SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૩૫) દેવીએ કહ્યું : “જો જિનચૈત્યને પૂજશો તો તમે ઉપસર્ગ થી મુક્ત થશો.' જે જિન પ્રતિમાને, કે સિદ્ધાચલને પૂજશે, તેનું ઘર સ્થિ૨ ૨હેશે. બીજાનું પડી જશે એ કારણથી મંગલચૈત્યની પ્રરૂપણા વખતે 'કલ્પ" નામના છેદગ્રંથમાં મથુરાના ભવનોને દાખલા તરીકે નિર્દેશ કરવામાં આવ્યા છે. પ્રતિવર્ષે જિનેશ્વ૨ નો પટ નગરમાં ભમાવવો. ‘કુહાડ છઠ્ઠી' ક૨વી. જે અહીં રાજા થશે તેણે જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને જમવું. નહિ તો જીવશે નંહ. તે સર્વે દેવતાના વચનને કરવા માટે લોકો વડે શ૨૦આત કરાઈ. બીજા દિવસે પાર્શ્વનાથ સ્વામી કેન્વલપણામાં વિચરંતા મથુરા નગરી પધાર્યા. પ્રભુ સમવસરણમાં ધર્મને સંભળાવે છે. ભવિષ્યમાં થનાશ દુષમકાળના ભાવને કહે છે. ત્યાર પછી ભગવંતે બીજે ઠેકાણે વિહાર કર્યો. ત્યારે કુબેરાએ સંઘને બોલાવીને કહ્યું કે : 'સ્વામી વડે દુષમકાળ નજીકમાં આવવાની વાત કરાઈ છે. જેથી લોકો અને ૨ાજાઓ લોભથી ગ્રસ્ત બનશે. હું પણ પ્રમાદી અને અલ્પાયુષી થઈશ. તેથી ખુલ્લા સ્તૂપને સર્વકાળ સુધી ૨ક્ષણ ક૨વાની મારી તાકાત નથી. તેથી સંઘના આદેશ હોય તો આ સુવર્ણ ૨તૂપ ને ઈંટ વડે ઢાંકુ. તમારે પણ બહા૨ પડેલી પાષાણની પાર્શ્વનાથની મૂર્તિને પૂજવી. જ્યાં આગળ માઠુ બેસણું (૨સ્થાન) છે, ત્યાં બીજી દેવી થશે, તે અંદ૨ ૨હેલ પ્રતિમાની પૂજા કરશે.' ત્યારે દેવની આ સૂચના ઘણી ગુણવાળી જાણીને સંઘે ૨સ્વીકા૨ કરી. દેવી પણ એ પ્રમાણે કર્યું. શ્રી વીર પ્રભુ મોક્ષે ગયા પછી તે૨સ્સો વર્ષથી અંધક વર્ષ ગયા પછી શ્રી બપ્પભટ્ટસૂરિ ઉત્પન્ન થયા. તેમના વડે પણ આ તીર્થનો ઉદ્ધાર કરાયો. પાર્શ્વ જિનેશ્વ૨ની પૂજા કરાવાઈ. શાસ્વત પૂજા ક૨વા માટે બગીચા, મૂઆ, કોટ વિ. કરાવ્યા. ચોરાશી હરણીઓ આપી. તૂપની ઈટો ખસતી જાણીને સંઘે જ્યારે પત્થર વડે સ્તૂપને ઢાંકવા, તૂપને ઉઘાડવાનો પ્રારંભ કર્યો. દેવી ૨સ્વપ્નમાં ના કહી. આ સૂપને ઉઘાડવો નહે. તેથી દેવતાના વચનથી ખુલ્લો ન કર્યો. માત્ર સારા ઘડેલા પત્થરો વડે ઢાંક્યો. આ સ્તૂપનું આજે પણ દેવતાઓ વડે ૨ક્ષણ કરાય છે. ઘણી પ્રતિમાઓથી યુક્ત હજારો દેરીઓ વડે, આવા૨ાના પ્રદેશોથી અને મનોહર ગંધપુટી વડે ચિલ્લણા, અંબિકા અનેક ક્ષેત્રપાલોથી યુક્ત આ જિનેશ્વ૨ ભવન શોભે છે. ૧. બૃહત્કલ્પભાગ ગા.૨૭પ માં અને પ્રવચનસારોદ્ધાર ગા. ની ટીકામાં આ ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy