SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના બીજા ઉદ્દેશાના મુદ્દાઓ ટીકાકારે પહેલા ઉદ્દેશાનો ને બીજા ઉદ્દેશાને અર્થની અપેક્ષાએ સાંકળની કડીએના જેવા સંબંધ જણાવી ઉદ્દશાના અર્થને ટૂંકામાં જણાવનારી ગાથામાં કહ્યું છે કે જીવ ઉદયમાં આવેલા દુઃખ એટલે કર્મ અને આયુષ્યને વેદ છે એટલે ભગવે છે. અને અનુદીર્ણ એટલે ઉદયમાં નહિ આવેલા કર્મને અને આયુષ્યને ભેગવત નથી. નારકી વગેરે જીવોના આહાર, કર્મ, વર્ણ, વેશ્યા, સરખી વેદના, સરખી ક્રિયા અને સરખા આયુષ્ય, આ સાત પદાર્થોના સમતા (સરખાપણાના) અને વિષમતાના પ્રશ્નોના ઉત્તરો પણ સમજવા લાયક છે. “જે કર્મોને કર્યા છે, તે જ જીવ કર્મના ફલને ભેગવે છે.” આ સત્ય બીના જણાવવા માટે પ્રભુએ કહ્યું કે કર્મનો કર્તા (બાંધનાર) જીવ જ ઉદયમાં આવેલા કર્મને ભેગવે છે, એ જ બીના આયુષ્યની બાબતમાં પણ સમજવાની છે. ચોવીશે દંડકોના જીવોને લક્ષ્યમાં રાખીને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પણ પ્રભુદેવે કહ્યું કે નારકી વગેરે જીવોમાંનો એક છવ કે અનેક છે એ જ પ્રમાણે ઉદયમાં આવેલા કર્મ, આયુષ્યને ભોગવે છે. અહીં આવા એકવચન બહુવચનવાળા પ્રશ્નો પૂછવાનાં બે કારણે પણ ટીકાકારે સમજાવ્યાં છે. પછી તમામ નારકીઓના આહારદિ (આહાર, શરીર અને ધાસોરવાસ) એક સરખા ન હોય તેમાં તેમના શરીરનું મોટાપણું ને નાનાપણું કારણ તરીકે જણાવ્યું છે. પછી બધા નારકીઓ સરખાં કર્મવાળાં નથી, એનું કારણ જણાવ્યું કે નરકમાં પહેલાં ઉપજેલા જીવોને કર્મો થતાં હોય, ને નવા ઉપજેલાને કર્મો વધારે હોય છે. આ વાત પણ વિસ્તારથી સમજાવીને તેમના વર્ણ, લેશ્યા અને વેદનાને અંગે પણ જણાવ્યું છે કે આ કારણ (ટીકામાં જણાવેલા હેતુ)થી બધા નારકીઓનાં તે ત્રણે વાનાં સરખાં ન હોય. અહી સંભૂિત નારકીપણું અને અસંભૂિત નારકીપણું સમજાવીને તે ત્રણેની વિષમતા વિસ્તારથી સમજાવી છે. પછી બધા નારકેને સરખી ક્રિયા ન હોય, તેમાં સમ્યગ્દષ્ટિપણું વગેરે ત્રણ કારણ કહ્યાં છે. વળી બધા નારકેનું આયુષ્ય એક સરખું ન હોય, ને તેઓ નરકમાં એક સાથે ઉપજતા નથી. અહીં પ્રસંગે નારકેના ચાર પ્રકાર પણ સ્પષ્ટ સમજાવ્યા છે. આ જ પ્રમાણે હકીકત ભુવનપતિદેવોમાં જાણવી. પણ કર્મ, વર્ણ અને લેસ્થામાં જે જુદાશ છે તે અહીં સ્પષ્ટ સમજાવી છે. પછી કહ્યું છે કે પૃથ્વીકાયિકાદિમાં પહેલાં કહેલી આહાર, કર્મ, વર્ણ, વેશ્યાની બીના જેમ નારકીમાં કહી તેમ અહીં જાણવી. તેમને - પીડા એક સરખી ભેગવવાની હોય છે. બાકીનું વર્ણન જેમ નારકીમાં કહ્યું તેમ જાણવું. પછી કહ્યું કે એ જ બીના જેમ નારકીમાં કહી તે જ પ્રમાણે વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિયામાં પણ ઘટી શકે છે. ફક્ત ક્રિયામાં જે જુદાશ છે, તે અહીં સ્પષ્ટ સમજાવી દેશવિરતિ અને અસંયત એવા તિર્યંચમાં બે ભેદ કહ્યા છે. પૂર્વે કહેલી બીના જેમ નારકીમાં ઘટાવી તેમ મનુષ્યોમાં ઘટાવવી. ફકત આહારની ને ક્રિયાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy