SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ 33१ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત ત્યાગ કરવો પડયો વગેરે બેધદાયક બીના જાણવા જેવી મળે છે. પ્રસંગે જણાવેલા બીજા ચેડા મહારાજ વગેરે પણ શ્રી જૈનેન્દ્રશાસનનું પરમ ઉપાસક-શ્રાવકપણું વગેરે ગુણેથી વિભૂષિત હતા, કેટલાએક નિર્મલ સંયમધર્મને પણ પરમ સાધક હતા. વળી શ્રેણિક રાજાનો પરિવાર પણ દઢધમાં હતો. કારણ કે તેમની ઘણી રાણુઓએ, અભયકુમારાદિ પુત્રોએ અને પદ્માકુમારાદિ પૌત્રોએ પણ દીક્ષા લઈ આરાધીને આમકયાણ કર્યું છે. અહીં શ્રેણિક રાજાની હકીકત પૂરી કરીને કોણિકની બીના દુકામાં જણાવું છું. આ સૂત્રમાં રાજા તરીકે કણિકનું નામ જણાવ્યું છે, તે ઉપરથી સમજાય છે કે આ પહેલા ઉપાંગની રચના પ્રભુશ્રી મહાવીરના નિર્વાણ પછી થઈ હેય. કણિકની માતા ચલ્લણાની ત્રિશલા માતા ફઈ થાય. કારણ કે ત્રિશલા માતા અને ચેડા મહારાજા સગાં ભાઈ બેન થાય, આ રીતે વિચારતાં કોણિક રાજા પ્રભુશ્રી મહાવીરના પૂર્વ સંબંધની અપેક્ષાએ ભાણેજ થાય. તેણે મહેસવથી પ્રભુની પાસે જઈ વંદન કરી દેશના સાંભળી વગેરે પ્રસંગે જતાં તે ધમી હતા, પણ તેણે પાછલા ભવના શ્રેષના સંસ્કારથી ઘડપણમાં પિતાને હેરાન કરવામાં કચાશ નહોતી રાખી. તથા પોતાના માતામહની સાથે યુદ્ધ કરતાં હિંસા પણ કરી હતી. તેના પરિણામે તે મરીને નરકે ગયે. વળી તેણે શ્રેણિકની હયાતિમાં રાજા થવા માટે પણ કાવાદાવા ઓછા કર્યા નથી. આમાંથી બેધ એ મળે છે કે કેણિકના જેવા ન થવું, ને કર્મબંધથી જરૂર બચવું. કર્મબંધનાં કારણેને સમજીને સાવચેત રહેનારા જીવો કર્મબંધથી જરૂર બચી શકે છે ને તેમને દુર્ગતિનાં દુ:ખે ભોગવવા પડતાં નથી. સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં શ્રેણિક રાજા વગેરેના જીવનમાંથી ઘણે બોધ મળે છે. આ બંનેની છૂટી છૂટી બીના શ્રીઉપદેશપ્રસાદાદિમાં જણાવી છે. તે ત્યાંથી જોઈ લેવી. બારે ઉપાંગ સૂત્રોની ટીકા વગેરેની સંક્ષિપ્ત બીના ૧. શ્રીઔપપાતિક સૂત્ર–આ સૂત્રના મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૧૬૭ શ્લોકમાં જણાવ્યું છે. આની ઉપર નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજે બહુ જ સરલ ૩૨૫ શ્લેકપ્રમાણ ટીકા રચી છે. તેમાં જણાવ્યું છે કે, અંગસૂત્રોમાં જ્યાં જ્યાં નગરી. રાજા, વનખંડ, યક્ષનું ચૈત્ય, પ્રભુનું સ્મરણ, દેશના વગેરેનું વર્ણન આવે છે, ત્યાં ત્યાં તે તે બીના સંપૂર્ણ રીતે સમજવા માટે ‘ન ૩વવારૂણ' આ પદથી ઔપપાતિક સૂત્રની ભલામણ કરી છે. તેથી સમજાય છે કે આ ઉપાંગનું જ્ઞાન ધરાવનાર મુનિએ જ દ્વાદશાંગીનું ખરું રહસ્ય સમજી શકે છે. ૨. શ્રીરાજપક્ષીય સૂત્ર-મૂલ ગ્રંથનું પ્રમાણ ૨૦૭૦ હેકે કહ્યા છે. અન્યત્ર (બીજા ગ્રંથોમાં) ૨૧ર૦ શ્લોકે કહ્યા છે. આ સુત્રની ઉપર શ્રીમલયગિરિ મહારાજે ૩૭oo લેક પ્રમાણ ટીકા બનાવી છે. તે બહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy