SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ શ્રીવજયપધસૂરીશ્વરકૃત ચાર પ્રકારના વાજિંત્રોના વાદનનું (વગાડવાનું) અને ઊંક્ષિપ્ત વગેરે ચાર પ્રકારના સંગીતનું, તથા અંચિતાદિ ચાર પ્રકારના નૃત્યનું તેમજ દાઝતિક વગેરે ચાર પ્રકારના અભિનવનું વર્ણન કર્યું છે. આ રીતે નાટક પૂરું કરીને તે દેવ સ્વાસ્થાને ગયે. પછી આ દેવની ટેવમાયાની બાબતમાં શ્રીગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન પૂછથો, ને પ્રભુએ તેના ઉત્તર આપો. આ બીના વિસ્તારથી સમજાવીને તે સૂર્યાભદેવનું વિમાન કયાં છે? ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે સૌધર્મ દેવલોકના સૌધર્માવત સક નામના મુખ્ય વિમાનની પૂર્વ દિશામાં આવેલા સૂર્યાભ વિમાનમાં તે દેવ રહે છે. આ પ્રસંગે તે વિમાનના પ્રાકાર તથા બારણાનું અને વિમાનની આજુબાજુના વનખંડેનું તેમજ તૃણના મધુર ધ્વનિનુ વર્ણન કર્યું છે. પછી વનખંડમાંના જલાશય અને તેના પાણીનું અને ક્રીડાસ્થળનું તથા ચાર પ્રાસાદ, ઉપરિકલયન અને પદ્યવાર વેદિકાનું વર્ણન કરીને સુધર્મા સભાનું અને મંડપનું વર્ણન કર્યું છે. પછી વજમય અખાડાનું તથા ચાર જિનપ્રતિમાઓનું તેમજ ચયવૃક્ષોનું વર્ણન કર્યું છે. પછી ચૈત્યસ્થંભનું અને સ્તંભની વચ્ચેના શિંકામાં રહેલી શ્રીજિનેશ્વરની દાઢા વગેરેનું તથા મણિમયપીઠિકા અને દેવશયનીય તથા વજમાય શત્રભંડારનું વર્ણન કરીને સિદ્ધાયતન અને ત્યાં રહેલી ૧૦૮ જિન પ્રતિમાઓનું વર્ણન કર્યું છે. પછી છત્રધારક ને ચામરધારક પ્રતિમાનું અને નાગભૂત તથા યક્ષની પ્રતિમાનું અને ૧૦૮ ઘંટ વગેરેનું વર્ણન કરીને ઉપપાતસભાનું, અભિષેક સભાનું, અલંકારસભાનું, વ્યવસાયસભાનું અને વ્યવસાયસભામાં રહેલા પુસ્તકનું તથા પુસ્તકોના પાનાં, શાહી, અક્ષરો વગેરેનું વર્ણન કર્યું છે. પછી સૂર્યાભદેવના જન્મની બીના અને તેણે પોતાના કર્તવ્યોની બાબતમાં કરેલા વિચારોનું સ્વરૂપ જણાવ્યું છે. પછી તે સૂર્યાભદેવની આગળ તેના સામાનિક દેવોએ તેને કરવા લાયક કર્તવ્ય જણાવ્યા. એમ કહીને સૂર્યાભદેવનું સ્નાન, તેને દેવોએ કરેલો અભિષેક, તેથી દેવને થયેલ આનંદ વગેરેનું તથા સૂર્યાભદેવે પહેરેલા વસ્ત્રો અને આભૂષણેનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ કહ્યું છે કે સૂર્યાભદેવે પુસ્તક વાંચી તેમાંથી ધાર્મિક વ્યવસાયની માહિતી મેળવી, અને પહેલાં કહેલા સિદ્ધાયતનમાં રહેલી જિનપ્રતિમાઓની પૂજા કરીને સ્તુતિ કરી. તથા પોતાના આખા વિમાનની અંદરની પૂતળીઓ વગેરેની વ્યવહારિક દૃષ્ટિએ પતે અર્ચના કરી અને બીજા તેની પાસે કરાવી. પછી સર્યાભવનો પરિવાર અને તેની સભાનું વર્ણન કર્યું છે. પછી શ્રીગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે સૂર્યાભવે આવી ઉત્તમ દેવતાઈ દ્ધિ અને સુખ શાથી મેળવ્યું? આના જવાબમાં પ્રભુએ તે દેવના પાછલા ભવની એટલે પ્રદેશ રાજાની હકીકત સંભાળવી. તેમાં પહેલા કેકચી નામના અર્ધ આર્ય સેશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy