SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત ૮ આઠમા (૩) અદત્તાદાન વિરમણ મહાવત નામના અધ્યયનમાં ૧. અદત્તાદાન વિરમણનું સ્વરૂપ, ૨. વિસ્મૃત એટલે કઈ ચીજ કેની છે? તેની ખબર ન હોય તો, તેવી ચીજ અથવા તેવા પ્રકારના બીજા પણ પદાર્થો લેવાય નહિ, ૩. જે ઘરમાં જવાથી માલિકને અપ્રીતિ થાય, તેવા ઘરમાં મુનિએ જવું નહિ, ૪. અપ્રીતિવાળા દાયક શ્રાવકાદિની પાસેથી મુનિએ પીઠ ફલક વગેરે જેવાં નહિ, ૫. મુનિને કેવા પીઠ વગેરે ખપે? અને કેવા પીઠ વગેરે ન ખપે? ૬. ઉપધિ વગેરેના દાતાનું સ્વરૂપ, ૭. બાલમુનિ વગેરેના વૈયાવચ્ચ કરવાના શુભ સંસ્કારવાળા મુનિઓએ તપસ્વિ-કુલ-ગણ-સંઘ –ચત્ય વગેરેના નિમિત્તે ઉદ્યમશીલ થવું, ને અપ્રીતિવાળા દાયકના પીઠાદિ પદાર્થો વાપરવા નહિ. આ બધી હકીકત વિસ્તારથી સમજાવીને અંતે ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાનું સ્પષ્ટ સ્વરૂપ જણાવ્યું છે. ૯. નવમા (૪) બ્રહ્મચર્ય નામના અધ્યયનમાં ૧, બ્રહ્મચર્યનું સ્વરૂપ, ર. તેનો મહિમા, ઉત્કૃષ્ટપણું, પ્રભાવ, ૩. બ્રહ્મચારીએ જવા લાયક સ્થાને, ૪. બ્રહ્મચર્યનું ફળ, પ. બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવના વગેરે બીના વિસ્તારથી જણવી છે. ૧૦. દશમા (૫) અપરિગ્રહ મહાવ્રત નામના અધ્યયનમાં એક પ્રકારને અસંયમ, બે પ્રકારના બંધન વગેરે એકેક સંખ્યાની વૃદ્ધિ કરીને ત્રણ ચાર પાંચ વગેરે પદાર્થોનું સ્વરૂપ જણાવ્યું છે. પછી કહ્યું કે મુનિવરેને છત્રક (છત્રી) ફૂલો વગેરે ન ખપે, એદનાદિની સંનિધિ રખાય નહિ, ઊંદ્દષ્ટાદિ દોષથી દૂષિત આહારપણું ન ખપે આ બીના વિસ્તારથી સમજાવીને સાધુઓને ખપી શકે તેવા આહાર પાત્રા પુંજણ પટલા (પલ્લા) ગુચછા વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. અંતે સાધુનું યથાર્થ સ્વરૂપ જણાવીને આની પાંચ ભાવના કહેવાના પ્રસંગે કહ્યું છે કે મુનિઓએ શુભાશુભ શબ્દાદિમાં રાગ દ્વેષ ન કરવા જોઈએ. આ બધી બીના વિસ્તારથી જણાવી છે. સંવર દ્વારનાં પાંચ અધ્યયનને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી પ્રશ્ન વ્યાકરણાંગ સૂત્રને ટૂંક પરિચય પૂરે થયે. શ્રી જેને પ્રવચન કિરણાલીને અગીઆરમો પ્રકાશ પૂર્ણ થયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy