SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત શબ્દા :—હવે હુ. શ્રી જૈન પ્રવચન કિર્ણાવલીના સત્તરમા પ્રકાશમાં જૈન સિદ્ધાંતને અનુસારે શ્રીપ્રજ્ઞાપનાસૂત્ર નામના ચાથા ઉપાંગના પરિચય ટૂંકામાં કહીશ. શ્રીસમવાયાંગસૂત્રનું આ શ્રીપ્રજ્ઞાપનાસૂત્ર ઉપાંગ છે. સંપૂર્ણ દ્વરા પૂધર, તત્ત્વાર્થ સૂત્ર, પ્રશમતિ વગેરે ગ્રંથાના બનાવનાર શ્રીઉમાસ્વાતિ વાચકના શિષ્ય આય શ્યામાચાય મહારાજે આ સૂત્રની રચના કરી છે. ૧૩ર. આ ચેાથું ઉપાંગ દ્રવ્યાનુયાગની વિશેષ બીના જણાવે છે. અને અહીં પ્રાકૃત પદ્માની રચના ચિત્તને પ્રસન્ન કરનારી છે. દ્વાદશાંગીમાં જેમ મીભગવતી સૂત્ર મેટું છે, તેમ બાર ઉપાંગેામાં આ શ્રીપ્રજ્ઞાપનાસૂત્ર મેટું છે, કારણ કે તે ૭૭૮૭ શ્લાક પ્રમાણ છે. અહીં છત્રીસ પદ્મા છે. પદ્મ એટલે સૂત્રના ભાગ. અને આ પ્રજ્ઞાપના સૂત્ર દષ્ટિવાદના સાર રૂપ છે. ૧૩૩. તથા શ્રુત ગ્રંથામાં રત્ન જેવું છે. તેમજ તે અધ્યયન તરીકે પ્રસિદ્ધ છે. આ શ્રીપ્રજ્ઞાપનાસૂત્રના (૧) પ્રજ્ઞાપના પ૪ (૩) મહુવકતવ્ય પદ (૫) વિશેષ (પર્યાય) પ૬ (૧૦) ચર્મ પ (૧૩) પરિણામ પદ્દ, આ પાંચ પામાં જીવતત્ત્વનું અને અજીવતત્ત્વનું વર્ણાન કર્યુ છે. (૧૬) પ્રયાગપદ, (રર) અવગાહનાપદ, આ એ પદમાં આશ્રવતત્ત્વની મીના કહી છે. તથા કર્માં પ્રકૃતિના નામના ત્રેવીશમા પદમાં અંધતત્ત્વની અને છેલ્લા સમુદ્ઘાત પદમાં સંવતત્ત્વ, નિરાતત્ત્વ, અને મેાક્ષતત્ત્વનું વર્ણન કર્યું છે. આ રીતે અમુક અંશે સાતે તત્ત્વાના ઉપદેશ કરનારું આ શ્રીપ્રજ્ઞાપનાસૂત્ર છે એમ સમજવું, તથા અહીં પદ્મા તત્ત્વાની પ્રરૂપણા પ્રશ્નોત્તર રૂપે કરી છે. એટલે જાણે શ્રીગૌતમસ્વામી મહારાજ પ્રશ્નો કરતા હાય ને પ્રભુશ્રી મહાવીરદેવ પૂછેલા પ્રશ્નોના ઉત્તરા આપતા હાય તેવી ઉત્તમ શૈલી આ સૂત્રમાં સૂત્રકારે સ્વીકારી છે. તેનું કારણ એ કે આ શૈલીથી કઠીન પદાર્થોનું પણ સ્વરૂપ શ્રોતા વગેરે ભવ્ય જીવા સહેલાઈથી સમજી શકે છે. માટે જ ઉત્તમ સચાટ ખાધને ફ્રેનારી આ પ્રશ્નોત્તર શૈલી કહેવાય છે. ૧૩૪, હવે આ શ્રીપ્રજ્ઞાપના સૂત્રનાં ૩૬ પઢાનાં નામ આ રીતે જાણવાં: (૧) પ્રજ્ઞાપના પદ (૨) સ્થાન પદ (૩) બહુ વકતવ્ય એટલે અપમહુપઢ, (૪) સ્થિતિપદ, (૫) વિશેષ એટલે પર્યાયપદ (૬) વ્યુત્ક્રાંતિ એટલે ઉત્પાદેાઢત્તનાપ‰, (૭) ઉચ્છ્વાસપદ, (૮) સ ંજ્ઞાપદ, (૯) ચેાનિપદ, (૧૦) ચરમપદ, (i) ભાષાપ૪, (૧૬) શરીરપ૬, (૧૩) પરિણામપદ, (૧૪) કષાયપદ, (૧૫) ઇંદ્રિયપદ, (૧૬) પ્રયાગપદ્મ, (૧૭) લેશ્યાપદ, (૧૮) કાયસ્થિતિપદ, (૧૯) સમ્યક્ત્વપદ, (૨૦) અ ંતક્રિયાપદ, (૧૧) અવગાહન (સંસ્થાન) પદ, (૨૨) ક્રિયાપદ, (૨૩) ક પ્રકૃતિપદ, (૨૪) ક`બંધ (ક`ખ'ધક) પદ, (૨૫) કવેદ (ક`વેક) પદ, (૨૬) કરૂંવેદધ (વેદધ્મક) પદ્મ, (૨૭) ક`પ્રકૃતિવેદવે (વેદવેદક) પદ્મ, (૨૮) આહારપદ, (૯) ઉપયાગપદ, (૩૦) પશ્યત્તાપ, (૩૧) સંજ્ઞા (સંજ્ઞાપરિણામ) પદ, (૩ર) સચમપદ, (૩૩) અવધિ (જ્ઞાનપરિણામ) પદ, (૩૪) પ્રવિચારણાપદ, (૩૫) વેદનાપદ, (૩૬) સમુદ્ઘાતપ૬, ૧૩૫-૧૩૬-૧૩૭-૧૩૮. આ શ્રીપ્રજ્ઞાપનાસૂત્રની એ ટીકા છે, તેમાં For Private & Personal Use Only ૩૬૦ Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy