SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત તે ચૂલિકા કહેવાય. આવી ચૂલિકા પહેલા ચાર પૂર્વેમાં હતી. તે સવ મળી ૩૪ થાય. એમ પહેલાં પણ કહ્યું છે. આ ચૂલિકાએ દષ્ટિવાદની ઉપર ગોઠવી છે, તેથી તે શ્રત પર્વત (દષ્ટિવા પર્વતો પર ચૂલિકાના જેવી શોભે છે, તેથી તે વિભાગનું નામ ચૂલા સુપ્રસિદ્ધ છે. પહેલા ચાર પૂર્વોમાંના દરેક પૂર્વમાં ચૂલાની સંખ્યા જણાવીને કુલ સંખ્યા “૩૪ ચૂલિકા” એમ પહેલાં પણ કહ્યું છે. આ રીતે દૃષ્ટિવાદના પાંચ ભેદોનું સ્વરૂપ ટૂંકામાં જણાવીને હવે તે પાંચે ભેદોનું ટૂંક રહસ્ય જણાવું છું. દષ્ટિવાદના પરિકર્માદિ ભેદોનું ટૂંક રહસ્ય ૧. પરિક–ગણિત શાસ્ત્રમાં શરૂઆતમાં ૧૬ પરિકમાં જણાવ્યા છે. જે તેનું સ્વરૂપ જાણે તે જ બાકીના ગણિતશાસ્ત્રને ભણી શકે. જેમ પહેલા ૧૬ પરિકમને જાણકાર છવ બાકીના ગણિતશાસ્ત્રને જાણવા લાયક બને છે, તેમ અહીં પણ (ચાલુ પ્રસંગે) વિવક્ષિત પરિકર્મોના સૂત્રાર્થને જાણનાર જીવ જ બાકીના સૂત્રાદિ રૂપ દષ્ટિવાદને જાણવા લાયક બને છે. એમ શ્રીનંદીસૂત્રની ચૂણિમાં પણ કહ્યું છે. અને પરિકર્મના સાત ભેદોમાં પહેલા ૬ ભેદો સ્વસિદ્ધાંતના અર્થને જણાવનાર છે. અને સાત પરિક રાશિકમતને અનુસરનારા હતા, એટલે પૂર્વધર ભગવતે પહેલાં નયોને વિચાર કરતાં વૈરાશિક મતને આશ્રીને સાતે પણ પરિકર્મો ત્રણ નવડે વિચારતા હતા. ૨. સુત્ર-પૂર્વગત સુત્રોના અર્થને સૂચવનાર હોવાથી આ ૮૮ સૂત્રો કહેવાય છે. આ સૂત્રો સર્વ દ્રવ્ય-પર્યાની અને તમામ ભાંગાઓના ભેદાદિની હકીકતને જણાવતા હતા. અહીં ૮૮ સૂત્રોમાં ૪ વિભાગે જણાવ્યા છે. તે આ પ્રમાણે-૧, બાવીસ સુત્રો છિન્નઈદનયિક કહ્યાં હતાં. આ નયના અભિપ્રાયે દરેક સૂત્રની વ્યાખ્યા માંહમાંહે એક બીજા સૂત્રની વ્યાખ્યાની સાથે અસંબદ્ધ થતી હતી. એટલે પહેલા સુત્રની વ્યાખ્યાનો સંબંધ બીજા સૂત્રની વ્યાખ્યાની સાથે હોય નહિ. એમ ત્રીજા ચાથા સૂત્રાદિની વ્યાખ્યામાં પણ સમજી લેવું. તથા બાવીશ સૂત્રો અછિન છેદનયિક કહ્યાં હતાં. તેમાં એક સૂત્રની વ્યાખ્યાની સાથે બીજા સૂત્રની વ્યાખ્યાનો સંબંધ ચાલુ રહેતો હતો. એટલે આ બાવીસ સૂત્રોની વ્યાખ્યા જેમ એક બીજા સૂત્રની વ્યાખ્યા સાથે માંહોમાંહે અર્થની અપેક્ષા ચાલુ રહે તે રીતે થતી હતી. તેમજ ૨ સૂત્રો વિનયવાળાં હતાં. એટલે રાશિકમતને અવલંબીને દ્વવ્યાસ્તિકાયાદિ ત્રણ ન કરી આ રર સૂત્ર વિચારતા હતા. અને છેલ્લાં ૨૨ સૂત્રો સંગ્રહાદિ ચાર નયે વિચારતાં હતાં. ૩. પૂર્વગત, ૪. ચૂલિકાઆ બંનેનું રહસ્ય પહેલા જણાવી દીધું છે. શ્રીનંદીસત્રાદિમાં આ રીતે દષ્ટિવાદની ટૂંક બીના કહીને અંતે કહ્યું છે કે અહીં ગણત્રીની એટલે સંખ્યાતી વાચના, સંખ્યાતા અનુગદ્વારે, અને સંખ્યાતા વેષ્ટક (પ્લેક વિશેષ), સંખ્યાતા કે, તથા સંખ્યાતી પ્રતિપત્તીઓ, તેમજ સંખ્યાતી નિયુક્તિઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy