SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રના પરિચય ) ૧૮૫ એટલે પરમાણુ વગેરેના અંતરકાલ, કહીને દ્રવ્યસ્થાનાયુ વગેરે ચાર પદાર્થોનું અલ્પબહુત્વ જણાવ્યુ` છે, પછી કહ્યું કે નરકના જીવો આરંભી છે, તે પરિગ્રહી છે. આ ખીના ચાવીશે ઢંડકામાં વિચારી છે, પછી શરીરાદ્ધિની હકીકત કહીને અંતે પાંચ હેતુ-અહેતુનું સ્વરૂપ જણાવ્યું છે. અહી' સટીક ખ'છત્રીશી પણ જણાવી છે. શ્રીભગવતીજીના પાંચમા શતકના આઠમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં કહ્યું છે કે પ્રભુ શ્રી મહાવીર દેવના નારપુત્ર મુનિ અને નિગ્રંથીપુત્ર અનગારી આ એ શિષ્યા હતા. તેમાંના નાદપુત્ર એમ માને છે કે તમામ પુદ્ગલા સા` ( જેના અર્ધા બે ભાગ થાય તેવાં) છે, તે સમધ્ય એટલે મધ્યભાગવાળા તથા પ્રદેશવાળા છે. નિત્ર થીપુત્ર અનગાર આ વાત ખોટી સાબિત કરી સાચી હકીકત જણાવે છે, ત્યારે પાતાની ભૂલ કબૂલ કરી નારદપુત્ર અનગાર નિ'થીપુત્ર અનગાને ખમાવે છે. પછી વિહાર જણાવીને શ્રી ગૌતમસ્વામીજીએ પૂછેલ પ્રશ્નના જવાબમાં પ્રભુએ કહ્યું કે જીવે વધે ઘટે નહિ, અવસ્થિત છે, એમ સર્પી દંડકામાં સમજવું, સિદ્ધોમાં પણ આ વિચાર જણાવી કહ્યું કે જીવા કાયમ સ કાલ રહે છે. તે નારકો જઘન્યથી એક સમય સુધી તે ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્ય ભાગ સુધી વધે છે ને ઘટે છે. તથા નારકોનું અવસ્થાન જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ચાવીશ મુહૂત્તો સુધી જાણવું, એમ સાતે નરકમાં તેને લગતી વિશેષતા જણાવવાપૂર્વક આ બીના જાવી છે. આ વિચારણા બાકીના દડકામાં અને સિદ્ધોમાં પણ જેમ ઘટે તેમ જણાવી છે. પછી વેાના અને સિદ્ધોના સાપચયાદિ સ્વરૂપને અંગે જરૂરી મીના કહીને કાલની અપેક્ષાએ જીવમાત્રને લગતી એ જાતની વિચારણા કરી છે. શ્રી ભગવતીજીના પાંચમા શતકના નવમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં રાજગૃહ નગરનું સ્વરૂપ જણાવી કહ્યું કે શુભ પુદ્ગલેાના સંસથી દિવસે પ્રકાશ અને અશુભ પુદ્ગલાની વિશેષતાથી રાતે અંધારું હોય છે. આ જ કારણથી નરકમાં પણ અંધારુ... જાણવું, એમ તેન્દ્રિયના દંડક સુધીના દંડકોમાં અંધારુ... હાય. પણ પછી ચતુિિન્દ્રયાદિમાં પ્રકાશ અને અંધારું અને હેાય. તમામ સ્વર્ગમાં પ્રકાશ હેાય. નારકીઓને કાલના ખ્યાલ ન હાય. કારણ કે તેવુંા ખ્યાલ અઢીદ્વીપમાં જ હોય છે, એમ પંચેન્દ્રિય તિય ચામાં પણ જાણવુ, મનુષ્યાને કાળના ખ્યાલ હોય ને દેવાને તે ન હેાય. પછી શ્રીપાર્શ્વનાથના વિરોએ પ્રભુ શ્રીમહાવીરને પૂછ્યું. કે અસંખ્ય પ્રદેશવાળા લાકમાં અનંતા રાત્રિ દિવસા શી રીતે ઘટી શકે ? પ્રભુએ શ્રીપાર્શ્વનાથની સાક્ષી આપીને તે વાત સ્પષ્ટ સમજાવતાં તેમને ખાત્રી થઈ કે પ્રભુ શ્રીમહાવીર ‘સ`જ્ઞ છે, ' પછી પાંચ મહાવ્રત ધને સ્વીકારી આરાધીને તે વિર માક્ષે ગયા. આની પછી દેવલાકની ગણત્રી અને સંગ્રહુ ગાથા કહીને વિહાર જણાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy