SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણવલી (૨. ઉપાંગ શ્રી રાયપાસેણીય સૂત્રને પરિચય) ૩૪૧ તાંબિકા નગરી, પ્રદેશ રાજા, તેની સૂર્યકાંતા રાણી, તેનો મોટો પુત્ર સૂર્યકાંત કુમાર, રાજાના મોટાભાઈ, ચિત્ર નામના સારથિ આ બધાનું વર્ણન કરીને કુણાલ દેશની શ્રાવસ્તી નગરી તથા તેના રાજા જિતશત્રુનું વર્ણન કર્યું છે. પછી જણાવ્યું છે કે ચિત્ર સારથિ શ્રાવસ્તી નગરી તરફ ગયા. ત્યાં તેને પાર્શ્વનાથની પરંપરામાં થયેલા શ્રીકેશી ગણધરનો સમાગમ થયો. તેમની દેરાને સાંભળી ચિત્ર સારથિએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. આ પ્રસંગે સૂત્રકાર અને ટીકાકારે કેશી કુમારનું અને તેમની પાસે જતા લોકેનું પણ વર્ણન કર્યું છે. ચિત્ર સારથિએ કેશી ગણધરને તાંબિકા પધારવાની વિનંતી કરીને તાંબિકા તરફ પ્રયાણ કર્યું. જ્યારે ચિત્ર સારથિએ વિનંતી કરી ત્યારે કેશી ગણધરે કહ્યું કે પ્રદેશ રાજા તે અધમી ને નાસ્તિક છે, માટે તમારી વિનતિને સ્વીકારવી ઉચિત નથી. આ વચન સાંભળીને ચિત્ર સારથિએ કહ્યું કે આપની ભક્તિ કરનારા બીજા ઘણા ગૃહસ્થો છે, તમારે રાજાનું શું કામ છે? એમ કહીને તાંબકા પધારવા બહુ આગ્રહ પૂર્વક વિનતિ કરીને તે અહીં આવ્યો, ને તેણે બગીચાના રક્ષક નોકરોને કહ્યું કે જ્યારે અહીં કેશી ગણધર પધારે, ત્યારે તેમની વંદના કરીને ભક્તિ કરજો. . પછી તે પ્રદેશ રાજાને મળે, કેટલોક સમય વીત્યા બાદ કેશી ગણધર સપરિવાર અહીં પધાર્યા, ત્યારે માળીએાએ તેમને બહુ જ સારી રીતે આદરસત્કાર કર્યો. આ વાત સાંભળી ચિત્ર સારથિએ કેશી ગણધરની પાસે જઈને રાજાને ધમ દેશના સંભળાવવા વિનંતી કરી, તે વખતે કેશી ગણધરે ધર્મ સાંભળવાની તક મળવા બાબત અને નહિ મળવા બાબત આપેલા ઉપદેશનું વર્ણન કર્યું છે. પછી ધેડાની પરીક્ષા કરવાને બહાને રાજા પ્રદેશીને કેશી ગણધરની પાસે લઈ જવાને ચિત્ર સારથિએ કરેલો વિચાર, તેને અનુસારે તે પ્રદેશીને ત્યાં લઈ ગયે, પણ કેશી ગણધરને જોઈને રાજાને અરુચિ થઈ, તેથી તેણે તેમની ઓળખાણ કરાવી. પછી કેશી ગણધર અને રાજા વચ્ચેની વાતચીત, અને કેશી ગણધરની વિદ્વત્તા વિષે રાજાએ કરેલો પ્રશ્ન, તેના ઉત્તરમાં કેશી ગણધરે કરેલ પિતાના જ્ઞાનનું વિવેચન જણાવ્યું છે. પછી “જીવ અને શરીર જુદાં જુદાં છે ? એમ કેશી ગણધરે કહ્યું, ત્યારે તેની વિરુદ્ધમાં રાજાએ કહ્યું કે હે શ્રમણ ! જે જીવ અને શરીર જુદાં જુદાં હોય, તે મારે અધમી દાદો તમારા કહેવા મુજબ નરકે ગયેલો હવે જોઈએ. અને એમ હોય, તો તે ત્યાંથી મને નરકના દુ:ખ બાબત સૂચના કરવા કેમ ન આવે? આજ સુધી આવ્યો નથી, માટે હું માનું છું કે જીવ અને શરીર એક છે. કેશી ગણધર–તારી પટરાણી સાથે જાર કર્મ (વ્યભિચાર) કરનારને તુ સખતમાં સખત સજા કરે, અને સજાની સુચના આપવા જેમ તે જાર પુરુષ (વ્યભિચારી) ને પિતાને ઘેર તું થેડી વાર માટે પણ ન જવા દે, તેમ પરમાધામીએ સજા પામેલાની જેવા નારક ને થેડી વાર પણ છૂટા મૂકતા નથી. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હેવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy