SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૩. શ્રીસ્થાનાંગસૂત્રનો પરિચય) શ્રી સ્થાનાંગના આઠમા અધ્યયનનો રંક પરિચય અહીં એકાકી વિહારપ્રતિમાના ગુણ અને નિસંગ્રહ, અંડજ વગેરેની ગતિ આગતિ તથા ૮ કર્મપ્રકૃતિઓ, તેમજ અપરાધને નહિ આલેચવાનાં ને આલોચવાનાં ૮ કારણે કહી તેની પ્રત્યાજાતિનું વર્ણન કર્યું છે. પછી સંવર, અસંવર, સ્પર્શ, લોકની સ્થિતિ અને ગણિસંપદાના ૮ ભેદો તથા મહાનિધિની ઊંચાઈ કહી છે. પછી સમિતિ અને આલોચનાના ગ્રાહકના તથા દાયકના ગુણે જણવી પ્રાયશ્ચિત્તના ને મદના ૮ ભેદ જણાવ્યા છે. પછી એકાત્મવાદી વગેરે અક્રિયાવાદીઓ અને મૌન વગેરેનાં નિમિત્તો તથા વચનની વિભક્તિઓ જણાવી છે. પછી જે છદ્મસ્થ ન જાણે ને કેવલી જાણે તેવા આઠ પદાર્થો કહી આયુર્વેદની બીના કહી છે. પછી શકની, ઈશાનેન્દ્રની ને શકના સોમની તથા ઈશાનેન્દ્રના વૈશ્રમણની અગ્રમહિષીઓ જણાવી મહાગ્રહની ને તૃણ વનસ્પતિની તથા ચઉરિન્દ્રિયના અનારંભ વગેરેની બીના કહી છે. પછી માણસૂક્ષ્મ વગેરે છો ને ભરતચક્રીના વંશમાં થયેલા સિદ્ધોની તથા શ્રી પાર્શ્વનાથના ગણધરોની બીના કહી સમ્યગ્દર્શન વગેરે પદાર્થો અને કાલના ભેદ જણાવ્યા છે. પછી શ્રીનેમિનાથની યુગાંતકૃભૂમિને અને શ્રીવીરપ્રભુથી દીક્ષા પામેલા રાજાઓને જણાવી આહાર, કૃષ્ણરાજી તેના સંસ્થાન, નામ, ત્યાં રહેલ વિમાને તથા તેમાં રહેલા દેવનું આયુષ્ય કહ્યું છે. પછી ધર્માસ્તિકાય વગેરેના મધ્યપ્રદેશ કહી મહાપ દીક્ષિત કરેલ રાજાઓના નામ તથા સિદ્ધના ૮ ગુણે અને કૃષ્ણની ૮ અગમહિષીઓ કહી છે. પછી વીર્યપ્રવાદ પૂર્વની વસ્તુઓ ને ચૂલવસ્તુઓ કહી, નરકગતિ વગેરેથી સિદ્ધશિલા સુધીના ગતિના ૮ ભેદ અને ગંગાદિ દ્વીપનું પ્રમાણ તથા ઉલ્કામુખ વગેરેની લંબાઈ તેમજ કોલેદ સમુદ્રની પહોળાઈ અને અત્યંતર ને બાહ્ય પુષ્પરાધની પહોળાઈ કહી છે. પછી કાકિણી રનનું પ્રમાણ અને માગધ (મગધ દેશમાં પ્રચલિત; માગધતીર્થના) યોજન તથા તેના ધનુષ્ય જણાવી જબૂવૃક્ષ આદિની ઊંચાઈ વગેરે બીના કહી છે. પછી તિમિસ્ત્રાગુહાદિની ઊંચાઈ અને જંબુદ્વીપમાં મહાવિદેહની પૂર્વ-પશ્ચિમ સીતા સીતાદાની, ઉત્તર-દક્ષિણની વિજયની, તેની રાજધાનીઓની, તથા ઉત્કૃષ્ટપદે તીર્થકર વગેરે તેમજ દીર્ઘ વૈતાઢયની તિમિસ્રાદિ ગુફા વગેરે ની બીના કહી મેરૂપર્વતની ચૂલિકાના મધ્ય ભાગનો વિધ્વંભ કહ્યો છે. પછી ધાતકીવૃક્ષની ઊંચાઈ વગેરે કહી, દિગહસ્તિ ફૂટની વેદિકા ને તેની ઉંચાઈ જણાવો મહાહિમવંત અને રૂકિમ પર્વત તથા રૂચક પર્વતની ઉપર રહેનારી દિકુમારીઓ જણાવી તિર્યગૃનિશ્રોત્પન્ન દેવલોક અને તેના ઇદ્રોનાં પારિયાનિક (મુસાફરીના) વિમાન કહ્યાં છે. પછી અષ્ટ અષ્ટમિકા ભિક્ષાઓ અને સંસારી જીવોના ૮ ભેદ તથા પ્રથમ સમય સંયમ વગેરે ૮ ભેદ તેમજ રત્નપ્રભા વગેરે ૮ પૃથ્વીઓ જણાવી સિદ્ધશિલાના મધ્યભાગની પહોળાઈ અને સાતમા આઠમા દેવલોકના વિમાનની ઉંચાઈ કહી છે. પછી શ્રી નેમિનાથના વાદી મુનિઓ અને કેવલીસમુદઘાત તથા શ્રીવીરપ્રભુના કાલ કરી અનુત્તર દેવ થયેલા મુનિઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy