SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪ શ્રીવિજયસૂરીશ્વરકૃત છે. મુનિએ તેને કૅની મદદથી તરે છે? તે વિસ્તારથી જણાવતાં યથાર્થ ખલાસી વહાણ વગેરે સમજાવ્યા છે. અહીં વર્ણવેલી યથાર્થ સાધુતા મુનિજીવનને જરૂર નિર્મલ બનાવનારી અને અપૂર્વ બોધદાયક છે, પછી પ્રભુશ્રી મહાવીરને વંદનાદિ કરી પોતાને આત્મા નિર્મલ બનાવવા માટે ચારે પ્રકારના દેવોના ઇતો પિતાના સામાનિક દેવાદિ પરિવાર સાથે અહીં આવે છે. તેમાં તે સર્વેની ઋદ્ધિ, શરીરના અવયવ, આભૂષણાદિનું વર્ણન કર્યું છે. પછી જણાવ્યું છે કે પ્રભુશ્રી મહાવીર દેવ ચંપાનગરીની બહારના બગીચામાં પધાર્યા. આ વાત ચૌટામાં ફેલાઈ. તે સાંભળીને લોકે મહેમાંહે શું કહે છે? અને પ્રભુની પાસે કેવી ભાવનાથી તેઓ આવે છે ? આ હકીકત અને પાંચ અભિગમનું સ્વરૂપ વર્ણવ્યું છે. પછી કહ્યું છે કે નગરીના લોકો પ્રભુની પાસે દર્શનાદિનો લાભ લેવા માટે આવે છે. આ અવસરે બગીચાને માળી કેણિક રાજાને વધામણી આપે છે કે પ્રભુશ્રી મહાવીરદેવ અહીં પધાર્યા છે. તેને રાજાએ સાડી બાર લાખ સેનયાનું દાન દઈ સ્વસ્થાને જવાની રજા આપી. તે પછી ૪૦ મા સૂત્રથી ૪૭ મા સૂત્ર સુધીમાં એમ કહ્યું છે કે કેણિક રાજા પ્રભુને મહોત્સવથી વંદન કરવા જવાની ઇચ્છાથી સેનાધિપતિને હુકમ કરે છે કે તમે હાથી વગેરેને અને લશ્કરને તૈયાર કરે ને આ નગરીને શણગારે, રાજાના હુકમ પ્રમાણે તમામ કાર્યો કરીને તેણે (સેનાધિપતિએ) રાજાને કહ્યું કે આપના કહ્યા મુજબ તમામ તૈયારી થઈ ગઈ છે ને નગરીને શણગારી છે માટે આપ પ્રભુશ્રી મહાવીરદેવને વંદન કરવા ખૂશીથી પધારો. તે સાંભળીને કેણિક રાજા હર્ષ પામ્યા. પછી વ્યાયામ, (કસરત) તૈલનું ચળવું, સ્નાન, વનું પહેરવું, વગેરે કાર્યો કરી કલ્પવૃક્ષના જેવા સુશોભિત બની ભજનઘરમાંથી પિતાના પરિવાર સાથે નીકળી હાથી ઉપર બેઠા. હવે પ્રભુની પાસે આવવા માટે મહેલમાંથી નીકળવાની શરૂઆત કરવા અષ્ટ મંગલ વગેરેનું અને છત્ર સિહાસનાદિનું વર્ણન કર્યું છે. પછી જણાવ્યું છે કે બાણ વગેરે લઈને ચાલનારા નેકરે અને હાસ્યાદિને કરનારા પુરુષે ચાલે છે, ને કેટલાક પુરુષો જય જય શબ્દો બોલે છે. પછી ૧૮ હાથી ઘેહા પાયદળ સૈન્ય ચતુરંગણિ સેના વગેરે પરિવારની સાથે કેણિકરાજાએ મહોત્સવથી નગરમાંથી નીકળી પ્રભુની પાસે જવા પ્રયાણ કર્યું. અનુક્રમે ચાલતાં રાજાને ભાટ ચારણે આશીર્વાદ આપે છે. તે પ્રજા તેનો (રાજા) સત્કાર કરે છે. તે (કેણિક રાજા) બગીચાની નજીકમાં આવતાં પ્રભુના અતિશયો જોઈને હાથી ઉપરથી નીચે ઊતરી, તરવાર વગેરે ચિહ્નો છેડી, પાંચ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા ઈ. યોગ્ય સ્થાને દેશના સાંભળવા બેઠા. એ જ પ્રમાણે તેની સુભદ્રા વગેરે રાણીઓ પણ પરિવાર સાથે અહીં આવી કેણિક રાજાની પાછળ દેશના સાંભળવા બેઠી. પ્રભુએ પણમાં અધમાગધી ભાષામાં દેશના દેતાં અલકનું અને જીવાદિ નવતનું તથા અરિહંસાદિનું, તેમજ નારકાદિનું સ્વરૂપ અને ૧૮ પાપ સ્થાનકેનું સ્વરૂપ તથા સત્પદાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy