SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ( મથુરાપુરી કલ્પ આ નગરીમાં ભાવ તીર્થકર શ્રી કૃષ્ણ વાસુદેવનો જન્મ થયેલ. કાળધર્મ પામી યક્ષ બનેલા આર્ય મંગૂનામના આચાર્યનું કંડિકયક્ષ, ચો૨નો જીવ ઠંડકયક્ષનું દેવાલય આ નગરમાં છે. અહીં આગળ પાંચ સ્થળો છે. (૧) અર્કસ્થલ (૨) વીરસ્થલ (3) પદ્મસ્થળ (૪) કુસસ્થલ (૫) મહાસ્થલા અહીં આગળ બા૨ વનો છે. (૧) લોહ જંઘવન (૨) મધુવન (3) બિલવાન (૪) તાલવન (૫) કુમુદવન (૬) વૃંદાવન (૭) બંડીવન (૮) ખદર વન (૯) કમકવન (૧૦) કોલિતવન (૧૧) બહુલાવણ (૧૨) મહાવન અહીંયા પાંચ લૌકિક તીર્થો . તે આ વિશ્રાંતિક તીર્થ, અગ્નિકુંડ તીર્થ, વૈકુંત તીર્થ, કાલિંજ૨ તીર્થ, અને ચક્ર તીર્થ. આચાર્ય બપ્પભટ્ટસૂરે કે જેઓ શત્રુંજય ઉપ૨ ઋષભદેવને, ગિ૨ના૨ ઉપ૨ ર્નોમનાથને, ભરૂચમાં મુનિસુવ્રત સ્વામીને, મોઢેરામાં મહાવીર સ્વામીને અને મથુરામાં સુપાર્શ્વનાથ સ્વામીને, નમસ્કાર કરીને સોરઠ દેશમાં ભમતાં વિહાર કરીને ગોપાલંગરિમાં જે ગોચરી વાપરે છે. વળી આમ રાજા જેમના ચરણ-કમલને ચૂમે છે. એવા શ્રી બપ્પભટ્ટસૂરિ એ વિક્રમ સંવત ૮૨૬માં શ્રી મહાવીરના બિંબને મથુરા નગરીમાં સ્થાપન કર્યું. અહીં શ્રીવર્ધમાન૨સ્વામીના જીવ વિભૂતિએ ઘણો બલવાન થવા માટે નિયાણું કરેલ. અહીં વદ્રયમુન ૨ાજા વડે હણાયેલા દંડ અણગારનો કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે ઈદ્ર અહીં આવીને મહિમા કરેલ. અહીં આ મથુરામાં મસાના રોગથી પીડાયેલા પોતાના શરીર વિષે પણ નિ:સ્પૃહ જિતશત્રુરાજાના પુત્ર કાલસિક મુનિએ મુગ્નિલગિરિ ઉપ૨ ઉપસર્ગો ને સહન કર્યા. અહીં શંખ ૨ાજર્ષિના પ્રભાવને જોઈ સોમદેવ બ્રાહ્મણ, ગજપુર માં દિક્ષા ગ્રહણ કરીને, ૨સ્વર્ગમાં ઉત્પન્ન થઈ ત્યાંથી કાશીનગ૨માં દેવને, પણ પૂજ્ય હરિકેશબલઋષિ થયા. અહીં આગળ રાધાવેધ ક૨ના૨ સુરેન્દ્રદત્તની ૨સ્વયંવ૨ા નિવૃત્તિ નામના ૨ાજકન્યા ઉત્પન્ન થયેલી. અહીં આગળ કુબેરદત્તા સાધ્વીએ કુબેરસેના માતા અને કુબેરદત્ત ભાઈને અર્વાધિજ્ઞાન વડે જાણીને અઢા૨ નાતરાથી (૧૮ સંબંધો વડે) પ્રતિબોધ પમાડ્યા. અહીં આર્યસંગ્રૂ શ્રતસાગ૨માં પારંગત હોવા છતાં ઋદ્ધ, ૨સ અને સાતાગા૨વના કારણે યક્ષપણામાં ઉત્પન્ન થયા. (પ્રતિમાની) જીભ બહા૨ કાઢવા દ્વારા સાધુઓ ને અપ્રમત્ત થવા પ્રતિબોધ ઉપદેશ આપ્યો. અહીં કંબલ-સંબલ નામના બે વાછ૨ડાઓએ જિનદાસ શેઠ ના સંસર્ગથી ૧. આના વિષે હિંદુ-ધર્મસાહિત્યમાં પણ ઉલ્લેખ મળે છે. જુઓ 'ધર્મ શાસ્ત્રકા ઈતિહાસ' લે. પી.વી. કાણે ભા.૩. પૃ.૧૪00 થી ૨૫૦૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy