SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ શ્રી જૈને પ્રવચન કિરણીવલી (૨. શ્રીસૂત્રકૃતાંગસૂત્રને પરિચય) છઠ્ઠા આદ્રીય અધ્યયનને રંક પરિચય અહીં આ પદના નિક્ષેપ ને સ્વરૂપ કહી જણાવ્યું કે અહીં આદ્રકુમારની બીના કહેલી હોવાથી “આદ્રકીયા' નામ છે. તથા દ્વાદશાંગીનાં સર્વ અધ્યયન સર્જાક્ષરસંનિપાતે શાશ્વતા છતાં પણ તે તે પ્રકારે છે તે સ્થળે ત્રાષિભાષિતની જેમ કેઈ બનાવ બને તે અનુમત થાય છે. પછી ગોશાલક, ત્રિદંડી તથા હસ્તિતાપસની સાથે આદ્રકુમારે કરેલા વિવાદની બીના જણાવી, આદ્રકુમારને પૂર્વભવ કહ્યો છે. પછી ચાલુ ભવમાં આ રાજાને અને શ્રેણિક રાજાને માંહોમાંહે પ્રીતિ અને પ્રશ્નની બીના કહી અભયકુમારની ઉપર આદ્રકુમાર ભેટપ્સ મોકલે છે. તે પણ પ્રતિમા મોકલે છે. તે જોઈને આદ્રકમારને જાતિસ્મરણ થયું. આદ્રકુમાર બોધ પામે. તેનું રક્ષણ, આદ્રકુમાર ભાગીને દીક્ષા લે છે ત્યારે દેવતા અટકાવે છે, કાઉસ્સગ્નમાં રહેલ ને બાલિકા વરે છે, વસુધારા, દૈવી વાણું, ભવિષ્યમાં ઓળખાણ થતાં ગૃહસ્થપણું, પુત્રને જન્મ, સ્નેહબંધ તેડતાં મુકેલી, પ્રતિજ્ઞા પૂર્ણ થતાં નીકળ્યા, ચેરેની દીક્ષા, ગોશાલાદિની સાથે વાદ, તેમાં જય, તેમની (ચારની) સાથે શ્રીવીરની પાસે દીક્ષા, શ્રીવીરપ્રભુ પહેલાં એકાકી ને મૌની હતા, હાલ સભામાં ધર્મ કહે છે તે આજીવિકા માટે કહે છે, એવા ગોશાલાના વિચાર હતા. તેને જિતેન્દ્રિયાદિ ગુણવંત પુરૂષ ધર્મકથા કહે એમ જણાવી મહાવ્રતાદિની પ્રરૂપણ કરી. આદ્રકુમારે ગોશાલાના વિચારોનું ખંડન કર્યું છે. પછી ગોશાલો કહે છે કે શીતાદક, બીજ, આધાકમ, તથા સ્ત્રીપરિભેગમાં ભિક્ષને પાપ ન લાગે. અહીં આદ્રકુમાર કહે છે કે જે ચાર વાનાં સેવે તે સાધુ ન કહેવાય. જે તારા કહેવા પ્રમાણે વ્યાજબી માનીએ તે ગૃહસ્થોને શ્રમણ માનવા પડશે, વગેરે કહી તેનું ખંડન કર્યું છે. ગોશાલે કહે છે કે, પ્રભુ શ્રી મહાવીર વાણિયાની જેવા લાભેચ્છું છે. અહીં આદ્રકુમારે જવાબ દેતાં પ્રભુમાં અને વાણિયામાં ફરક જણાવ્યો છે. પછી શાક મતાનુસારી વિચારનું ખંડન કરી કહ્યું કે, અબ્રહ્મચારીને જમાડવામાં લોલુપતા વધે છે અને નરકનો લાભ થાય છે. વળી દયાને નિંદનારા મરીને અસુરપણું પામે છે. પછી અવ્યક્તવાદીના વિચારે જણાવી, તેનું ખંડન કર્યું છે. પછી આત્મા–પર-તારકનું સ્વરૂપ, હસ્તિતાપસેના વિચારો અને તેનું ખંડન, તેમને થયેલ પ્રતિબંધ, તેમની આદ્રકુમારની સાથે પ્રભુ શ્રીવીરની પાસે દીક્ષા થઈ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. બીજા શ્રતધના છેલ્લા સાતમા નાલંદા અધ્યયનને રંક પરિચય અહીં અલ શબ્દના નિક્ષેપા અને અર્થ જણાવી કહ્યું કે, રાજગૃહ નગરે નાલંદા બાહિરિકા (પરં) છે. ત્યાં શ્રીગૌતમસ્વામીને ઉદક શ્રમણે પૂછેલા પ્રશ્નોના જવાબમાં આ અધ્યયન કહ્યું છે. પછી રાજગૃહના નાલંદાનું ને પગાથાપતિ પ્રમાણે પાસકનું વર્ણન કરી હસ્તિયામ વનખંડનું વર્ણન કર્યું છે. શ્રાવકધર્મની બાબતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy