SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧. શ્રીઆચારાંગસૂત્ર-પરિચય) અવગ્રહનું સ્વરૂપ, તેમજ ગ્રહણાવગ્રહનું સ્વરૂપ કહી તે અવગ્રહ માલિકે દીધા સિવાય ન લેવાય એમ જણાવ્યું છે. પછી અવગ્રહને માગવાને વિધિ અને અહીં આવેલા પણ સાધુનો વિધિ જણાવી કહ્યું કે, બીજાની વસ્તુ તેની રજા સિવાય બીજાને ન અપાય. પછી આપવાનો વિધિ કહી જણાવ્યું કે જ્યાં સચિત્ત પૃથ્વીવાળાં ઝાડનાં કુઠાં વગેરે હોય અને સ્ત્રી આદિ રહેતાં હોય, ઘરના મધ્યભાગે માંહોમાંહે ઝઘડા થતા હોય, તેવા સ્થલે રહેવા માટે સાધુએ અવગ્રહની માંગણી કરવી નહિ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. સાતમા અવગ્રહપ્રતિમાધ્યયનના બીજ ઉદ્દેશાને ટૂંક પરિચય અહી શેલડીના વન વગેરેમાં રહેવાનો વિધિ, અને અવગ્રહના ૭ ભેદો તથા દેવેન્દ્રાવગ્રહાદિનું સ્વરૂપ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. અવગ્રહપ્રતિમાઅધ્યયનને ટૂંક પરિચય પૂર્ણ થશે. આચારાંગની પહેલી ચૂલિકાને ટૂંક પરિચય પૂર્ણ થયા. ૮. સ્થાન-સતૈકક નામના આઠમા અધ્યયનમાં ઊભા રહેવાનું સ્વરૂપ અને નિશીથ પદના ૬ નિક્ષેપ વગેરેનું વર્ણન કર્યું છે. ૯. નિવાધિકા-સતૈકક નામના નવમા અધ્યયનમાં સ્થાન-પ્રતિમાનું સ્વરૂપ જણાવી, સ્વાધ્યાયાદિ પ્રસંગે આલિંગના િન કરાય વગેરેનું વર્ણન કર્યું છે. ૧૦. ઉચ્ચાર-પ્રશ્રવણ-સતૈકક નામના દશમા અધ્યયનમાં ઉચ્ચાર-પ્રશ્રવણ કરવાનો વિધિ, તેની શુદ્ધિનું સ્વરૂપ, અને કેવા પાત્રમાં ઉચ્ચારાદિ થઈ શકે, તેને ખુલાસો કરી, બગીચા વગેરે સ્થળે સ્થડિલ ન જવાય વગેરે કહ્યું છે. ૧૧. શબ્દ-સપ્તકક નામના અગીઆરમા અધ્યયનમાં દ્રવ્યશબ્દનું અને ભાવશબ્દનું સ્વરૂપ જણાવી કહ્યું કે વિતતાદિ વાજિંત્રના શબ્દો સાંભળવા સાધુએ જવું નહિ, અને જ્યાં ગાયન વગેરે ક્રિયા થતી હોય, ત્યાં સાંભળવાના ઈરાદાથી ન જવાય. તથા લૌકિક કથાનકાદિને સાંભળવા પણ ન જવું વગેરે કહ્યું છે. ૧૨. બારમા રૂપ-સતૈકક નામના અધ્યયનમાં દ્રવ્યરૂપ તથા ભાવરૂપનું સ્વરૂપ કહી જણાવ્યું કે, મુનિથી ગ્રથિતાદિ રૂપ જોવા ન જવાય. પછી પર શબ્દના ૬ નિક્ષેપા વગેરેનું વર્ણન કર્યું છે. ૧૩. તેરમા પરક્રિયા-સતૈકક અધ્યયનમાં કહ્યું છે કે, સાધુએ ખાસ કારણ વિના પરકિયા (શુશ્રષા) અને પરસ્પરક્રિયા ત્રિવિધ ન કરવી અને ન કરાવવી. તથા સાધુએ ઉત્સગે ગૃહસ્થને ઉપદેશાદિ દઈને ચિકિત્સા (દવા) ન કરાવાય ને પિતાથી પણ કરાય નહિ. પછી અન્ય શબ્દના ૬ નિક્ષેપો કહી ગચ્છનિર્ગત (જિનકલ્પકાદિ) ને અન્ય ક્રિયાનું પ્રયોજન છે. વગેરે કહ્યું છે, સસસસકા નામની બીજી ચૂલિકાને ટૂંક પરિચય પૂર્ણ થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy