SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧૧, શ્રી વિપાક સૂત્રાંગના પિચય) ૩૦૧ હતા. પાપકર્માંના ઉદયે તે પદ્માવતી રાણીમાં આસક્ત થયા. આ નિમિત્તે ભૂરી હાલતે મરણ પામી પહેલી તરકે ગયા વગેરે બીના જણાવી છે. આમાંથી મેધ લેવાના એ કે હિંસા અને પરસ્ત્રીની આસક્તિથી બૃહસ્પતિદત્તને દુતિના દુ:ખાભાગવવાં પડયાં, હે જીવ! તારે તે બંને પાપને તજીને મેાક્ષ માની આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ મેળવવા જરૂર પ્રયત્નશીલ થવું, એ કરવામાં જ માનવજીવનનું રહસ્ય રહેલુ છે. ૬. છઠ્ઠા સુદન નામના અધ્યયનમાં કહ્યું છે કે મથુરાના ભડીરવન નામના ગીચામાં સુદર્શન નામના યક્ષનુ મંદિર હતું. આ યક્ષના નામે અધ્યયન આળખાય છે, પણ અહીં નદીવન નામે શેઠના પુત્રની બીના કહેલી હાવાથી નદીન નામનું અધ્યયન પણ કહી શકાય. તેની હકીક્ત ટૂંકામાં આ પ્રમાણે જાણવી- મથુરા નગરીમાં શ્રીદામ શેઠની બંધુશ્રી નામની ભાર્યાંને નંદિવર્ધન નામના પુત્ર હતા, તે પાછલા ભવમાં સિહપુરના સિંહરથ રાજાના કેદખાનાના ઉપરી દુર્યોધન નામે ચારકપાલ હતા. હિંસાદિ કરવાથી તે મરીતે છઠ્ઠી નરકે જઈ અહીં નંદીવન પણે જન્મ્યા. અનુક્રમે મેાટા થતાં તેણે પિતાને મારવાનું કાવતરું રચ્યું. તે વાત રાજાએ મંત્રીના કહેવાથી જાણી ત્યારે તેને મારી નખાવ્યા, ભૂરી હાલતે મરીને તે પહેલી નરકે ગયા વગેરે હકીકત વિસ્તારથી જણાવી છે. હિતશિક્ષા હે જીવ! માતાપિતાના અનહદ ઉપકારા યાદ કરીને તેમની નિર્તર ભક્તિ કરજે, પણ તેમની હાય લઈશ નહિ. તેમના કહ્યા પ્રમાણે વર્તવાથી જ તારું કલ્યાણ થશે. કદાચ ભક્તિ ઓછી કરાય, તેા પણ તેમને મારવાના વિચાર પણ કરીશ નહિ. તેવી નીચ ભાવનાથી તેા નંઢીવન દુર્ગતિમાં ગયા. આ વાત ધ્યાનમાં રાખી તમામ વેાનુ ભલું કરવાની ભાવના ભાવજે, ને શુદ્ધ મનથી મેાક્ષ માર્ગને આરાધી સિદ્ધિના સુખ પામજે. ૭. સાતમા ઉબરદત્ત નામના અધ્યયનમાં કહ્યું છે કે પાડલખંડ નામના નગરમાં ખરદત્ત નામના યક્ષનુ મંદિર હતું. આ નગરના સિદ્ધાર્થ નામે રાજા હતા. અહીં સાગરદત્ત સાÖવાહને ખરદત્ત નામે પુત્ર હતા. અહીં શ્રીમહાવીર પ્રભુ પધાર્યાં વગેરે ભીના જણાવ્યા બાદ એક રાગી ભીખારીને જોતાં શ્રીગૌતમસ્વામીએ તેની બાબતમાં પ્રભુને પૂછતાં પ્રભુદેવે તેના પૂર્વ ભવની મીના કહી. તે આ પ્રમાણે વિજયપુર નગરમાં કનકરથ રાજા હતા. અહીં એક ધન્વ’તરી વૈદ્ય બીજા જીવાને માંસ ખાવાના ઉપદેશ દેતા હતા. તે માંસાહારાદિના પાપે છઠ્ઠી નરકે ગયા. ત્યાંથી ઉબરદત્તપણે ઉત્પન્ન થયા. પૂર્વે કરેલા જીહિંસાદિ પાપ કર્માંના ઉદ્દયથી તેના શરીરમાં સાળ રાગા ઉત્પન્ન થયા. તે ઉમદત્તના જીવ ભીખારી રૂપે ઉપજેલા તેં જોયા હતા. અહીથી મરીને પહેલી નરકે ગયા વગેરે બીના જણાવી છે. આમાંથી બેધ એ લેવા કે માંસાહાર અને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy