SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ શ્રીવિજપદ્મસૂરીશ્ર્વરકૃત છઠ્ઠા પેટ્ટિલ મુનિના ભવમાં એક કરોડ વ સાધુપર્યાય પાળીને સહસ્રાર દેવલાકમાં ઉત્પન્ન થયા. હતા. (સાગરોપમ કાઢાકોટિમુ સ્થાન) શ્રીઋષભદેવ ભગવાનના નિર્વાણથી છેલ્લા શ્રીમહાવીરસ્વામીના નિર્વાણ સુધી (૪૨૦૦૦ વર્ષ ન્યૂન) એક કટાકાટ સાગરોપમનુ આંતરૂ' છે. આ ગ્રંથમાં પ્રથમ સ્થાનથી આરંભીને કોટાકાટ સાગરોપમના સ્થાન સુધીમાં જે જે વિષયા કહ્યા છે, તે સર્વે દ્વાદશાંગીમાં યથાસ્થાને બતાવેલા છે એટલે કે આ સ વિષયાનું મૂળ દ્વાદશાંગી જ છે. તેથી હવે દ્વાદશાંગીનુ સ્વરૂપ બતાવ્યું છે, તેમાં પ્રથમ આર અંગનાં આચારાંગ વિગેરે નામ આપી પછી અનુક્રમે દરેક અંગમાં કેટલા કેટલા શ્રુતસ્કંધ, અધ્યયના, વિષયા, વાચના, અનુયાગદ્વાર, પ્રતિપત્તિઓ, વેષ્ટક, શ્લાકસખ્યા, ઉદ્દેશ, સમુદ્દેશ, કુલપદા, અક્ષા, ગમા, પા, ત્રસ, સ્થાવર વિગેરે કહેલા છે, તે સ’બધી વર્ણન ટૂંકામાં ક' છે. છેવટ માર્મા દ્રષ્ટિવાદ અંગમાં સ` પદાર્થો કહ્યા છે. તેમાં પરિકમ, સૂત્ર, પૂર્વ, અનુયાગ અને ચૂલિકા એ પાંચ ભેા આપી તે દરેકના ભેદ્યા વિગેરે આપ્યા છે તથા ચૌદે પૂર્વનાં નામ અને તે દરેકમાં જે વિષા કહેલા છે તે સંક્ષેપથી દેખાડ્યા છે. ત્યારપછી (૧૪૯ મા સૂત્રમાં) દ્વાદશાંગીમાં મુખ્ય વિષય જીવ અને અજીવ એ એ હેાવાથી જીવરાશિ અને અજીવરાશિ એવા બે ભેદ કહી પ્રથમ અજીવરાશિના રૂપી અને અરૂપી એવા બે ભેદ ઢેખાડ્યા છે. પછી અરૂપી અછવરાશિના ધર્માસ્તિકાય વિગેરે દશ પ્રકારે કહ્યા છે. પછી રૂપી અજીવરાશિ વિષે કહ્યું છે. પછી જીવરાશિના સંબંધમાં પ્રથમ પાંચ અનુત્તરાપપાતિક કહીને પછી અનુક્રમે એ પ્રકારના નારકી, સાતે નરક પૃથ્વીનું સ્વરૂપ, અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વાયુકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, સ્તનિતકુમાર અને અગ્નિકુમારનાં ભવના વિગેરે તથા સુધર્માદ્રિક મારે દેવલાક, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન એ સર્વાંનાં વિમાનેા વિગેરેનું વર્ણીન સંક્ષેપથી કર્યું છે. ( જ્યાં સક્ષેપ કહ્યો છે ત્યાં ટીકાકારે તેના કાંઈક વિસ્તાર પણ કર્યો છે.) ત્યાર પછી ૧૫૦મા સૂત્રમાં અસુરકુમારના આવાસે, પૃથ્વીકાયના આવાસે (સ્વસ્થાના)થી આરંભી મનુષ્ય સુધીનાં સ્થાના, વાનવ્યંતરના આવાસેા, જ્યાતિષીનાં વિમાના અને વૈમાનિક દેવાના આવાસેા કહ્યા છે. ત્યાર પછી ( ૧૫૧મા સૂત્રમાં) નારકીઓની સ્થિતિ તથા સર્વાં સિદ્ધ પર્યંતના ઢવાની સ્થિતિના જઘન્ય અને ઉત્કૃષ્ટ કાલ કહ્યો છે. ત્યાર પછી ( ૧પરમા સૂત્રમાં) નારકી વિગેરે ચારે ગતિના વાના ઔદારિક વિગેરે પાંચ પ્રકારના શરીરની અવગાહના વિગેરે કહ્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy