SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત શબ્દાદિનું સ્વરૂપ તથા દરેક ઇંદ્રિયના વિષયનું પરિમાણ તેમજ અંત્યનિજર તથા પુદ્ગલેના જ્ઞાન (જાણવું) વગેરેને અંગે પ્રશ્નોત્તરે કહીને ચાટલા વગેરેની છાયાનું સ્વરૂપ, અને અવગ્રહાદિનું તથા કન્દ્રિયોનું અને ભાવેદ્રિયોનું સ્વરૂપ કહ્યું છે. પછી નારકાદિ છોને ભૂતકાળમાં પ્રાપ્ત થયેલી તે બંને ઇન્દ્રિયોની સંખ્યા અને વર્તમાન તથા ભાવી ઇન્દ્રિયોની સંખ્યા વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૧૬. પ્રોગપદમાં-પ્રયોગના ભેદો, તેની નારકાદિ દંડમાં વહેચણી, વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે, ૧૭. લેશ્યપદમાં-સમાન (સર) આહાર વગેરે ૭ દ્વારેનું અને લશ્યાનું સ્વરૂપ તથા સમકમેવ સમક્રિયાદિની બીના કહીને અસુરકુમારાદિમાં આહારાદિ નવ પદની બીના અને સમવેદનાદિની બીના તથા લશ્યાના ભેદો તેમજ નારકાદિમાં તેની વહેંચણું વગેરે બીના વિસ્તારથી જણાવી છે. પછી લેશ્યા વગેરે આઠનું અને લેશ્યાવાળા નારક તિર્યંચ મનુષ્ય અને દેશનું અપબહુત કહીને જણાવ્યું છે કે કૃષ્ણાદિ લેશ્યાવાળા નારકે પિતાના અવધિજ્ઞાનાદિની તરતમતાને લઈને (ઓછા વધતાપણાને લઈને) અવધિજ્ઞાનની હદ પ્રમાણે ક્ષેત્રાદિને જાણે. પછી કેટલા જ્ઞાનની હયાતિમાં કઈ કઈ લેશ્યાઓ હોય? આનો સ્પષ્ટ ખુલાસો કરીને વેશ્યાના પરિણામનું લક્ષણ અને તેના વર્ણ ગંધ રસને સ્થાનનું સ્વરૂપ જણાવ્યું છે. અહીં યોગ્ય પ્રસંગે ટીકાકારે દેવ નારકની લે શ્યામાં તફાવત જણાવીને બીજા બે મતનું ખંડન કરીને જણાવ્યું કે લેશ્યાને અને યોગને અન્વય વ્યતિરેક હેવાથી ગપરિણામ રૂપ વેશ્યા છે. ૧૮. કાયસ્થિતિષદમાં-કાયસ્થિતિનું સ્વરૂપ જણાવીને ચોવીશે દંડકોના જીવોની કાયસ્થિતિ યોગદ્વાદિ દ્વારા જણાવવા પૂર્વક વર્ણવી છે. પહેલાં જેવી સ્થિતિ (સ્વરૂપ) હતી તેવી સ્થિતિનું નિરંતરપણે જે થયું તે કાયસ્થિતિ કહેવાય. જેમ પૃથ્વીકાય મરીને આંતરાં રહિતપણે પૃથ્વીકાય જ થાય ગેરે. ૧૯. સમ્યકત્વપદમાં-નારકાદિ દંડકમાં સમ્યગ્દષ્ટિ, મિશ્રષ્ટિ અને મિચ્છાષ્ટપણાના વિચારે જણાવ્યા છે. ર૦. અંતક્રિયા પદમાં–જીવમાં અને નારકાદિ દેડકોમાં અંતક્રિયાના વિચારો વર્ણવ્યા છે. પ્રસંગે તીર્થંકરપણું વગેરેની પ્રાપ્તિના કારણાદિની બીના સ્પષ્ટ સમજાવી છે. અને નારકાદિ ભવમાંથી નીકળેલા જીવોને ઉદ્દેશીને ધમ શ્રવણાદિની બીના તથા તીર્થ કરવાદિના તેમજ ચક્રવત્તિવાદિન વિચારે જણાવ્યા છે. અંતે દેવાદિના ઉપપાતની અને અસંસીના આયુષ્યના ભેદની બીના સ્પષ્ટ સમજાવી છે. ૧. અવગાહના (સંસ્થાન) પદમાં–નારકાદિ જીવોના શરીરની ઊંચાઈનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy