SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વરકૃત પછી મંત્રીશ પ્રકારનાં નાટક ભજવી બતાવવા માટે તે સૂર્યભ દેવે પ્રભુશ્રી મહાવીરની પાસે ત્રણ વાર સંમતિ માંગી, પણ પ્રભુ તે મૌન રહ્યા. એટલે તે સૂર્યાભ વે દેવકુમાર (નાના ધ્રુવ) વગેરે વિકૃવીને તેમને નાટક ભજવવાની આજ્ઞા કરી. દ્રુણ સ્વસ્તિક વગેરે આઠ મંગળ (અષ્ટમંગળ)ના અભિનય કરવા પૂર્વક ૩૧ પ્રકારનાં નાટકા અનુક્રમે બતાવ્યા. ૧૨૦–૧૨૧. છેલ્લા ૩૬મા પ્રકારના નાટકમાં સૂર્યાભદેવે પ્રભુશ્રી મહાવીરના ચ્યવન, ગ`સંહરણ, જન્મકલ્યાણક, દેવકૃત જન્માભિષેક, બાલક્રીડા, યૌવનવય, દીક્ષા કલ્યાણક મહાત્સવ, તપશ્ચર્યાં, ઉપસ સહન, કેવલજ્ઞાન કલ્યાણક, તીસ્થાપના, નિર્વાણ કલ્યાણક, વગેરે પ્રસંગેા દર્શાવ્યા. આ પ્રસંગે સૂર્યાભ દેવની આજ્ઞાથી ઘણા ધ્રુવકુમારે અને દેવકુમારીએ જુદી જુદી જાતનાં વાજિંત્રા વગાડતા હતા, અને ઉક્ષિપ્ત વગેરે ચાર ભેદ્દે સંગીત સંભળાવતા હતા. તથા અચિત વગેરે ચાર ભેદે નાચ કરતા હતા, તેમજ દાષ્ઠાંતિક વગેરે ચાર ભેદે અભિનય પણ કરતા હતા. અંતે પ્રભુને વંદના નમસ્કાર કરીને સપરિવાર તે સૂર્યભ દેવ જ્યાંથી આવ્યા હતા, તે ધ્રુવલેાકે સ્વસ્થાને ગયા. ૧૨૨. પ્રભુશ્રી મહાવીરને શ્રીગૌતમસ્વામીએ પૂછ્યું કે આ સૂર્યાભ દેવનુ' વિમાન કયાં આવ્યુ ? તેના જવામમાં પ્રભુએ બહુ જ વિસ્તારથી સૂર્યભ વિમાનનું સ્વરૂપ જણાવતાં સુધર્માં સભા, સિદ્ધાયતન, ઉપપાત સભા વગેરે સ્થાનાનુ` અને તે સૂર્યાભદેવનુ તથા તેની ઋદ્ધિનું સ્વરૂપ જણાવ્યું, તેણે આવી શ્રેષ્ટ દેવતાઈ ઋદ્ધિ શાથી મેળવી ? પ્રભુએ આ પ્રશ્નના જવાશ્મ દેતાં તે દેવના પાછલા ભવનું... ( પ્રદેશી રાજાના ભવનું ) વૃત્તાંત વિસ્તારથી જણાવ્યું, આ પૂર્વભવમાં પ્રદેશી રાજા નાસ્તિક હતા. તે કેશી ગણધરના ઉપદેશથી આસ્તિક બન્યા. જૈન ધર્માં યથા સ્વરૂપ સમજીને તેણે દેશિવરિત સ્વીકારી. આ સ્થિતિમાં અંતકાલે સમતાભાવી તે પ્રદેશી રાજા સમાધિ મરણ પામી સૂર્યાભ દેવપણે ઉત્પન્ન થયા. ૧૩-૧૨૪. દેવપણાનું આયુષ્ય પૂરુ' કરીને તે સૂર્યાભદેવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ આવક કુલમાં જન્મ પામશે, માતાપિતા તેનું દૃઢપ્રતિજ્ઞ' નામ પાડશે, અનુક્રમે તે વિરક્ત થઇ સમ્યગ્દન જ્ઞાન ચારિત્રને આરાધી કેવલજ્ઞાન પામી સિદ્ધિપદ પામશે, ૧૨૫. સ્પષ્ટા –શ્રીજૈન પ્રવચન કરણાવલીના પંદરમા પ્રકાશમાં શ્રીરાયપસેયિ નામના બીજા ઉપાંગના પરિચય ટૂંકામાં જણાવું છું, જે ઉપાંગ રાજાના પ્રશ્નોની સાથે સબધ ધરાવે છે, તે રાજપ્રશ્નીય નામે ઉપાંગ સૂત્ર કહેવાય. આના સાર ટૂંકામાં આ પ્રમાણે જાણવા:- અહી` શરૂઆતમાં આમલકા નગરી વગેરેનું અને શ્વેત નામના રાજા તથા તેની ધારિણી રાણી, સૂર્યાભ દેવ અને તેની ઋદ્ધિ વગેરેનું વર્ષોંન કર્યુ છે. પછી સૂર્યાભ દેવ પ્રભુ મહાવીરને વંદન કરવા જવાના વિચાર કરે છે, ને યાન વિમાન વગેરેને તૈયાર’કરે છે, વગેરે હકીકત કહીને ધર્માંકથા અને બત્રીસ પ્રકારના નાટકોનું સ્વરૂપ જણાવ્યું છે, તે અ ંતે કુંઢાગારનું દૃષ્ટાંત પણ કહ્યું છે. પછી સૌધર્માવિમાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy