SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] કરનારા મહાપુરુષોની પણ એજ ફરજ છે કે-“નિયુક્તિ આદિની રચના કરતાં શરૂઆતમાં પ્રસ્તાવના નિદેશ જરૂર કરે જોઈએ, 9 આજ ઈરાદાથી પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામી, સંઘદાસગણ મહત્તર, શીલાંકાચાર્ય, શ્રીમલયગિરિ મહારાજ, મલધારિ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વગેરે મહાપુરુષોએ પણ શ્રી આચારાંગાદિ સૂત્રોના નિર્યુક્તિ ભાષ્ય ચૂર્ણિ ટીકા વગેરેની રચના કરતાં શરૂઆતમાં સંક્ષેપથી કે વિસ્તારથી પ્રસ્તાવના જણાવી છે. એટલે પ્રસ્તાવના નિર્દેશ કરીને જ તે નિર્યુક્તિ વગેરેની રચના કરી છે. ન્યાય શાસ્ત્ર પણ આ હકીકતને સંપૂર્ણ સ્વરૂપે ટેકો આપે છે. કારણ કે તે પણ આ પ્રમાણે જાહેર કરે છે કે કોઈ પણ કાર્યમાં એકદમ પ્રવૃત્તિ થતી જ નથી. એટલે (૧) અધિકારી, (૨) પ્રજન, (૩) અભિધેય, (૪) સંબંધ એ અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. જિજ્ઞાસુ જીવોને શાસ્ત્રાદિના અધ્યયનાદિમાં જોડે તે અનુબંધ કહેવાય. આ ચાર અનુબંધેનું જ્ઞાન થયા બાદ (૧) ઈષ્ટ સાધનતા જ્ઞાન એટલે આ ગ્રંથ ભણવાથી મને અર્થનું જ્ઞાન વિગેરે લાભ થશે અને (૨) કૃતિ સાધ્યતા જ્ઞાન એટલે આ ગ્રંથને હું ભણું શકીશ. એમ ઈષ્ટ સાધનતા જ્ઞાન અને કૃતિ સાધ્યતા જ્ઞાન થાય છે. ત્યાર બાદ અધિકારી જીવોને શાસ્ત્રને ભણવું વિગેરે પ્રવૃત્તિ થાય છે. એમ “પ્રવૃત્તિ જ્ઞાનગંજ્ઞાવિષયમનુબંધાતુ9ચત્રમ્ ? આ અનુબંધ ચતુષ્ટયના લક્ષણ ઉપરથી જાણી શકાય છે. આમ કહેવાનું સ્પષ્ટ અને સરલ રહસ્ય એ છે કે કંઈ પણ ગ્રંથનું અધ્યયન વિગેરે કરતાં પહેલાં સમજણના ઘરમાં રહેલા જિજ્ઞાસુ છોને તે તે ગ્રંથની બાબતમાં હૃદયમાં આવા પ્રશ્નો ઉદ્દભવે છે (થાય છે) કે (૧) આ ગ્રંથનું નામ શું? (૨) આ ગ્રંથમાં નામ પ્રમાણે અર્થ ઘટે છે કે ગ્રંથકારે મરજી પ્રમાણે નામ પાડયું છે. (૩) આ ગ્રંથ કયા યકા પદાર્થોના સ્વરૂપને જણાવે છે. (૪) ગ્રંથકારે ક્યાં શાસ્ત્રને અનુસારે કઈ પદ્ધતિએ કયા મુદ્દાથી અહીં પદાર્થોનું વર્ણન કર્યું છે, (૫) ગ્રંથ ભણવામાં લાભ શે? (૬) શરૂઆતમાં ગ્રંથકારે મંગલ કર્યું છે, તેનું શું કારણ? (૭) ઈષ્ટદેવ નમસ્કાર મંગલ, આશીર્વાદ મંગલ વિગેરે ત્રણ પ્રકારના મંગલમાંથી અહીં કયું મંગલ કર્યું છે. (૮) ગ્રંથકાર કેણ? (૯) તેમણે કઈ સાલમાં કયા સ્થલે ગ્રંથની રચના કરી? વિગેરે પ્રશ્નોના ખુલાસા કરવા ખુલાસા કરવા રૂપે જરૂરી બીના જણાવવી, અને તે ઉપરાંત ગ્રંથને ટૂંક સાર પણ જણાવવો, એ પ્રસ્તાવનાનો મુખ્ય મુદ્દો છે, એટલે જેમાં ચાર અનુબંધની બીના વિગેરે વર્ણન હોય, તે પ્રસ્તાવના કહેવાય. જે ગ્રંથની ઉપર પ્રસ્તાવના લખવાની હોય, તે આખાએ ગ્રંથની વસ્તુ અને ગ્રંથકારને પરિચય તથા કહેલા પદાર્થ તોના મુદ્દાઓ વિગેરે બાબતનો શરૂઆતમાં દીર્ધદષ્ટિથી વિચાર કર્યા બાદ લેખક પ્રસ્તાવનાને લખવાનો આરંભ કરે છે, એટલે પ્રસ્તાવના લખવાના અવસરે લેખકને ઉપર જણાવેલી બીના તરફે જરૂર લક્ષ્ય રાખવું પડે છે. બુદ્ધિશાલી મધ્યસ્થ વાચક વર્ગને આ વાત ધ્યાનમાં જ હોય છે. તેથી જ તેઓ ગ્રંથની વસ્તુ સંક્ષેપમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy