SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત વિપાક સંયુક્ત હોય તેનું શું કારણ? ૪. શું કલ્યાણકર્મ કલ્યાણ ફલવાળું હોય? કલયાણુક કલ્યાણુફલવિપાક સહિત હોય તેનું શું કારણ? આ પ્રશ્નોના ઉત્તરો સમજી કાલેદાયી પ્રતિબંધ પામી સાધુ થયા ને સંયમ સાધી સિદ્ધ થયા પછી અગ્નિ સળગાવવામાં ને ઓલવવામાં મહાકર્મતાનો ને અલ્પકર્માતાને વિચાર જણાવી અંતે અચિત્ત પુદ્ગલ પ્રકાશ કરે? આનો ખુલાસો કરતા તેજલેશ્યાના અચિત્ત પુદગલના પ્રકાશ વગેરેની બીના સ્પષ્ટ સમજાવી છે. શ્રીભગવતીજીના ૭મા શતકનો ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના આઠમા શતકને ટૂંક પરિચય ૧. પહેલા ઉદેશામાં ૧૦ ઉદેશાની સંગ્રહણી ગાથા, પ્રગપરિણત પુદગલો અને મિશ્ર પરિણત પુદ્ગલેને નવ નવ દંડકોમાં વિચાર કરી વિશ્રસાપરિણત પુદ્ગલેની બીના કહી છે. પછી ત્રણ યોગ વગેરેને ઉદ્દેશીને પણ તે પ્રયાગાદિ પરિણત યુગલોની બીના કહ્યા બાદ અંતે તે બધાંનું અલ્પબદુત્વ જણાવ્યું છે. ૨. બીજા ઉદેશામાં જાતિની અપેક્ષાએ અને કર્મની અપેક્ષાએ આશીવિષની સ્પષ્ટ ભેદ પ્રભેદ સાથે બીના જણાવીને છદ્મસ્થ ન જાણે તેવાં દશ સ્થાનકે, જ્ઞાન-અજ્ઞાનનું વર્ણન, તેના ભેદાદિના વિચાર, જીવના નારકાદિ દંડકમાં જ્ઞાત્વિ-અજ્ઞાનિત્વનો વિચાર, ગતિ-ષિાદિ માગણામાં જ્ઞાનિવાદિનો વિચાર તથા લબ્ધિનું સ્વરૂપ, તેના ભેદાદિ તેમજ લબ્ધિવાળા અને લબ્ધિરહિત જીવમાં જ્ઞાનિવાદિને વિચાર કહીને, જ્ઞાન અજ્ઞાનાદિનો વિષય અને જ્ઞાનાદિના સ્થિતિ ને પર્યાનું સ્વરૂપ જણાવ્યું છે. અંતે તે બધાના નાના મોટાં અલ્પબહુવ તથા પ્રસંગને અનુસરીને પરિહાર વિશુદ્ધિ આદિની પણ બીના વિસ્તારથી સમજાવી છે. ૩. ત્રીજા ઉદેશામાં વૃક્ષ (ઝાડ) ના ભેદ વગેરે બીના કહી છે. અહીં ઝાડના સંખ્યાત છવીનું, અસંખ્યાતજવીનું, એક બીજવાળાં વૃક્ષેનું, તથા અનંત જીવોવાળાં વૃક્ષોનું સ્વરૂપ વગેરે કહીને જણાવ્યું કે કોઈ જીવના દેહના બે ત્રણ કે સંખ્યાના ટુકડા કર્યા હોય, તે તેની વચ્ચેનો ભાગ છવ પ્રદેશથી પૃષ્ટ હોય કે નહિ? તથા અરૂપી જીવપ્રદેશને શસ્ત્ર વગેરેથી પીડા થાય કે નહિ ? આના સ્પષ્ટ ઉત્તરે દેતાં જણાવ્યું છે કે દાયેલા કાચબા વગેરેની વચમાં રહેલા પ્રદેશ અરૂપી હોવાથી શાદિથી પીડા ન થાય. જેમ બારણાંની તડમાં ગિરેલીની પૂંછડી દબાઈ જવાથી કપાય, ત્યારે કપાયેલી પૂંછડીની અને બાકીના શરીરના ભાગની વચમાં રહેલા આત્મપ્રદેશ અરૂપી હોવાથી તેમને શસ્ત્રાદિના સંબંધથી પીડા વગેરે ન થાય, અંતે પૃથ્વીઓ વગેરેની ચરમતાલિ (ચરમપણું વગેરે) ની બીના સ્પષ્ટ સમજાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy