SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ શ્રીવિજયસૂરીશ્વરકૃત પોષી, દિનરાત્રિનું પ્રમાણ અને યથાયકાલ વગેરેની બીના, તથા નારકાદિની સ્થિતિ જણાવીને પાપમાદિ બહુ દીર્ઘકાલને ક્ષય થવામાં મહાબેલનું દષ્ટાંત જણાવ્યું છે. ૧૨. બારમા ઉદ્દેશામાં આલંભિકા નગરીના શંખવન નામના ચૈત્યવાળા પ્રદેશમાં આ અધિકાર વર્ણવ્યો છે. અહીં અષિભદ્ર પુત્ર વગેરે શ્રાવકને માંહે માંહે દેવેલેકમાં દેવોની સ્થિતિ, જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ વગેરેની ચર્ચા થતાં નિર્ણય અધૂરો રહ્યો. અહીં પધારેલા પ્રભુ મહાવીરને પૂછતાં સંપૂર્ણ નિર્ણય થતાં જેને ભૂલ જણાઈ તે શ્રાવકે બીજા શ્રાવકને ખમાવ્યા, પછી પૂછયું કે ઋષભદ્ર પુત્ર દીક્ષા લેશે? અહી થી તે કઈ ગતિ પામશે? દેવલોકથી ચ્યવીને કયાં જન્મ લેશે? આ પ્રશ્નોત્તરે સ્પષ્ટ સમજાવ્યા છે. શ્રી ભગવતીજીના ૧૧મા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના બારમા શતકને ટૂંક પરિચય આના ૧૦ ઉદ્દેશાના ટુંક સારને જણાવનારી સંગ્રહગાથા કહી છે. પછી પહેલા ઉદેશામાં શ્રાવતિ નગરીના રહીશ શંખ શ્રાવક વગેરે શ્રાવકેની બીના, જાગરિકાનું સ્વરૂપ તથા કષાયના વિપાકો ( કડવાં ) વગેરે પદાર્થો વર્ણવ્યા છે. તેમાં શંખ શ્રાવકને ઉત્પલા નામની સ્ત્રી છે, બીજા પુષ્કલી શ્રાવક છે. શંખ શ્રાવકને વિચાર થાય છે કે “અશન વગેરેનો આહાર કરતાં પાક્ષિક પૌષધ લેવો મારે શ્રેયસ્કર (કલ્યાણકારક) નથી. » પૌષધ લીધા પહેલાં શંખ શ્રાવકે જણાવ્યા પ્રમાણે પુષ્કલિ શ્રાવક શંખ શ્રાવકને આહારાદિ કરવા માટે બોલાવે છે, ત્યારે શંખ શ્રાવકે પુષ્કલી શ્રાવકને કહ્યું કે આહારને આસ્વાદ કરીને (એકાસણું કરીને) પૌષધ કરવાના ઇરાદે પહેલાં હતો, પણ હાલ આહાર વાપરવાની ઇચ્છા નથી. મેં ઉપવાસ કર્યો છે. પદયે આ અવસરે પ્રભુ શ્રી મહાવીરવ પધાર્યાની બીના સાંભળી તેણે નક્કી વિચાર કર્યો કે “હું પ્રભુને વાંદીને પારણું કરીશ.' તે પ્રમાણે તેણે કર્યું પણ ખરું, બીજા શ્રાવકે શંખ શ્રાવકની નિંદા કરતા હતા, તે જાણી પ્રભુએ તેમને નિંદા કરવાની ના પાડી, ને કહ્યું કે તે આસન્નસિદ્ધિક, દહધમી અને જરૂર મોક્ષને પામનારો ભવ્ય જીવ છે. પછી તેઓએ શંખ શ્રાવકને ખમાવ્યા. આ હકીકત વિસ્તારથી સમજાવીને કહ્યું કે જાગરિકાના ત્રણ ભેરો છે. તે આ પ્રમાણે-૧, બુદ્ધ જાગરિકા, ૨. અબુદ્ધ જાગરિકા, અને ૩, સુદર્શન જાગરિકા. તેમાં સર્વજ્ઞ અરિહંતદેવ બુદ્ધજાગરિકા જાગે છે. અષ્ટ પ્રવચનમાતાના પાલન વગેરે ગુણેને ધારણ કરનાર મુનિએ અબુદ્ધ જાગરિકા જાગે છે. છદ્રસ્થ મુનિઓને બંધ (કેવલજ્ઞાન) ન હોવાથી જ અહીં અબુદ્ધ કહ્યા છે એમ સમજવું. બાકી તેઓ મતિજ્ઞાનાદિને ધારણ કરનારા તો જરૂર હોય છે જ, તથા દઢ સમ્યગન ગ્રતાદિધારક શ્રાવકે સુદર્શન જાગરિકા જાગે છે. આ રીતે જાગરિકાને અધિકાર પૂરો થયા બાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy