SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી વિજયસૂરીશ્વરકૃત ચિકિત્સાથી તે રાજર્ષિ સાજા થયા. પરંતુ આહારાદિકમાં મૂર્ણિત થયેલા હોવાથી તેમણે વિહાર કર્યો નહિ. તેથી પંથક અનગાર સિવાયના સર્વ સાધુઓ વિહાર કરી ગયા. પંથક સાધુ તેમની સેવા કરવા રહ્યા. રાજર્ષિ સેલક તે સર્વ સાધુ ક્રિયા કરવામાં શિથિલ થયા. છેવટે મારી પ્રતિક્રમણના ખામણ કરતાં પંથક મુનિ તેમના પગને અહયા, ત્યારે નિદ્રામાં ભંગ પડવાથી સેલક રાજર્ષિ કોધથી બોલવા લાગ્યા. તેમને પંથકે ખમાવ્યા, ત્યારે કારણ પૂછતાં તે પ્રતિબંધ પામ્યા, અને છેવટે નિર્મળ ચારિત્ર પાળી સિદ્ધ થયા, ૬. તુંબક અધ્યયન-કર્મબંધનાં કારણો સેવવાથી જીવ ભારે કમી થઈ નીચે દુગતિમાં જાય છે, ને તેથી અલગ રહી કર્મ નિર્જરાના સાધનો સેવનારો જીવ ઉર્ધ્વગતિ પામે છે. આ વાત યથાર્થ સમજાવવા માટે માટીના આઠ લેપવાળા અને તેવા લેપરહિત તુંબડાનું દૃષ્ટાંત અહીં આપ્યું છે. તેથી આનું નામ તુંબક અધ્યયન પ્રસિદ્ધ છે. જેમ લેપવાળું તુંબડું લેપના ભારથી પાણીમાં તળીયે જાય, ને લેપ દૂર થતાં પાણીની ઉપર આવે, તેમ કર્મબંધના ભારથી જીવ અધોગતિ પામે છે. ને કર્મોને ભાર ખસતાં ઉર્ધ્વગતિ (સ્વર્ગ કે મોક્ષ) પામે છે, ૭. રોહિણી અધ્યય-ધન્યન શેઠની પુત્રવધૂ (દીકરાની સ્ત્રી) રહિણીનું દષ્ટાંત દઇને પંચ મહાવ્રતોની આરાધના કરવાનું ને કરાવવાને ઉપદેશ આપે છે. તેથી આનું નામ રહિણી અધ્યયન પ્રસિદ્ધ છે. જેમાં તેણે પાંચ ચેખાના દાણા વવરાવીને બહુજ દાણ વધાર્યા તેમ મુનિવરેએ પાંચ મહાવ્રતોને આરાધી બીજા ઘણા જીવોને તેના આરાધક બનાવવા જોઈએ એ આ અધ્યયનને સાર છે. ૮, માલી અધ્યયન-અહીં ઓગણીસમા તીર્થંકર શ્રી મહલીનાથનું જીવન ચરિત્ર કહ્યું છે. તેથી આનું નામ મલીઅધ્યયન પ્રસિદ્ધ છે. હ. માર્કદી અધ્યયન-માનંદી સાર્થવાહનો પુત્ર જિનપાલિત કામગથી વિરક્ત બની સુખી થશે, ને જિનરક્ષિત નામને બીજો પુત્ર કામગમાં આસકત થતાં દુ:ખી થયો. આ હકીકત અહીં વિસ્તારથી જણાવી છે. બંને પુત્રોના પિતાના નામથી આ અધ્યયન પ્રસિદ્ધ છે. ૧૦ ચંદ્ર અધ્યયન- જેમ કૃષ્ણપક્ષમાં એકમથી અનુક્રમે ચંદ્રનું તેજ ઘટે, તેમ પ્રમાદી છોના ગુણે ઘટતા ઘટતા સર્વથા ઘટી જાય છે. ને અપ્રમાદી છના ગુણો. સુદ એકમથી અનુક્રમે જેમ ચંદ્રકલા વધે તેમ વધતા જાય છે. આ વાત ચંદ્રના દષ્ટાંત સમજાવી છે. માટે ચંદ્ર અધ્યયન કહેવાય છે. ૧૧. દાવદ્રવ અધ્યયન-મુનિએ દીક્ષા લીધા પછી ચારિત્રના સંપૂર્ણ આરાધક થવું જોઈએ પણ વિરાધક ન જ થવું. આ વાતને દાવદ્રવ નામના વૃક્ષનું દષ્ટાંત દઈને સ્પષ્ટ સમજાવી છે, તેથી “દાવદ્રવ અધ્યયન' નામ પ્રસિદ્ધ છે. તે ઝાડ સમુદ્રની વચમાં રહેલા દ્વીપમાં થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy