SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રનો પરિચય) ૧૧૫ અહિંસા વગેરે કહી ૧૦ પ્રકારના સૂક્ષ્મ જીવે અને ગંગાદિ સમાગત નદીઓ તથા ભરતચક્રીની રાજધાનીઓ તેમજ તેની સાથે દીક્ષા લેનારા રાજાએ જણાવી મેરૂના પૃથ્વીમાં અવગાહેલા ભાગના જિન વગેરે કહ્યા છે. પછી દશ દિશા અને ગાતીર્થનું પ્રમાણ તથા તેના પાણીનું પ્રમાણ તેમજ પાતાલકલશાની ઊંડાઈ, તળીયું વગેરે ભાગની - પહેળાઈ અને તેઓની ઠીકરીનું પ્રમાણ કહી નાના પાતાલકલશની ઊંડાઈ વગેરે અને ધાતકીખંડ તથા પુષ્કરદ્વીપના મેરૂને અવગાહ તથા વૃત્ત વૈતાઢયની ઊંચાઈ, ઊંડાઈ તેમજ પહેલાઈ જણાવી દ8 ક્ષેત્રો અને માનુષેત્તર ગિરિના મૂલ ભાગની પહોળાઈ તથા અંજનગિરિ વગેરેની પહોળાઈ વગેરે તેમજ રૂચક તથા કુંડલગિરિ આદિની પહેળાઈ વગેરે કહ્યું છે. પછી અનુયોગના ૧૦ ભેદ અને દેવાના ઉત્પાદ પર્વતનું પ્રમાણ તથા વનસ્પતિ વગેરેના શરીરને અવગાહ તેમજ શ્રીસંભવનાથનું ને અભિનંદન સ્વામીનું આંતરૂં કહ્યું છે. પછી દશ અનંતા પદાર્થો અને ઉત્પાદપૂર્વની વસ્તુઓને અસ્તિનાપ્તપ્રવાહની ચૂલવસ્તુઓ તેમજ પ્રતિસેવાના ભેદો કહ્યા છે. પછી આલોચના નહિ કરવાથી નુકસાન જણાવી આલોચનાને લાયક જીવ અને આલોચનાથી લાભ તથા પ્રાથશ્ચિત્તના ભેદ તેમજ મિથ્યાત્વના ભેદ કહી શ્રીચંદ્રપ્રભ, ધર્મનાથ, નમિનાથ, પુરૂષસિંહ, નેમિનાથ ને કૃષ્ણ વાસુદેવના સંપૂર્ણ આયુષ્યનું પ્રમાણ અને ભુવનપાતના ભેદ તથા ચૈત્યવ્રુક્ષે તેમજ આરોગ્ય વગેરે ૧૦ જાતના સુખ જણાવ્યા છે. પછી ઉદ્ગમ વગેરેના ઉપઘાત ને વિશુદ્ધિઓ તથા ઉપધિ વગેરે તેમજ સંકલેશ અને અસંકલેશની બીના કહી છે. પછી શ્રોત્રેન્દ્રિય બેલ વગેરે વીર્યબલ સુધીના ૧૦ પ્રકારના બલ અને સત્યભાષાદિના ભેદો તથા દાષ્ટવાદના નામ તેમજ અનુયોગ, દાન અને ગતિ તથા મુંડના ભેદ જણાવી સંખ્યાના ભેદ અને પચ્ચખાણુના દશ ભેદ તથા ઈચ્છા વગેરે દશ પ્રકારની સામાચારી તેમજ પ્રભુ શ્રીવીરનાં સ્વને કહ્યાં છે. પછી નિસર્ગ સમ્યકત્વ વગેરે ૧૦ ભેદ અને ૧૦ સંજ્ઞા તથા નરકની વેદના તેમજ છદ્મસ્થ ન જાણે ને કેવલી જાણે તેવા ૧૦ પદાર્થો કહ્યા છે. પછી દશાના ભેદ અને કર્મવિપાક વગેરે દશ અધ્યયને તથા તે તે અધ્યયનના કથાનક, તેમજ ઉત્સર્પિણી વગેરે કાલનું પ્રમાણ જણાવી અનંતત્પન્ન વગેરે નારકના ભેદ અને પંકપ્રભાના નરકાવાસ તથા રત્નપ્રભાનું, પંકપ્રભાનું ધૂમપ્રભાનું, બાદર વનસ્પતિનું, બ્રહ્મ દેવલોક તથા લાંતક દેવલોકના દેવો વગેરેનું આયુષ્ય તેમજ આગામી ભદ્રતાનાં કારણે કહ્યાં છે. પછી આશંસાપ્રયોગ અને ગ્રામધર્મ વગેરે તથા સ્થાવરના ને પુત્રના દશ ભેદ તેમજ કેવલીના ૧૦ અનુત્તર પદાર્થો કહી કુરૂક્ષેત્રના મહામો અને તેના અધિપતિ દેવો તથા અવગાઢ દુષમા સુષમાનાં ચિહ્નો, તેમજ સુષમા સુષમકાલના કલ્પવૃક્ષના ભેદા કહી અતીત-ભાવી ઉત્સર્પિણીના કુલકર અને પૂર્વ પશ્ચિમના કુલકરો તથા ૧૨ દેવલોકના ૧૦ ઇન્દ્રો ને તેના પારિવાનિક વિમાને તેમજ દશ દશમિકા ભિક્ષા કહી છે. પછી સંસારી જીવના ૧૦ ભેદ અને બાલપણું વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy