SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી (ર. ઉપાંગ શ્રી રાયપાસેણીય સૂત્રનો પરિચય) ૩૪૫ ઉત્તર-પરલોક અને પાપ એ બંને પદાર્થો જરૂર માનવા જોઈએ, નાનું બાળક હજુ હમણાં જ જમ્મુ છે, છતાં જન્મતાં વેંત ધાવવાની ક્રિયા કરે, તે કોઈના પણ શિખવાડયા વગર જ કરે છે, ને એનામાં જન્મ સમયે શીખવાની પણ પોગ્યતા છે જ નહિ, છતાં પૂર્વભવના સંસ્કારથી જ ધાવે છે. આથી પલેક સાબિત થાય છે, તથા શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રાદિ અનેક ગ્રંથોમાં જિનશાસન પ્રભાવક મહાપુરુષોએ જણાવ્યું છે કે આદ્રકુમારને તથા શ્રી સયંભવસૂરિજીને પ્રભુદેવની પ્રતિમા જઈને તેમજ બીજા પણ ઘણા ભવ્ય જીવોને પૂર્વભવની બીના, દેશના વગેરેના શ્રવણથી કે મુનિદર્શનાદિ કારણેથી જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયું. તેથી તેમણે ઉત્કૃષ્ટથી પાછલા નવ ભવની બીના જાણી હતી. અહીં સુવ્રત શેઠ વગેરેનાં દૃષ્ટાંતે પણ જાણવાં. સુવ્રતશેઠે પાછલા ભવમાં મેં અગિયારસ પર્વતિથિની આરાધના કરી હતી, તેના પ્રભાવે અહીં હું સર્વ પ્રકારે સુખી છું, એમ ગુરુમહારાજના કહેવાથી જાણ્યું. વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પણ ગુરુએ કહેલી બીનાની ખાતરી થઈ. વર્તમાન ભવમાં તે જ પર્વ તિથિની આરાધના કરી દેવલોકમાં મહદ્ધિક દેવ થયા. તેમજ શ્રીપાલ મહારાજાએ પૂર્વ ભવમાં સિદ્ધચક્રની આરાધના કરી હતી; તેજ સિદ્ધચકની ચાલુ ભવમાં પરમારાધના કરી નવમા દેવલેકે ગયા. અનુક્રમે નવમે ભવે મોક્ષે જશે. આ સર્વ હકીકતથી સાબિત થયું કે પરલોક છે જ, તે જ પ્રમાણે દુનિયામાં જ્યારે એક માણસ સુખી દેખાય છે, ત્યારે બીજે માણસ દુ:ખી દેખાય છે, મનુષ્યપણું સરખું છતાં આ તફાવત પડવાનું કંઈ પણ કારણ તેવું જ જોઈએ. એ તો પ્રસિદ્ધ જ છે કે કારણ વિના કાર્ય થાય જ નહિ, દુ:ખ કે સુખ એ કાર્ય છે, માટે તેનું કારણ જરૂર હોવું જ જોઈએ. હે રાજન ! શાંતિથી વિચાર કરતાં તને જરૂર ખાતરી થશે કે પુણ્યકર્મના ઉદયથી જીવ સુખી થાય છે ને પાપકર્મના ઉદયથી છવ દુ:ખી થાય છે. એ જ પ્રમાણે રાજા અને રંકમાં, બુદ્ધિશાળી પુરુષ અને જડ પુરષમાં, સુરૂપવંત અને કપ પુરૂષમાં, ધનવંત અને ભીખારીમાં, બલવંત અને દુર્બલમાં, નીરોગી અને રેગીમાં પણ પુણ્ય અને પાપને કારણ તરીકે માનવાં જ જોઈએ. હવે નરકસ્થાનમાં રહેલા નારક છે અહીં કેમ ન આવે તેના બે કારણ છે : ૧. તે છનું આયુષ્ય નિરૂપક્રમ છે. એટલે ઘટી શકે તેવું નથી. ને તે પણ ત્યાં જ ભગવ્યા વિના બીજે સ્થાને જઈ શકાય જ નહિ, તથા ૨, પરમાધામી દેવે તેમને ત્યાંથી નીકળવા દેતા નથી. એટલે તેઓ તેમને આધીન રહ્યા છે. માટે નારક જીવે અહી આવી શકે નહિ. તેમની સ્થિતિ કેદીના જેવી હોય છે. આ બાબત દષ્ટાંત આપીને સમજાવતાં શ્રીકેશી ગણધર ભગવંતે કહ્યું : હે રાજન ! તેં તારી સ્ત્રીને પરપુરુષ સાથે રમતી જોઈ હોય, તે વખતે તે તે પુરુષને બાંધીને કેટવાળને મારવા સોંપી દીધો હોય. ત્યારે તે પુરુષ તને કરગરીને કહે કે હે રાજા! કૃપા કરીને મારા પુત્રને મળવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy