SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ફોઘપાક માણિક્ય દેવ કપ (પ) શ્રી કોલ્લપાક નગ૨નાં શ્રેષ્ઠ મંડન સમાન માણિક્યદેવ ઋષભદેવનાં કલ્પને અલ્પગ્રંથ વડે જેવી રીતે સાંભળ્યું તેવી રીતે લખું છું T૧|| પહેલાં ખરેખ૨ અષ્ટાપદ પર્વત ઉપ૨ શ્રી ભરતેશ્વર વડે પોત પોતાનાં વર્ણ, પ્રમાણ, સંસ્થાનથી યુત સિંહનિષધા નામના પ્રાસાદમાં ચોવીશ જિનેશ્વ૨ની પ્રતિમાઓ ૨નમય કરાવી. તે મનુષ્યને જવા માટે અશક્ય થશે. એ પ્રમાણે વિચારીને એક ઋષભદેવ ભગવાનની પ્રતિમા લોકોનાં ઉપકા૨ માટે ભ૨તે જ સ્વચ્છ મ૨કત મણિમય કરાવી. ખભામાં જટાઓનું યુગલ, દાઢીમાં સૂર્ય, ભાલમાં ચંદ્ર, નભમાં શિર્વાલિંગ કરાવ્યું. એથી માણિકદેવ એ પ્રમાણે પ્રરાજ થયા. તે માણિક્ય દેવ પ્રતિમા કાલાંતરે જાત્રા માટે આવતાં ખેચરોએ જોઈ. “આ તો અપૂર્વ રૂપવાળી છે.' એ પ્રમાણે વિરમત મનવડે વિમાનમાં તે પ્રતિમાને ૨સ્થાપીને દક્ષિણશ્રેણીનાં વૈતાઢ્યગિરિમાં સ્થાપન કરી, અને ભક્તિથી ભરેલાં ચિત્તવડે પૂજવા લાગ્યા. એક વખત ભમતાં ભમતાં નારદઋષિ વૈતાઢ્ય માં આવ્યા. તે પ્રતિમા જોઈ. વિધાધરોને પૂછ્યું : 'આ ક્યાંથી ?' તેથી તેઓએ કહ્યું : 'આ અષ્ટાપદથી લાવી છે. જે દિવરાથી અમારા વડે પૂજાવા માટે શરૂઆત કરાઈ, તે દિવસથી અમારે દિવસે દિવસે ઋક્તિ વધવા લાગી. તે સાંભળીને નારદે સ્વર્ગમાં ઈંદ્રને તે પ્રતિમાનાં માહાભ્યને કહ્યું. ઈ પણ ૨સ્વર્ગમાં મંગાવી. ભુકત વડે પૂજાવા માટે શરૂઆત કરી. ત્યારે શ્રી મુનિસુવ્રત અને શ્રી નમિનાથ ભગવાનનાં અંતરાનો સમય હતો. આ આંતરામાં લંકામાં રૈલોક્ય કંટક રાવણ ઉત્પન્ન થયો. તેની મંદોદરી નામની પત્ની પરમ સમ્યગદ્રષ્ટિ હતી. તે ૨íબંબના માહાયને નારદ મુખે સાંભળીને તેની પૂજા માટે ગાઢ અભિગ્રહ ગ્રહણ કર્યો. તે વૃત્તાંતને જાણીને મહારાજા રાવણે ઈન્દ્રની આરાધના કરી. તુષ્ટ થયેલાં ઈન્ડે મંદોદરી મહાદેવીને તે પ્રતિમાં સમર્પણ કરી. તુષ્ટ થયેલી મંદોદરી ત્રણે કાળ પૂજે છે. એક વખત રાવણ વડે સીતાદેવી અપહરણ કરાઈ. મંદોદરીએ સમજાવવા છતાં પણ તેને છોડી નહિં. તેથી સ્વપ્નમાં અધિષ્ઠાયકે રાવણનો વિનાશ અને લંકાનો ભંગ મંદોદરીને કહ્યો. તેથી તે બિંબને તેણીએ સાગરમાં પધરાવ્યું. ત્યાં આગળ દેવો વડે પૂજાય છે.' આ બાજુ કaiડ દેશનાં કલ્યાણ નગ૨માં શંકર નામનો રાજા જિનેશ્વરનો ભકત હતો. ત્યાં આગળ ક્રોધિત થયેલાં કોઈક મિથ્યાત્વી વ્યંતરે (મરકી) વિક્ર્વી. રાજા ૧. ઈતિહાસકારોના મતે આ ૨ાજા કલ્યાણીના કલ્ચરીયવંશનો રાંકર બીજે હતો. (રાજ્યકાળ ઈ.સ. ૧૧૭૭ થી ૧૧૮૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy