SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ પન્નાને સંક્ષિપ્ત પરિચય) ૪૨૭ નામસ્તવ કહેવાય છે. ૩. વંદનક નામનાં આવશ્યકથી જ્ઞાનાદિ ગુણે નિર્મલ બને છે. અહીં ગુરુ મહારાજને વંદન કરવાની હકીકત જણાવી છે, તેથી ત્રીજા આવશ્યકનું વંદનક નામ પ્રસિદ્ધ છે. ૪. પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યકથી કતાદિની આરાધના કરતાં અજ્ઞાનાદિ કારણે મોક્ષમાર્ગની આરાધના કરતાં થયેલી ભૂલો સુધારી શકાય છે. અહીં માર્ગથી ખસેલા આત્માને ફરી માર્ગમાં (જ્ઞાનાદિની આરાધનામાં) સ્થાપન કરવામાં આવે છે, તેથી પ્રતિક્રમણ નામ યથાર્થ છે. ૫. કાયોત્સર્ગ નામના આવશ્યકથી બાકી રહેલા (ચારિત્રાદિકના જે અતિચારોની શુદ્ધિ પ્રતિક્રમણ વડે ન થઈ હોય તેવા ) અતિચારેની શુદ્ધિ થાય છે. ૬. પ્રત્યાખ્યાન નામના છઠું આવશ્યક વડે તપશ્ચર્યામાં લાગેલા અતિચારેની શુદ્ધિ થાય છે. અને ૬ આવશ્યકથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. આ રીતે જણાવીને ગ્રંયકારે કુશલાનુબંધી અધ્યયનને કહેવાની પ્રતિજ્ઞા કરી છે. પછી ૧ ચાર શરણાં, ૨, દુષ્કતાની ગર્તા, અને ૩. સુકૃતોની અનુમોદનાની હકીકત જણાવીને કહ્યું કે જેમને અરિહંત વગેરે ચારના શરણને અંગીકાર કરવાને લાભ મળે, તે ભવ્ય જીવો ધન્ય ગણાય છે. પછી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રભુએ કહેલ ધર્મનું યથાર્થ સ્વરૂપ જણાવીને તેમના શરણને હું અંગીકાર કરું છું, એમ કહેવાની સૂચના કરી છે. પછી દુકૃતગહનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે મિથ્યાત્વ, અરિહંતાદિની આશાતના, જીવોને કરેલા પરિતાપનાદિ, ધર્મવિરુદ્ધકથન વગેરે પાપ થયાં હોય, (એટલે પાપનાં કારણે સેવ્યાં હોય) તે બધાની નિંદા-ગહ કરવી જોઈએ. પછી અરિહંત પ્રભુ વગેરેના ગુણની અને જિનવચનને અનુસારે કરેલાં દાનાદિ સુકૃતોની અનુમોદના કરવાનું કહીને જણાવ્યું કે આ રીતે ત્રણ કર્તવ્ય કરનારા જીવો પુણ્યાનુબંધી પુણ્યને બાંધે, ને ઘણાં કર્મોની નિર્જરા કરે છે, એમ કહીને છેલ્લે ફલ જણાવ્યું. પછી સૂચના કરી છે કે આ ત્રણે કર્તવ્ય ત્રણે કાલ જરૂર કરવા જોઈએ, તેમ કરનાર છ માનવ જન્મને સફલ કરે છે. ત્રણે કર્તવ્યો મુકિતનાં કારણ છે એમ સમજીને શુદ્ધ ભાવથી અહીં કહ્યા પ્રમાણે વર્તનારા આસન છો અ૫કાલે મુક્તિનાં સુખ પામે છે. શ્રી ચતુદશરણ પ્રકીર્ણકને ટૂંક પરિચય પૂરો થયે ૨. શ્રીઆતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકને ટૂંક પરિચય આતુર એટલે રેગની પીડાથી ઘેરાયેલા આત્માને પરભવની આરાધના કરાવવાના અવસરે કરાવવા લાયક પ્રત્યાખ્યાનની બીના જેમાં કહી છે, તે આતુર પ્રત્યાખ્યાન કહેવાય. બીજા ગ્રંથમાં “બૃહદાતુર પ્રત્યાખ્યાન” નામ કહ્યું છે. આની રચના કરનાર શ્રી વીરભદ્રાચાયે શરૂઆતની ૧૦ ગાથાઓની પછી કેટલાક ભાગ ગદ્ય પ્રાકૃતમાં ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy