SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૧] છે પણ તે બધામાં આ ગ્રંથ કઈ જુદી જ ભાત પાડે તેવો છે. આ ગ્રંથને સ્થિરતા પૂર્વક વાંચનારને તે તે આગમોના અભ્યાસ વગર પણ આગમોના વિષયનું ઊંડાણથી જ્ઞાન પ્રાપ્ત થશે-એ નિ:શંક છે. ઘણાં વર્ષો પહેલાં એનું પ્રકાશન કરવામાં આવ્યું હતું વર્તમાનમાં તે અપ્રાપ્ય બનતા વારંવાર તેની થતી માંગણીને લક્ષ્યમાં લઈને આનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે તે સર્વથા આવકાર્ય છે. પ્રસ્તુત કૃતિકાર અંગે આગમ-સાગરનું મન્થન કરીને તેમાંથી કાઢવામાં આવેલ રત્નસમી આ કૃતિના પ્રણેતા છે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયપધસૂરીશ્વરજી મ. શ્રી જેઓ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ અનેક તીર્થોદ્ધારક શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના સમર્થ શિષ્યરત્નો પૈકીના એક હતા-એટલું જ નહિ પણ શાસનસમ્રાટના સમુદાયમાં ગૌરવરૂપ હતા. જન્મભૂમિ તો હતી જેનનગર તરીકે જાણીતું અમદાવાદ શહેર, અને તેમને જન્મ થ હતો ધર્મની શ્રદ્ધા માટે પંકાયેલી પોરવાડ જ્ઞાતિમાં, પ્રાથમિક અભ્યાસ અને સંસ્કાર અમદાવાદમાં જ પ્રાપ્ત થયા હતા. પૂર્વ કેઈ જબરજસ્ત સંસ્કારી આત્મા હતો. જીવનની કોઈ એક સુભગપળે શાસનસમ્રાટશ્રીજીને સમાગમ થયે. સંસારની અસારતા દર્શાવતા તેઓનાં વેધક વચને તેમના હૈયામાં આરપાર ઊતરી ગયાં ઘણા બધા વિરોધ વચ્ચે પણ જરાયે ન મૂઝાતા પ્રબળ ત્યાગ-વૈરાગ્યની ભાવનાથી સં. ૧૯૭૧માં સંયમ સ્વીકારી શાસનસમ્રાટશ્રીના શિષ્ય બન્યા “કાળા ઘો” એ વાકયને જીવનમંત્ર બનાવી દીધો– પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રા અને પૂજ્ય બહશ્રત આચાર્ય મહારાજ શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ.ની શિક્ષા પામી તેમણે જ્ઞાનાભ્યાસની ધૂણી ધખાવી. ન જેવે રાત, ન જો દિવસ, ન જેવે ગામ ન જોવે જંગલ. બસ એકજ લગની-ભણવું, ભણવું ને ભણવું. ગુરુકૃપાએ અજબ ચમત્કાર સર્યો. થોડા જ સમયમાં ને સ્વલ્પ પ્રયત્નની વિદ્યાની વિવિધ શાખાઓનું અવગાહન કર્યું. અનેક શાસ્ત્રોનું હૃદયસ્પર્શી અધ્યયન કર્યું અને તેમની પ્રતિભા ગદ્ય-પદ્યરૂપે સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતીમાં ઝબકવા માંડી. | મા શારદાની પણ જાણે તેમના ઉપર કૃપા વરસી હોય તે રીતે તેમની કૃતિમાં સ્વાભાવિકતા-પ્રાસાદિકતા અને મમતા સુભગ સમન્વય સધાયો. જ્ઞાન ધ્યાનમાં તે એકકા હતા, પણ તપની વાત આવે તો તેઓ લાચાર બની જતા. તેમનાથી તપ ઓછું થતું તેમ છતાં પણ શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી તેઓએ ઉત્તરાધ્યયન આચારાંગ આ સૂત્રોના ગાદવહન કર્યા. પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના ગોદ્દવહન કરી વિ.સં. ૧૯૮૨ માં પાટણ મુકામે ગણિપદથી વિભૂષિત થયા. તથા સં. ૧૮૨ માં પંન્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy