SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર શ્રીવિજયસૂરીશ્વરકૃત ૧૩. તેરમાં પ્રાભૂતમાં ચંદ્રની (ચંદ્રનાં કિરણોની) વૃદ્ધિ-હાન અને મુહૂર્તોની સંખ્યા કહીને પૂનમોનાં અને અમાસનાં મુહૂર્તા, તથા ચંદ્રનાં મંડલની હકીકત જણાવી છે. ૧૪. ચૌદમા પ્રાભૂતમાં–જસ્નાનું ને અંધકારનું અલ્પબહુ જણાવ્યું છે. ૧૫. પંદરમા પ્રાભૂતમાં–ચંદ્ર વગેરે પાંચમાં કોની કોનાથી શીધ્ર ગતિ કે મંદગતિ હેય? આ હકીક્ત સ્પષ્ટ જણાવી છે. પછી તે દરેકની ગતિમાં તફાવત, અને નક્ષત્ર માસાદિમાં ચંદ્રાદિની મંડલમાં થતી ચાર(ગતિ)સંખ્યા જણાવી છે. એટલે નક્ષત્ર માસાદિમાં ચંદ્ર વગેરે કેટલા મંડલોમાં ગતિ કરે? આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ કહીને એક દિવસે ચંદ્ર મંડલાદિની સંખ્યા, અને એક મંડલમાં ફરતા સૂર્યાદિને કેટલે ટાઈમ લાગે? આ પ્રશ્નનો ઉત્તર દેતાં પ્રસંગે બીજી પણ જરૂરી હકીકત સ્પષ્ટ સમજાવી છે. ૧૬, સેલમાં પ્રાભૂતમાં- સ્નાનું લક્ષણ અને સૂર્યની વેશ્યા વગેરેનાં પણ લક્ષણે જણાવ્યાં છે. ૧૭. સત્તરમા પ્રાભૂતમાં–ચંદ્ર વગેરેના ચ્યવનની ને ઉપપાતની બાબતમાં અન્ય ધમી આના અયોગ્ય રપ વિચારે જણાવીને છેવટે સત્ય બીના વિસ્તારથી સમજાવી છે. પછી ચંદ્રાદિનું યથાર્થ સ્વરૂપ સ્પષ્ટ સમજાય, એ રીતે જણાવ્યું છે. ૧૮, અઢારમા પ્રાભૂતમાં-સૂર્યની ઊંચાઈની બાબતમાં અન્ય ધમીઓના ર૫ અયોગ્ય વિચારે કહીને સૂર્યાદિની યથાર્થ ઊંચાઈ વગેરે બીના, અને ચંદ્રાદિની નીચે તથા ઉપરના ભાગ વગેરેમાં રહેલા તારાઓ, તેમજ ચંદ્રાદિના ગ્રહાદિ પરિવારનું પ્રમાણુ કહ્યું છે. પછી મેરૂ પર્વતની અને તિશ્ચકની વચ્ચેનું અંતરું, અને સર્વાત્યં. તર નક્ષત્રો તથા સર્વ બાહ્ય નક્ષત્રો કહીને ચંદ્રાદિનાં વિમાનોના આકાર, લંબાઈ, પહોળાઈ, અને તે વિમાનને વહન કરનારા (જાણે તે વિમાનેને ઉપાડીને ચાલતા ન હોય, તેવા દેખાતા અને તે વિમાનની નીચે ચાલનારા) દેવનું સ્વરૂપ, તથા ચંદ્રાદિમાં કેની કેની શીવ્ર ગતિ અને મંદ ગતિ હોય? આ બીના વિસ્તારથી સમજાવી છે. પછી બે તારકેની (તારાની) વચ્ચેનું અંતરું ને ચંદ્રાદિની અગ્રમહિષીઓની સંખ્યા કહીને જણાવ્યું કે મુખ્ય સભામાં ચંદ્ર વગેરે પરિચારણા (ભેગસેવન) કરે જ નહિ. કારણ કે ત્યાં જિનેશ્વરેની પૂજનિક દાઢા હોવાથી આશાતના થાય પછી ચંદ્રાદિનું આયુષ્ય, અને ચંદ્રામાં કેણુકેના કરતાં અપદ્ધિક અને મહદ્ધિક છે? આ પ્રશ્નો સ્પષ્ટ ખુલાસે કરીને છેવટે ચંદ્રાદિનું અલ્પબહુત્વ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૧૯. ઓગણીસમા પ્રાકૃતમાં–ચંદ્રોની અને સૂર્યોની સંખ્યાની બાબતમાં અન્યધમીએના ૧૨ અગ્ય વિચારે જણાવીને જેન દૃષ્ટિએ જબૂદ્વીપમાં બે ચંદ્રો, ને બે સૂર્યો છે, વગેરે યથાર્થ બીના સ્પષ્ટ સમજાવી અંતે પુષ્કરવાર દ્વીપાદિના ચંદ્ર સૂર્યાદિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy