SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રને પરિચય) ર૪પ અગીઆર અંગેનો અભ્યાસ કર્યો, અને ૧૨ ભિક્ષુ પ્રતિમા અને ગુણરતન સંવત્સરાદિ વિવિધ તપશ્ચર્યાદિથી આત્મહિત સાધ્યું. ત્યાર પછી તે મુનિના શરીરનું વર્ણન અને અંતે કરેલ અનશનની હકીક્ત જણાવી કહ્યું છે કે તે મુનિ સમાધિથી કાલધર્મ પામી વિજય વિમાનમાં એકાવતારી અનુત્તર દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદ સિદ્ધિપદ પામશે. બીજા સંધાટક જ્ઞાત અધ્યયનને ટ્રેક પરિચય જે જીવ હિંસદિ પાપકર્મો કરે તે દુઃખી થાય છે ને અહિંસાદિ સુંદર કાર્યો કરે તે સુખી થાય. આ હકીકતને યથાર્થ સમજાવનારું ધન્ય સાર્થવાહ અને વિજય ચરનું ઉદાહરણ જણાવ્યું છે. તેમાં કહ્યું છે કે ધન્ય સાર્થવાહના બાળપુત્રને મારી કૂવામાં નાંખી વિજય ચેરે તેનાં ઘરેણાં લઈ લીધાં, તેથી રાજસેવકે તેને કેદખાનામાં પૂર્યો. ત્યાર પછી એક વખત દાણ વગેરેની ચરીને અપરાધ કરવાથી ધન્ય સાર્થવાહને પણ તે ચેરની સાથે જ એક જ બેડીમાં નાખે, ધન્ય સાર્થવાહના ઘેરથી ભેજનને દાબડે આવ્યો. તેમાંથી ક્ષુધાતુર થયેલા ચારે ભેજન માગ્યું, પણ તેણે આપ્યું નહિ, ધન્ય સાર્થવાહને જંગલ જવાની બાધા થઈ, ત્યારે એક જ બેડીમાં રહેલો વિજય ચાર ધન્ય સાર્થવાહની સાથે ન આબે, તેથી તેને વહીનીતિ ( કલા )ની બાધા સહન કરવી પડી. આ મુશ્કેલી દૂર કરવાના ઇરાદાથી જ ધન્ય સાર્થવાહે ચોરને કબૂલાત આપી કે “હું તને મારા ભેજનમાંથી ભાગ આપીશ. ” તેથી વિજય ચાર ધન્યનું કામ રાજી થઈને કરવા લાગે. ધન્યના મિત્રોએ રાજાને દ્રવ્યાદિ આપીને તેને છોડાવ્યો. તે ઘેર ગયો, ત્યારે બીજા સગાંઓએ ધન્યનાં બહુમાન સરકાર કર્યા. પણ ચોરને ભેજન દેવાની વાત જાણવાથી ભદ્રાએ રોષે ભરાઈ તેને આદર સત્કાર કર્યો નહિ. ધન્ય સાથે વાહે સાચી વાત જણાવી કે તેને ભેજન આપ્યા વિના નિર્વાહ થાય તેમ નહોતું, ત્યારે તે શાંત થઈ. આ દૃષ્ટાંત જણાવીને સુધર્માસ્વામીએ જ બુસ્વામીને મૂલ હકીકત જણાવી કે જેમ ધન્ય સાર્થવાહે સ્વાર્થ માટે ચારને ભેજન આપ્યું, તેમ મુનિવરોએ સંયમાદિનો નિર્વાહ કરવામાં મદદગાર આ દેહ છે, આ મુદ્દાથી તેને આહારાદિથી પિષ વ્યાજબી છે. આ વિસ્તાર ટીકાકારે ટીકામાં કર્યો છે. તેમણે ત્યાં આહારદિમાં લુબ્ધ એવા સાધુને વિજય ચારના જેવો કહીને જણાવ્યું છે કે ધન્ય સાર્થવાહે ધર્મઘોષ અનગારની પાસે દીક્ષા લઈને તે આરાધી આત્મકલ્યાણ કર્યું, ને વિજય ચેર મરીને નરકે ગયો. ત્રીજા અંડકજ્ઞાત અધ્યયનને ટ્રેક પરિચય અહી ઈંડાનું દષ્ટાંત દઈને મુનિવરોને હિતશિક્ષા ફરમાવી છે. તેની ટૂંકી બીના આ પ્રમાણે જાણવી, જિનદત્ત અને સાગરદત્ત નામના બે સાર્થવાહના પુત્રો માંહોમાંહે પ્રીતિવાળા હતા. તેમણે કઈ બગીચામાં ફરતાં ફરતાં એક મયૂરીના બે ઇંડાં જોયા. તે બંને મિત્રોએ ઘેર લઈ જઈ પોતપોતાના મયૂરપાલક નોકરોને આપ્યાં. તેમાં એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy