SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પૃથ્વીમાં કેટલાક નારકીબની પચીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર તથા સૌધર્મ અને ઈશાનના દેવોની પચીશ પલ્યોપમની સ્થિતિ છે, મઝિમહેકિંમ નામના ચોથા રૈવેયકના દેવાની જઘન્ય સ્થિતિ પચીશ સાગરેપની છે, હેમિઉરિમ નામના ત્રીજા રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ પચીશ સાગરોપમની છે, તે દેવો પચીશ પખવાડીએ શ્વાસ લે છે અને પચીશ હજાર વર્ષે આહાર ઈચ્છે છે. કેટલાક ભવ્ય જીવો પચીશ ભવે સિદ્ધ થશે. (૨૬) છવીરામા સમવાયમાં કહ્યું છે કે દશાશ્રત, ક૯૫શ્રત અને વ્યવહારશ્રતના મલીને છવીશ ઉદેશનકાલ છે. અભવ્ય જીવોને મેહનીય કર્મની છવીશ પ્રકૃતિએ સત્તામાં હોય છે, રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની છવીશ પોપમની સ્થિતિ છે. સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની છવીસ સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઈશાનના દેવેની છવીશ પોપમની સ્થિતિ છે, પાંચમા રૈવેયકમાં જઘન્ય સ્થિતિ છવીશ સાગરોપમની છે, ચોથા રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ છવીશ સાગરેપની છે, તે દેવો છવીશ પખવાડીએ ધાસ લે છે અને કવીશ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય છ છવીશ ભવે સિદ્ધ થશે. (૨૭) સત્યાવીસમા સમવાયમાં કહ્યું છે કે-સાધુના સત્તાવીસ ગુણ છે. આ જબૂદ્વીપમાં અભિજીત સિવાય બાકીના સત્તાવીશ નક્ષત્રો વડે વ્યવહાર ચાલે છે, એક એક નક્ષત્રમાસના સત્તાવીશ સત્તાવીશ દિવસ હોય છે, સૌધર્મ અને ઈશાન કપની પૃથ્વી સત્તાવીશ જન જાડી છે. વેદક સમકિતના બંધથી વિરામ પામેલા (ઉદ્વવનાવાળા) જીવને મેહનીયકર્મની સત્તાવીશ ઉત્તરપ્રકૃતઓ સત્તામાં હોય છે. શ્રાવણ શુદિ સાતમને દિવસે સત્તાવીશ અંબુલ સૂર્યની છાયા થાય ત્યારે પોરસી થાય છે, રતનપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સત્તાવીશ પલ્યોપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સત્તાવીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઈશાનના દેવાની સત્તાવીશ પોપમની સ્થિતિ છે, છડું ચૈવેયકમાં જઘન્ય સ્થિતિ સત્તાવીશ સાગરોપમની છે, પાંચમા કૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાવીશ સાગરોપમની છે. તે દેવો સત્તાવીશ પખવાડીએ ધાસ લે છે અને સત્તાવીશ હજાર વર્ષે આહાર ઇરછે છે. કેટલાક ભવ્ય છ સત્તાવીશ ભવે સિદ્ધ થશે. (૨૮) અઠ્ઠાવીસમા સમવાયમાં કહ્યું છે કે-સાધુને આચારપ્રક૯પ અઠ્ઠાવીશ પ્રકારના કહ્યો છે, કેટલાક ભવ્ય જીવોને મોહિનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ પ્રકાર છે, ઈશાન કલ્પમાં અઠ્ઠાવીશ લાખ વિમાનો છે. દેવગતિને બાંધતો જીવ નામકર્મની અઠ્ઠાવીશ ઉત્તર પ્રવૃતિઓને બાંધે છે, રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની અઠ્ઠાવીશ પોપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની અઠ્ઠાવીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy