઘની અને માધુરી વાચનાની તથા વલભી વાચનાની બીના જરૂરી હોવાથી ઢંકામાં જણાવી દીધી. ૧૩. પેનિપ્રાસત–અહીં અસમાન અનેક દ્રવ્યના સંયોગની યોનિઓ (શક્તિ, સામર્થ) સર્પ, સિંહ વગેરે પ્રાણીઓ, મણિઓ, સુવર્ણ વગેરે વિવિધ જાતના પદાર્થોની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે, એમ મલધારિ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે વિશેષાવશ્યકની ૧૭૭૫ મી ગાથાની ટીકામાં કહ્યું છે. અહીં ટીકાકારે મૂલ ગાથામાં જણાવેલા બાળવિહા” શબ્દથી યોનિપ્રાભૂત પ્રકીર્ણક સમજવાની સૂચના કરીને તેમાં શી બીના વર્ણવી છે? આ પ્રશ્નનો ખુલાસે મૂલ ટીકાદિના આધારે કર્યો છે. અને શ્રી પ્રભાચંદ્રસૂરિકૃત શ્રીપ્રભાવચરિત્રમાં જણાવેલા શ્રીપાદલિપ્તસૂરિ પ્રબંધના ૧૧૫ મા શ્લોકથી ૧ર૭ મા શ્લોક સુધીના ૧૩ શ્લોકમાં કહ્યું છે કે મહાજ્ઞાની શ્રીરૂદ્રદવસૂરિ મહારાજ પિતાના શિષ્યને આ યોનિપ્રાભૃત ભણાવતા હતા. તેમાં તેમણે શિષ્યને સમજાવ્યું કે આવા આવા દ્રવ્યસંગથી બનાવેલા ચૂર્ણને પાણીમાં નાખતાં ઘણાં માછલાં ઉત્પન્ન થાય છે. આ હકીકત ઉપાશ્રયની નજીકમાં થઈને જતાં એક મચ્છીમારે સાંભળી ને તે પ્રમાણે પ્રયોગ કર્યો, તેથી તેણે તે ધંધામાં (મચ્છીમારના ધંધામાં) ઘણું દ્રવ્ય પેદા કર્યું. આચાર્ય મહારાજે આ બીના જાણી તેને (માછીને, મચ્છીમારને) પાપ કરતાં અટકાવ્યા ને આ હકીકતનું મૂળ કારણ શોધી કાઢયું. આની પછી ૧૧૮ મા શ્લોકમાં સિંહની પણ હકીકત જણાવી છે. તથા શ્રીવ્યવહાર સૂત્રના ભાષ્યની (૫૮) અઠ્ઠાવનમી ગાથામાં નિપ્રાભૂતની અપવાદિક બીના જણાવી છે. તેમજ બૃહકલ્પસૂત્રના ભાષ્યની ૧૩૦૩ મી ગાથામાં “વોળિ” નો અર્થ યોનિદ્રામૃત કર્યો છે. પણ આગળ જતાં ૧૩૧૩ મી ગાથામાં કહ્યું છે કે યોનિપ્રાકૃત અને ચૂડામણિ આ બે ગ્રંથ જ્યોતિષના છે. એટલે જ્યોતિષની હકીકતને જણાવનારા છે. આ હકીકતને ધ્યાનમાં લેતાં એ વિચાર ઉદભવે (પ્રકટે) છે કે આ જતિષના વર્ણનવાળે યોનિપ્રાત અને વિવિધ પ્રકારના દ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થતા પદાર્થોના સ્વરૂપને જણાવનાર નિપ્રાભૃત બંને ગ્રંથે અલગ અલગ હેવા જોઈએ. અથવા કદાચ તે એક જ ગ્રંથ હોય, તે આ બૃહત્ક૯૫ભાષ્યની ૧૩૧૩ મી ગાથાના આધારે કહી શકાય કે તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy