SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરવલી (મલયગિરિજી અને તેમના ગ્રંથોનો પરિચય) ૪૧૫ શ્રી મલયગિરિજી મહારાજના ગ્રંથોનો પરિચય અંગવિભાગ ૧. સર્વાનુયોગમય પંચમાં શ્રી ભગવતી સૂત્રના બીજા શતકની અને વીસમાં શતકની વૃત્તિ-મૂલ સૂત્રમાં ચારે અનુયોગની બીના ભરી છે. સરસ્વતી દેવીના વરદાનને પામેલા શ્રી મલયગિરિજી મહારાજ બે જ શતકની ટીકા બનાવે ને બીજા શતકોની ટીકા ન બનાવે એમ સંભવતું નથી. હા, કદાચ એમ સંભવે છે કે ટીકાકાર જે જે શતક સરલ હોય, એટલે જેની ટીકા જલદી બનાવી શકાય એમ હોય તે પહેલાં બનાવે અને કઠિન શતકની ટીકા પછી બનાવે. સંભવ છે કે ભગવતીસૂત્રની સંપૂર્ણ ટીકા બનાવી હોય! ઉપાંગવિભાગ ર. રાજશ્રીય (રાયપાસેણીય) વૃત્તિ-મૂલ ગ્રંથમાં કેશી ગણધરને રાજા પ્રદેશીએ જે જે પ્રશ્નો પૂછયા હતા તેની જવાબ સાથેની બીના આવે છે. રાજા પ્રદેશી કઈ રીતે સમ્યકાવ મૂલ બાર વ્રતને સાધે છે? પોતાની રાણી ભોગમાં વિઘભૂત જાણીને પુત્રને કહે છે કે તારા પિતાને મારીને તું રાજા થા, આ બાબતમાં પુત્ર ના પાડે છે. છેવટે રાણી પતે ઝેર દઈને રાજાને મારવા તૈયાર થાય છે. અજાણતાં રાજા ઝેરી પદાર્થ છઠ્ઠના પારણે ખાય છે. અંતે તે રાણીનું કાવતરું જાણે છે, છતાં સમતાભાવ રાખતાં સમાધિ મરણે મરણ પામી સૂર્યાભ નામના મહદ્ધિક દેવ થાય છે. સૂર્યાભદેવ પ્રભુ મહાવીરને શા શા પ્રશ્નો પૂછે છે ? તે બીન આવે છે. આ સૂત્ર બીજા અંગના ઉપાંગ તરીકે ગણાય છે. અંગમાં કહેલી બીનાને વિસ્તાર માં હોય તે ઉપાંગ કહેવાય. આની ઉપર શ્રી મલયગિરિ મહારાજે સરલ ટીકા બનાવી છે. તે થોડાં વર્ષો પહેલાં આગમય સમિતિએ છપાવી હતી. પછીથી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે છપાવી છે. ૩. જીવાભિગમવૃત્તિ-મૂલ સૂત્રમાં જીવ, અજીવ, જંબુદ્વીપના ક્ષેત્ર, પર્વત વગેરેની બીના જણવી છે. તેની ઉપર શ્રીમલયગિરિજી મહારાજે સરલ ટીકા બનાવી છે. તે દેવ લાડ તરફથી નં. ૫૦ માં છપાએલી છે. ૪. પ્રાપનાવૃત્તિમૂલ સૂત્રકાર શ્યામાચાર્ય મહારાજ છે. તે આર્ય સુધર્માસ્વામી ગણધરથી ૨૩ મી પાટે થયા, પ્રજ્ઞાપના શબ્દનો અર્થ એ છે કે-ત્ર=પ્રકર્ણપણે જ્ઞાપના=જણાવવું છે જેમાં, એટલે જે જીવ-અછવ વગેરે પદાર્થોની યથાર્થ (સ્યાદ્વાદ શૈલીએ) બીના જણાવે, તેનું નામ પ્રજ્ઞાપના કહેવાય. આ સૂત્રના ૩૬ ભાગ પાડયા છે. સૂત્રકાર દરેક ભાગને પદ શબ્દથી ઓળખાવે છે. ૧-૩-૫-૧૦-૧૩મા પદમાં જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy